મોરબીમાં આવેલ ગજાનંદ એપાર્ટમેન્ટના ફ્લેટમાં જુગાર રમતા પાંચ શખ્સો 2.62 લાખની રોકડ સાથે ઝડપાયા મોરબીના સીરામીક ઉદ્યોગમાં પાઇપલાઇન મારફતે ગેસ સપ્લાય કરતી બે કંપનીના ભાવમાં જમીન આસમાનનો તફાવત !, ઉદ્યોગકારોની મૂંઝવણમાં સતત વધારો: હાલમાં ઉદ્યોગકારો એમજીઓ કરાર ન કરે તેવા સંકેત મોરબીમાં વ્યાજે લીધેલા 2.40 લાખ સામે 7.67 લાખ ચૂકવી દીધા છતાં ગીરવે મુકેલા દાગીના અને કોરા ચેક પાછા નહીં આપતા દંપતી સામે ગુનો નોંધાયો ભારે કરી: મોરબીમાં બાઈક વ્યવસ્થિત રાખવાનું કહેતા નિવૃત્ત પોલીસ કર્મચારીને ઝાપટ મારીને ગાળો આપી છરી મારવાનો પ્રયાસ મોરબીમાં બાઈક ચાલકે હડફેટે લેતા ઇજા પામેલ 12 વર્ષના બાળકનું મોત મોરબીમાં વેપાર માટે યુવાને વ્યાજે લીધેલા 5 લાખ સામે 7.90 લાખ ચૂકવ્યા છતાં બે શખ્સો દ્વારા પઠાણી ઉઘરાણી, મારી નાખવાની ધમકી હળવદના માથક ગામે રહેતા યુવાને અગાઉ કરેલ ફરિયાદ પાછી ખેંચી લેવા માટે ફોન ઉપર ગાળો આપીને ઠામ પતાવી દેવાની ધમકી મોરબીમાં જુદી જુદી બે જગ્યાએથી દારૂની 17 બોટલ સાથે ત્રણ શખ્સો પકડાયા, ત્રણ ની શોધખોળ
Breaking news
Morbi Today

વાંકાનેર શહેરમાં યમરાજના ધામા: અલગ અલગ ત્રણ અપમૃત્યુના બનાવ નોંધાયા


SHARE











વાંકાનેર શહેરમાં યમરાજના ધામા: અલગ અલગ ત્રણ અપમૃત્યુના બનાવ નોંધાયા

(શાહરૂખ ચૌહાણ) વાંકાનેર શહેરના જુદાજુદા ત્રણ વિસ્તારમાં બે યુવાન સહિત કુલ ત્રણ વ્યક્તિઓએ આપઘાત કરેલ છે જેથી કરીને તેના મૃતદેહને પીએમ માટે ડેડબોડીઓને વાંકાનેર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવેલ છે અને અપમૃત્યુના બનાવની પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવન નોંધા કરીને રાબેતા મુજબની કાર્યવાહી કરેલ છે

વાંકાનેર નવાપરા વિસ્તારમાં આવેલા ખડીપાડામાં રહેતા ભાવનાબેન હર્ષભાઈ ધોળકિયા (ઉંમર 36) કોઈ કારણોસર ઘરે ગળે ફાંસો ખાય આપઘાત કર્યો હતો તો વાંકાનેરના ગાયત્રી ચોક નજીક ટાંકી વાળી શેરીમાં રહેતા સંદીપભાઈ જગદીશભાઈ ગોરીયા (ઉંમર 26) કોઈ કારણસર ઘરે ગળે ફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું હતું અને વાંકાનેરની ભાટિયા સોસાયટીમાં રહેતા ઓમસિહ ઈશ્વરસિંહ રાજપુત (ઉંમર 20) એ કોઈ કારણસર ઘરે ગળે ફાંસો ખાઈને આપઘાત કર્યો હતો આમ જુદાજુદા ત્રણ વિસ્તારમાંથી ત્રણેય ડેડબોડીને પીએમ માટે વાંકાનેર સિવિલે ખસેડવામાં આવી હતી અને તમામ કેસની વાંકાનેર શહેર પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની તપાસ ચલાવી રહી છે






Latest News