મોરબી જિલ્લા કોંગ્રેસના વર્તમાન પ્રમુખ અને મોરબી જિલ્લા પંચાયતના માજી પ્રમુખ કિશોરભાઈ ચીખલિયાનું હાર્ટ એટેકનો તીવ્ર હુમલો આવતા નિધન મોરબી: ઘુનડા ગામે સમસ્ત મચ્છુકાંઠા રબારી સમાજ યુવા સંગઠનનું સન્માન કરાયું મોરબીના ઘુંટુ ગામે પરેચા પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન મોરબીના ખાનપર ગામે આવેલ કુમાર શાળામાં ધો.૮ નાં વિદ્યાર્થીઓનો વિદાય સમારોહ યોજાયો વાંકાનેર-ઠીકરીયાળા માર્ગ પર નવા માઇનર બ્રિજનું નિર્માણ શરૂ મોરબીમાં ડો. ભીમરાવ આંબેડકરની 135 મી જન્મજયંતિ નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન મોરબીમાં વેલનાથ બાપુની પૂણ્યતીથી નીમીતે ભવ્ય શોભાયાત્રાનું આયોજન વાંકાનેર 108ની ટીમ બની 'દેવદૂત': ટેકનોલોજી-ત્વરિત નિર્ણયશક્તિથી નવજાત શિશુને આપ્યું નવજીવન
Breaking news
Morbi Today

મોરબીની ઉમા ટાઉનશીપમાં યુવાન ઉપર હુમલો કરનારા શખ્સો સામે હત્યાના પ્રયાસની કલમ લગાવવા લોકોની માંગ


SHARE











મોરબીની ઉમા ટાઉનશીપમાં યુવાન ઉપર હુમલો કરનારા શખ્સો સામે હત્યાના પ્રયાસની કલમ લગાવવા લોકોની માંગ

મોરબી શહેરના સામા કાંઠા વિસ્તારમાં આવેલ ઉમા ટાઉનશિપમાં પાર્ક કરેલી કારને હટાવવા માટે કહ્યું હતું ત્યારે ઉશ્કેરાઈ ગયેલા શખ્સોએ તે યુવાનની સાથે બોલાચાલી કરી ઝઘડો કરી ગાળો આપી હતી અને માર માર્યો હતો આટલું જ નહીં પરંતુ તેને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી જેથી કરીને ભોગ બનેલા યુવાને મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી તેના આધારે હાલમાં પોલીસે તમામ આરોપીઓની ધરપકડ કરી લીધેલ છે જોકે આરોપીઓ સામે લગાવવામાં આવેલી કલમોમાં 307 ની કલમનો ઉમેરો કરવામાં આવ્યો નથી જેથી કરીને સ્થાનિક લોકોમાં ભારે રોષની લાગણી છે અને આજે મોરબી માળિયા વિધાનસભા બેઠકના માજી ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાની આગેવાનીમાં મોરબી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જઈને કલેક્ટરને આવેદનપત્ર પાઠવી આ બનાવમાં 307 ની કલમનો ઉમેરો કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે

મોરબીની ઉમા ટાઉનશિપમાં રહેતા રાહુલભાઈ ઉર્ફે મુન્નાભાઈ કાંતિભાઈ ત્યાં પાર્ક કરેલી કારને હટાવવા માટે થઈને કહ્યું હતું ત્યારે પ્રકાશભાઈ અને અમૃતલાલને તે સારું નહીં લાગતા તેને બોલાચાલી કરીને માથાકૂટ કરી હતી અને ત્યારબાદ અમૃતલાલના દીકરાએ સમાધાન કરવા માટે રાહુલને બોલાવીને તેને માર માર્યો હતો અને ત્યારે તેની સાથે અન્ય ત્રણ શખ્સો પણ હતા જે પૈકીના એક શખ્સ પાસે છરી હતી તેનો બુધરાવટીનો ભાગ રાહુલને માથામાં માર્યો હતો જેથી કરીને ઇજા પામેલ રાહુલભાઈએ સારવાર લીધા બાદ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે છ શખ્સોની સામે ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે હાલમાં તમામ આરોપીઓની ધરપકડ કરી લીધેલ છે જોકે આરોપીઓ સામે નોંધવામાં આવેલ ફરિયાદમાં હત્યાના પ્રયાસની કલમ 307 નો ઉમેરો કરવામાં આવેલ નથી જેથી કરીને સ્થાનિક લોકોમાં ભારે રોષની લાગણી છે અને ઉમા ટાઉનશીપના સ્થાનિક લોકો પ્રથમ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા અને ત્યાંથી મોરબી માળિયા વિધાનસભા બેઠકના માજી ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાને સાથે રાખીને જિલ્લા કલેકટરને રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા અને ત્યાં ભોગ બનેલ રાહુલભાઈના પરિવારજન તેમજ મોરબી માળિયા વિધાનસભા બેઠકના માજી ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા સહિતના લોકો દ્વારા આરોપીઓ સામે 307 ની કલમનો ઉમેરો આ ગુનામાં કરવામાં આવે તેવી માંગ કરવામાં આવેલ છે






Latest News