મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

મોરબીમાં રવિવારે બે સ્થળોએ પ્રાકૃતિક વસ્તુઓનું રાહત દરે વેચાણ


SHARE







મોરબીમાં રવિવારે બે સ્થળોએ પ્રાકૃતિક વસ્તુઓનું રાહત દરે વેચાણ

મોરબીના બે જુદાજુદા સ્થળોએ આવતા રવિવારે પ્રાકૃતિક વસ્તુઓનું રાહત દરે વેચાણ કરવામાં આવશે.

પ્રકૃતિ પ્રેમીઓને નવરંગ નેચર ક્લબ રાજકોટ દ્વારા જીણ કરવમાં આવેલ છેકે મોરબીના શનાળા રોડ ખાતે ઉમિયા સર્કલ પાસે, મહાદેવ મંદિર નજીક આગામી તા.૧૧- ૯ (દર મહિનાના બીજા રવિવારે) સવારે ૮:૩૦ થી બોપોરે ૧ સુધી કેમ્યનું આયોજન કરાયેલ છે.જેમા ખરખોડી (ડોડી) ના રોપાનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવશે.તેમજ કેસર કલમી આંબા (૧૦૦ રૂપિયા) નું રાહત દરે વિતરણ કરાશે.તેમજ હાથે ખાંડેલ દેસી ઓસડિયા, અળસિયાનું ખાતર અને કોકોપીટનું ખાતર, પ્યોર મધ, માટીના કુંડા, તાવડી, દેશી હાથ ઘડાવ માટીના પાટિયા, રસોડાને ઉપયોગી લાકડાની વિવિધ ચીજવસ્તુઓ, વિવિધ જાતના કઠોળ, વિવિધ જાતના શાકભાજીના બિયારણો, કદમ-ફાલસાના રોપા તેમજ વિવિધ જાતના ફૂલછોડ નું રાહત દરે વિતરણ કરવામાં આવશે.વધુ વિગત માટે લવજીભાઈ પ્રજાપતિ (મો. ૯૯૨૫૩ ૬૯૪૬૫) અથવા વી.ડી.બાલા પ્રમુખ, નવરંગ નેચર ક્લબ-રાજકોટ (મો.૯૪૨૭૫ ૬૩૮૯૮) નો સંપર્ક કરવા જણાવાયેલ છે.

હરડે પ્રચાર કેન્દ્ર

હરડે પ્રચાર કેન્દ્ર-મોરબી દ્વારા પણ મોરબીમાં આગામી તા.૧૧ ને રવિવારના રોજ સવારે ૯ થી ૧ દરમ્યાન અહિંના માર્કેટિંગ યાર્ડની પાસે આરડીસી.બેન્કના દરવાજા પાસે, ન્યુ હાઉસિંગ બોર્ડની સામે, શનાળા રોડ,મોરબી ખાતે પ્રાકૃતીક વસ્તુઓનું વેચાણ કરાશે.કેમ્પમાં હરડે પાવડર, આમળા-અરીઠા-શિકાકાઈ પાવડર, સિંધાલુણ નમક, દેશી ગોળ, ગૌમૂત્ર અર્ક, નગોળનું તેલ, રાહતદરે દસ જાતના ગુલાબ તેમજ અન્ય અલગ અલગ ફૂલછોડ, આંબળાની મીઠી કેન્ડી, રસોડામાં ઉપયોગી એવા લાકડામાંથી બનાવેલ પાટલા, વેલણ, જેરણી વિગેરે.આ વિતરણ વ્યવસ્થા અને મોરબી હરડે પ્રચાર કેન્દ્રનાં સંયોજક જીતુભાઇ ઠક્કરે યાદીમાં જણાવેલ છે કે માસ્ક અને સોસીયલ ડિસ્ટન્સનાં પાલન સાથે સૌએ આ વેંચાણ કેન્દ્રનો લાભ લેવો.નિરોગી રહીએ પ્રકૃતિ તરફ વળીએ પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળીએ અને તે માટે ખરીદીએ જતા સમયે ઘરેથી જ કાપડની થેલી સાથે લાવીએનો અભીગમ કેળવવા અપીલ કરવામાં આવેલ છે






Latest News