મોરબીમાં 42 ડિગ્રી તાપમાનમાં ફરજ બજાવતા 50 જેટલા ટ્રાફિક બ્રિગેડના જવાનો અઢી મહિનાથી પગારથી વંચિત મોરબીમાં કન્યા છાત્રાલય ખાતે સંસ્કારી સ્ત્રી-સુસંસ્કૃત સમાજ કાર્યક્રમનું આયોજન મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા લોકોને ગરમીમાં રાહત માટે પ્રેરણાદાયી કર્યા ટંકારા તાલુકામાં પી.એમ. પોષણ યોજના હેઠળ સ્ટાફની ભરતી: 26 મે સુધીમાં અરજીઓ મંગાવાઈ વાંકાનેરમાં શહેર-ગ્રામ્ય વિસ્તારના નિરાધાર વૃદ્ધ, ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ સહાય અને ગંગા સ્વરૂપા યોજનાના લાભાર્થીઓએ 30 મે સુધીમાં હયાતીની ખરાઈ કરાવવી અનિવાર્ય મોરબીમાં કાળજાળ ગરમીમાં સિરામિક કારખાનામાં શ્રમિકોને લસ્સીનુ વિતરણ મોરબીના ડો. બી કે લહેરૂએ પેટ્રોલ-ડીઝલ બચાવવાની વડાપ્રધાનની અપીલને ધ્યાને રાખીને કર્યો મહત્વનો નિર્ણય મોરબીના નવલખી રોડ પાસે બે યુવાનો ઉપર છરી-પાઈપ વડે હુમલો-સારવારમાં
Breaking news
Morbi Today

મોરબીમાં માધાપરના મહારાજા ગણેશોત્સવમાં લતીપરની રાસ મંડળીએ કરી જમાવટ


SHARE











મોરબીમાં માધાપરના મહારાજા ગણેશોત્સવમાં લતીપરની રાસ મંડળીએ કરી જમાવટ

મોરબીમાં જય સિધ્ધનાથ સેવા સમિતિ ટ્રસ્ટ દ્વારા આયોજિત માધાપરના મહારાજા ગણેશોત્સવનું આયોજન માધાપર રામજી મંદિરના ચોકમાં કરવામાં આવ્યું છે ત્યાં પ્રખ્યાત લતીપરની રાણબાઈ રાસ ગરબા મંડળી દ્વારા તલવાર રાસ અને ગરબાનો કાર્યક્ર્મ રાજુ કરવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં મોરબી શહેર ભાજપના પ્રમુખ લાખાભાઈ જારીયા, મોરબી પાલિકાના પ્રમુખ શ્રીમતી કુસુમબેન કે. પરમાર, મોરબી જિલ્લા ભાજપ ઉપાધ્યક્ષ હસુભાઈ પંડ્યા, મોરબી શહેર ભાજપ મહામંત્રી રીષીપભાઈ કૈલા, અને સતવારા સમાજના અગ્રણી દાતા દર્શનભાઈ પરમાર, વોર્ડ નંબર,૬ ના સદસ્ય ભાઈઓ-બહેનો તેમજ માધાપરના ધર્મપ્રેમી ભાઈઓ બહેનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આ સાથોસાથ કોરોનાથી મૃત્યુ પામેલ દિવંગત આત્માઓના મોક્ષાર્થે પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા દ્વારા જે ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે તે આગામી તા.૧૨ થી શરૂ થવાની છે જેથી કરીને લોકોને જાહેર આમંત્રણ આપવામાં આવ્યું હતું અને આગેવાનોના હસ્તે શ્રીગણેશ મહોત્સવના તમામ સહયોગી દાતાઓના સન્માન કરવામાં આવ્યા હતા અને આ કાર્યક્રમને સફળ બનાવવા માટે જય સિધ્ધનાથ સેવા સમિતિ ટ્રસ્ટના પ્રમુખ ધર્મેન્દ્રભાઈ કંઝારીયા, ઉપપ્રમુખ કે.કે.પરમાર તેમજ તમામ ટ્રસ્ટીઓ અને કાર્યકર્તા ભાઈઓ અને બહેનો દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી






Latest News