તબીબી ચમત્કાર : આયુષ હોસ્પિટલના ડો.સત્યજીતસિંહ જાડેજા દ્રારા વેન્ટિલેટર ઉપરના 100 વર્ષના પડકારભર્યા દર્દીને નવું જીવન અપાયુ મોરબીમાં 25 લાખની લેતીદેતી મુદ્દે જિલ્લા પંચાયતના ભાજપના પૂર્વ સદસ્ય-રાષ્ટ્રભક્ત સામે ખૂનની કોશિશ સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયો મોરબીમાં રાજ્યમંત્રી કાંતિભાઈ અને સાંસદ વિનોદભાઈની હાજરીમાં 106 કરોડના વિકાસ કામોનું કરાયું ખાતમહૂર્ત વાંકાનેર નજીક ડબલ સવારી બાઇકને કાર ચાલકે હડફેટે લેતા માતાજીનાં મંદિરે દર્શન કરવા જતાં વૃદ્ધનું મોત: એક ને ઇજા મોરબીમાં રોડ સાઈડમાં ઉભેલા વૃદ્ધને રિવર્સમાં વાહન લેતા સમયે હડફેટે લેતા થાપા, કમર અને ગોળામાં ફેક્ચર મોરબીના જાંબુડીયા ગામે સગપણ તોડી નાખવાની વાતનો ખાર રાખીને હુમલો: 4 સામે ફરિયાદ વાંકાનેરના અગાભી પીપળીયા ગામે વાડીએ પાણીની કુંડીમાં ડૂબી જવાથી દોઢ વર્ષની બાળકીનું મોત હળવદના ધુળકોટ ગામે શક્તિ માતાજીના મંદિરમાંથી સોના-ચાંદીના 80 છતર, ચાંદીનો મુગટ અને સોનાની બે ટીલડીની ચોરી
Breaking news
Morbi Today

મોરબી પાલીકા સંચાલીત સીટીબસ ઘુંટુ સુધી લંબાવો : પી.પી.જોષી


SHARE











મોરબી પાલીકા સંચાલીત સીટીબસ ઘુંટુ સુધી લંબાવો : પી.પી.જોષી

મોરબીમાં અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના પૂર્વ સલાહકાર પી.પી.જોશી દ્વારા પાલિકાના ચીફ ઓફિસરને લેખિતમાં રજૂઆત કરીને તાજેતરમાં શરૂ કરાયેલ સીટી બસને ઘુંટું સુધી લંબાવવાની માંગ કરવામાં આવેલ છે.કારણ કે ગેસ પુરાવા માટે મહેન્દ્રનગર સુધી સીટી બસો જતી હોય ત્યાંથી ઘુંટુ નજીકના આંતરે જ આવેલ હોવાથી જો ત્યાં સુધી બસ લંબાવવામાં આવે તો આઈ.ટી.આઈના વિદ્યાર્થીઓ, કારખાને જતા લોકો સહિતના ગ્રામ્ય વિસ્તારના મુસાફરોને આ સેવાનો લાભ મળી શકે તેમ છે.

મોરબીમાં સીટી બસનો પ્રારંભ કરેલ જે બદલ પાલીકાને ધન્યવાદ સાથે પી.પી.જોષીએ ચિફ ઓફીસરને જણાવેલ છે કે આ સીટી બસને ઘુંટુ સુધી લંબાવવી જરૂરી છે.કારણકે આ રોડ ઉપર વીસથી પચ્ચીસ જેટલી સોસાયટી આવેલ છે.જેનો લાભ આ વિસ્તારને મળી શકે અને જનતાને સસ્તા ભાડામાં મોરબી આવી શકે હાલમા આ સીટી બસ માળીયા ફાટક સુધી આવે છે અને ત્યાં ગેસ ભરાવવા સીએનજી પંપે જાય છે.ત્યાંથી ફકત બે કીલોમીટરના અંતરે ઘુંટુ આવેલ છે.જેનુ વધારે અંતર નથી અહીં સુધી તો બસ આવે છે.આ બસને ફકત બે કીલોમીટર લંબાવવામા આવે તો આ વિસ્તારની સોસાયટી વિસ્તારને તેમજ ગ્રામ્ય તેનો લાભ મળે અને નગરપાલીકા ને આવકમા વધારો થાય તેમ છે . કારણકે આ સોસાયટી વિસ્તારમા બધા શ્રમજીવી લોકો રહે છે અને મોરબી ખાતે રોજીરોટી રળવા આવે છે.આ સીવાય વિદ્યાર્થીઓ મોરબી ખાતે અભ્યાસ અર્થે આવે છે તેમજ આઇટીઆઇ જવા માટે પણ વિદ્યાર્થીઓ આબસસેવાનો લાભ લઇ શકે તેમ છે તના માટે સમયનું યોગ્ય આયોજન કરીને આ બસસેવાને ઘુંટુ સુધી લંબાવવાની ખાસ જરુર છે.જેથી ગરીબ પ્રજાને મોંઘાદાટ રીક્ષા ભાડા હાલમા ખર્ચ કરવો પડે છે.જેનાથી મુકિત મળે તો આ બાબતે આપના તરફથી યોગ્ય સહકાર આપી બસ ચાલુ કરવી તેવી વિનંતી અહીંના પી.પી.જોષીએ કરેલ છે.






Latest News