ટંકારા ખાતે યોજાયેલ ખેડૂત સભામાં ગુજરાતનાં કલાકારો વિષે રાષ્ટ્રીય કોંગ્રેસ સેવાદળ અધ્યક્ષ લાલજીભાઇ દેસાઇએ કરેલ ટિપ્પણીનો વિડીયો થયો વાયરલ કલયુગની અંતિમ ઘડી છે ત્યારે વ્યક્તિ પોતાનામાં પરીવર્તન લાવીને વિશ્વમાં પરીવર્તન લાવવામાં સહયોગ આપી શકે: જયંતી દીદી ​​​​​​​મોરબી જીલ્લામાં કલેકટરના આદેશથી ગામડાઓમાં પ્રાથમિક સુવિધાઓ-સરકારી યોજનાઓના અમલીકરણનું મૂલ્યાંકન કરતાં અધિકારીઓ મોરબી જીલ્લામાં સ્પાના નિયમન-નિયંત્રણ માટે જાહેરનામું પ્રસિધ્ધ મોરબી જિલ્લામાં કાયદો-વ્યવસ્થાની જાળવણી થાય તે હેતુથી ૧૦૬ વિસ્તારોમાં ડ્રોન ઉડાડવા ઉપર પ્રતિબંધ મોરબીમાં ઉમિયા સર્કલથી દલવાડી સર્કલનો રૂટ હવે વન-વે મોરબી સાર્થક વિદ્યામંદિરના વિદ્યાર્થીઓએ કલાત્મક ક્ષેત્રે રાજ્યકક્ષાએ શ્રેષ્ઠ સિદ્ધિ મેળવી મોરબીના સિરામિક ઉદ્યોગકારોનો બાંધકામની જંત્રીને લગતો પ્રશ્ન વહેલી તકે ઉકેલાય તે માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત
Breaking news
Morbi Today

વાંકાનેરમાં તહેવારો પહેલા ફરસાણની દુકાનોમાં ચેકિંગ કરવાની માંગ ઉઠી


SHARE











તંત્ર દ્વારા ક્યારેય ચેકીંગ નથી કરાતુંની ઉઠતી ચર્ચા ! કોરોના કાળમાં ભાવ બાંધણું પણ જરૂરી 

( કેતન ભટ્ટી દ્વારા ) વાંકાનેરમાં સાતમ આઠમનાં તહેવારો પૂર્વે મીઠાઈ ફરસાણ દુકાનોમાં ચેકીંગ કરવા અને કોરોના કાળ વચ્ચે ભાવ બાંધણું પણ કરવામાં આવે તેવો શહેરીજનોમાંથી સૂર ઉઠવા પામેલ છે.
સાતમ આઠમનાં તહેવારો નજીક છે,લોકો દ્વારા તહેવારમાં મીઠાઈ ફરસાણની ધૂમ ખરીદી કરવામાં આવે છે, ત્યારે ફરસાણનાં વેપારીઓ દ્વારા વાપરવામાં આવતું તેલ, મીઠાઈ બનાવવા માટે વપરાતો માવો સહિત ફરસાણમાં વપરાતી તમામ સામગ્રીનું તંત્ર દ્વારા સઘન ચેકીંગ કરવામાં આવે તે અનિવાર્ય છે, જો અખાદ્ય - વાસી કે જન આરોગ્ય માટે જોખમી ચીજ વસ્તુઓનો વપરાશ થતો હોય તો તેનો નાશ કરવો જોઈએ, આ ઉપરાંત બે વર્ષ થી કોરોના કાળ ચાલી રહ્યો હોય મીઠાઈ ફરસાણ નું ભાવ બાંધણું પણ કરવામાં આવે તે પણ ખાસ અનિવાર્ય છે, તહેવારો પૂર્વે રાજકોટ, મોરબી જેવા અનેક શહેરોમાં આ પ્રકારની ચેકીંગ કામગીરી હાથ ધરવામાં આવે છે પરંતુ વાંકાનેર શહેરમાં લાંબા સમયથી ક્યારેય પણ તંત્ર દ્વારા આ પ્રકારનું ચેકીંગ કરવામાં આવ્યું નથી ! કે ભાવ કોઈ બાંધણું પણ કરવામાં આવતું નથી ! તેવા સવાલો પણ ઉઠવા પામ્યા છે.






Latest News