મોરબીમાં પિતાની પુણ્યતિથિએ દીકરીએ કર્યું રક્તદાન કેમ્પનું આયોજન મોરબીમાં 25 લાખ માટે સીરામીક ઉદ્યોગપતિ અને તેના મિત્ર ઉપર જીવલેણ હુમલો કરનારા અજયભાઈ લોરીયાની ધરપકડ: ગાડી, ધોકો, કપડાં, મોબાઈલ કબ્જે કરતી પોલીસે પ્રાથમિક શિક્ષક વીણાબેન દલસાણિયા (દેસાઈ) એ મોરબીને રાજયકક્ષાએ ગૌરવ અપાવ્યું મોરબીમાં ભગવાન મહાવીર સ્વામીના જન્મ કલ્યાણકની ભવ્યાતી ભવ્ય ઉજવણી વાંકાનેર બાઉન્ડ્રી પાસે બાવળની જાળીમાં રૂપિયા માટે મિત્રની હત્યા કરનારા આરોપીને કોર્ટે ફટકારી આજીવન કેદની સજા મોરબીમાં પક્ષ વિરોધી પ્રવૃત્તિના લીધે જિલ્લા કોંગ્રેસના મહામંત્રીને હોદા ઉપરથી સસ્પેન્ડ કરતાં જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખ સામે સોશ્યલ મીડિયામાં વોર શરૂ ! તબીબી ચમત્કાર : આયુષ હોસ્પિટલના ડો.સત્યજીતસિંહ જાડેજા દ્રારા વેન્ટિલેટર ઉપરના 100 વર્ષના પડકારભર્યા દર્દીને નવું જીવન અપાયુ મોરબીમાં 25 લાખની લેતીદેતી મુદ્દે જિલ્લા પંચાયતના ભાજપના પૂર્વ સદસ્ય-રાષ્ટ્રભક્ત સામે ખૂનની કોશિશ સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયો
Breaking news
Morbi Today

મોરબીના ખેડૂતને પાકમાં નુકશાની બદલ દવા કંપનીને વ્યાજ સાથે ૭.૫૦ લાખ ચૂકવવા આદેશ


SHARE











મોરબીના ખેડૂતને પાકમાં નુકશાની બદલ દવા કંપનીને વ્યાજ સાથે ૭.૫૦ લાખ ચૂકવવા આદેશ

મોરબી તાલુકાનાં ખાખરાળા ગામના ફરિયાદી લાખાભાઈ રાધવજીભાઈ ડાંગરે પોતાના ખેતરમાં બી.ટી. કપાસ પાકનું વાવેતર કરેલ જેમાં કપાસ પાકમાં ફુગ નિયંત્રણ માટે સામાવાળા ઈન્ડોગલ્ફ ક્રોપસાયન્સ લી.પાસેથી નેકટર પ્લસ નામની દવાનો છંટકાવ કરતા દવા થકી પાકમાં વિપરીત અસર ઉત્પન્ન થયેલ તેની સામે રાજકોટ જીલ્લા તકરાર નિવારણ આયોગે ૭,૫૦,૦૦૦ તથા ૬ ટકા લેખે ચડત વ્યાજ સાથે આપવા માટે ચુકાદો આપ્યો છે

મોરબી તાલુકાનાં ખાખરાળા ગામે રહેતા ખેડૂતે વર્ષ ૨૦૧૯ માં બી.ટી.કપાસનું વાવેતર કરેલ અને પાકના વાવેતરની ઉપજ મેળવવા સખત અવિરત મહેનત, મજુરી કરેલ હતી આ કપાસના પાકમાં ફુગ નિયંત્રણ માટે ઈન્ડોગલ્ફ ક્રોપસાયન્સ લી.ની નેકટર પ્લસ નામની દવાનો છંટકાવ કરેલ હતી આ દવા તેના પ્રમાણિત પ્રમાણમાં ૩૦ એમ.એલ. થકી કપાસના પાકમાં ફુગ નિયંત્રણ માટે છંટકાવ કરતા આ દવા થકી ફરિયાદીના પાકમાં વિપરીત અસર ઉત્પન્ન થયેલ અને કપાસના છોડ લાંબા તથા બરડ થઈ ગયેલ અને ફાલફુલ સંકોચાઈ ગયેલ અને કપાસની ડાળીઓ પણ સંકોચાઈ ગયેલ હતી જેથી કંપનીને જાણ કરેલ અને નુકશાની ચુકવવા જણાવેલ હતું પરંતુ કંપનીએ નુકશાની ચુકવવા સ્પષ્ટ ઈન્કાર કર્યો હતો અને નાયબ ખેતીવાડી નિયામક દ્વારા નુકશાનગ્રસ્ત પાક અને જગ્યાનું પંચરોજકામ કરવામાં આવેલ અને તે અંગેની નોટીસ કંપનીને આપવામાં આવેલ તેમ છતાં અમલવારી ન કરતા તે અંગેની ફરિયાદ ગ્રાહક તકરાર નિવારણ આયોગ રાજકોટ સમક્ષ મોરબી ફરિયાદ નં .૯૨/૨૦૨૧ થી દાખલ કરેલ છે.

આ કામમાં નામદાર આયોગ દ્વારા કપાસના પાકને વિપરીત અસર થઈ નુકશાન થયેલ છે તે મુદાને પ્રોડકટ ડેફીસીયન્સી તરીકે ધ્યાને લીધેલ છે તેમજ નાયબ ખેતીવાડી અધિકારી તથા પ્રિન્સીપાલ પોલીટેકનિક દ્વારા જે પંચનામું કરવામાં આવેલ છે અને પાકની સ્થિતિ તથા આડઅસર સંબંધે દર્શાવવામાં આવેલ છે તેને નામદાર આયોગે સ્વીકારેલ છે અને ફરિયાદવાળી દવા નેકટર પ્લસને ઉત્પાદીત ખામી, ક્ષતિ, ત્રુટી વાળી અને નબળી ગુણવતા વાળી હોવાનું ઠરાવીને ફરિયાદીના કપાસના પાકને વિપરીત અસર થઈ અને ઉત્પાદન પણ ઘણું ઓછું થવા પામેલ હોય આ બાબતે ફરિયાદીના એડવોકેટ દ્વારા થયેલ ધારદાર રજુઆત તથા કેસ સંબંધીત ઉચ્ચ અદાલતોના ચુકાદાઓ વિગેરેને ધ્યાને રાખી અરજદારની ફરિયાદ વિગતે માલ ઉત્પાદકતા તથા આર્થિક નુકશાનીનો કેસ માનેલ છે અને કંપની સહિત દુકાનદાર, ડીલરને સંયુકત અને વિભકત રીતે ફરિયાદી અરજદારને ૭,૫૦,૦૦૦ અરજી દાખલ તારીખથી ૨કમ વસુલ મળતા સુધી ૬ ટકાના ચડત વ્યાજ સાથે બે માસમાં ચૂકવવાનો હુકમ કરેલ છે. આ કામમાં ફરિયાદી લાખાભાઈ રઘાભાઈ ડાંગર વતી રાજકોટના જાણીતા વિદ્વાન યુવા ધારાશાસ્ત્રી રાજેશ યુ.પાટડીયા રોકાયેલ છે






Latest News