મોરબી: ઘુનડા ગામે સમસ્ત મચ્છુકાંઠા રબારી સમાજ યુવા સંગઠનનું સન્માન કરાયું મોરબીના ઘુંટુ ગામે પરેચા પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન મોરબીના ખાનપર ગામે આવેલ કુમાર શાળામાં ધો.૮ નાં વિદ્યાર્થીઓનો વિદાય સમારોહ યોજાયો વાંકાનેર-ઠીકરીયાળા માર્ગ પર નવા માઇનર બ્રિજનું નિર્માણ શરૂ મોરબીમાં ડો. ભીમરાવ આંબેડકરની 135 મી જન્મજયંતિ નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન મોરબીમાં વેલનાથ બાપુની પૂણ્યતીથી નીમીતે ભવ્ય શોભાયાત્રાનું આયોજન વાંકાનેર 108ની ટીમ બની 'દેવદૂત': ટેકનોલોજી-ત્વરિત નિર્ણયશક્તિથી નવજાત શિશુને આપ્યું નવજીવન મોરબીમાં પિતાની પુણ્યતિથિએ દીકરીએ કર્યું રક્તદાન કેમ્પનું આયોજન
Breaking news
Morbi Today

મોરબીમાં થયેલ યુવાનના અપહરણના ગુનામાં એક આરોપી જામીન મુક્ત


SHARE











મોરબીમાં થયેલ યુવાનના અપહરણના ગુનામાં એક આરોપી જામીન મુક્ત

મોરબીના રવાપરમાં રહેતા અને મૂળ બગથળા ગામના યુવાનને ગાડીના રીપેરીંગ કામ માટે તેના મિત્રના ઓળખાણમાં એક ઇસમની પાસેથી એક લાખ રૂપિયા વ્યાજે લીધા હતા અને તે રકમની સામે દસ લાખ ચૂકવી દીધા હતા તો પણ સામેવાળાઓ દ્વારા ૧૭ લાખ રૂપિયાની માગણી કરીને યુવાનનું અપહરણ કરીને માર મારવામાં આવ્યો હતો. આ ગુનામાં મોરબી તાલુકા પોલીસે પકડેલા આરોપી પાર્થ પ્રવિણભાઈ પોપટના જામીન માટે અરજી કરી હતી જેને કોર્ટે ગ્રાહ્ય રાખીને આરોપીને જામીન મુક્ત કરલે છે

મોરબી તાલુકા પોલીસ સ્ટેશને સુનિલભાઈ ધનજીભાઈ શેરસીયાએ ઉઘરાણીના પૈસા કઢાવવા માટે અપહરણ કરીને માર માર્યો હોવાની માલદે આહીર, લાલાભાઇ બોરીચા, પ્રકાશ નરભેરામ ભૂત અને પાર્થ પ્રવિણભાઈ પોપટ સામે ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે આરોપીઓની ધરપકડ કરી હતી અને આ ગુનામાં પકડાયેલા આરોપી પાર્થ પોપટની જામીન અરજી વકીલ મનીષભાઈ ઓઝા (ગોપાલ ઓઝા) અને મહેનાઝબેન પરમાર મૂકવામાં આવી હતી અને વકીલોની ધારદાર દલીલો રજૂઆતને ધ્યાને લઈને પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજ પી.સી. જોશીએ આરોપી પાર્થ પ્રવીણભાઈ પોપટના રેગ્યુલર ૧૦,૦૦૦ ના જામીન શરતોને આધીન મંજૂર કરેલ છે






Latest News