મોરબીમાં 42 ડિગ્રી તાપમાનમાં ફરજ બજાવતા 50 જેટલા ટ્રાફિક બ્રિગેડના જવાનો અઢી મહિનાથી પગારથી વંચિત મોરબીમાં કન્યા છાત્રાલય ખાતે સંસ્કારી સ્ત્રી-સુસંસ્કૃત સમાજ કાર્યક્રમનું આયોજન મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા લોકોને ગરમીમાં રાહત માટે પ્રેરણાદાયી કર્યા ટંકારા તાલુકામાં પી.એમ. પોષણ યોજના હેઠળ સ્ટાફની ભરતી: 26 મે સુધીમાં અરજીઓ મંગાવાઈ વાંકાનેરમાં શહેર-ગ્રામ્ય વિસ્તારના નિરાધાર વૃદ્ધ, ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ સહાય અને ગંગા સ્વરૂપા યોજનાના લાભાર્થીઓએ 30 મે સુધીમાં હયાતીની ખરાઈ કરાવવી અનિવાર્ય મોરબીમાં કાળજાળ ગરમીમાં સિરામિક કારખાનામાં શ્રમિકોને લસ્સીનુ વિતરણ મોરબીના ડો. બી કે લહેરૂએ પેટ્રોલ-ડીઝલ બચાવવાની વડાપ્રધાનની અપીલને ધ્યાને રાખીને કર્યો મહત્વનો નિર્ણય મોરબીના નવલખી રોડ પાસે બે યુવાનો ઉપર છરી-પાઈપ વડે હુમલો-સારવારમાં
Breaking news
Morbi Today

મોરબી પાલીકા સંચાલીત સીટીબસ ઘુંટુ સુધી લંબાવો : પી.પી.જોષી


SHARE











મોરબી પાલીકા સંચાલીત સીટીબસ ઘુંટુ સુધી લંબાવો : પી.પી.જોષી

મોરબીમાં અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના પૂર્વ સલાહકાર પી.પી.જોશી દ્વારા પાલિકાના ચીફ ઓફિસરને લેખિતમાં રજૂઆત કરીને તાજેતરમાં શરૂ કરાયેલ સીટી બસને ઘુંટું સુધી લંબાવવાની માંગ કરવામાં આવેલ છે.કારણ કે ગેસ પુરાવા માટે મહેન્દ્રનગર સુધી સીટી બસો જતી હોય ત્યાંથી ઘુંટુ નજીકના આંતરે જ આવેલ હોવાથી જો ત્યાં સુધી બસ લંબાવવામાં આવે તો આઈ.ટી.આઈના વિદ્યાર્થીઓ, કારખાને જતા લોકો સહિતના ગ્રામ્ય વિસ્તારના મુસાફરોને આ સેવાનો લાભ મળી શકે તેમ છે.

મોરબીમાં સીટી બસનો પ્રારંભ કરેલ જે બદલ પાલીકાને ધન્યવાદ સાથે પી.પી.જોષીએ ચિફ ઓફીસરને જણાવેલ છે કે આ સીટી બસને ઘુંટુ સુધી લંબાવવી જરૂરી છે.કારણકે આ રોડ ઉપર વીસથી પચ્ચીસ જેટલી સોસાયટી આવેલ છે.જેનો લાભ આ વિસ્તારને મળી શકે અને જનતાને સસ્તા ભાડામાં મોરબી આવી શકે હાલમા આ સીટી બસ માળીયા ફાટક સુધી આવે છે અને ત્યાં ગેસ ભરાવવા સીએનજી પંપે જાય છે.ત્યાંથી ફકત બે કીલોમીટરના અંતરે ઘુંટુ આવેલ છે.જેનુ વધારે અંતર નથી અહીં સુધી તો બસ આવે છે.આ બસને ફકત બે કીલોમીટર લંબાવવામા આવે તો આ વિસ્તારની સોસાયટી વિસ્તારને તેમજ ગ્રામ્ય તેનો લાભ મળે અને નગરપાલીકા ને આવકમા વધારો થાય તેમ છે . કારણકે આ સોસાયટી વિસ્તારમા બધા શ્રમજીવી લોકો રહે છે અને મોરબી ખાતે રોજીરોટી રળવા આવે છે.આ સીવાય વિદ્યાર્થીઓ મોરબી ખાતે અભ્યાસ અર્થે આવે છે તેમજ આઇટીઆઇ જવા માટે પણ વિદ્યાર્થીઓ આબસસેવાનો લાભ લઇ શકે તેમ છે તના માટે સમયનું યોગ્ય આયોજન કરીને આ બસસેવાને ઘુંટુ સુધી લંબાવવાની ખાસ જરુર છે.જેથી ગરીબ પ્રજાને મોંઘાદાટ રીક્ષા ભાડા હાલમા ખર્ચ કરવો પડે છે.જેનાથી મુકિત મળે તો આ બાબતે આપના તરફથી યોગ્ય સહકાર આપી બસ ચાલુ કરવી તેવી વિનંતી અહીંના પી.પી.જોષીએ કરેલ છે.






Latest News