મોરબીના સામાકાંઠે રહેતા યુવાનનું કોઈ કારણોસર મોત, વિશેરા લઈ મોતનું કારણ જાણવા તજવીજ શરૂ; યુવાન ઉપર છરી વડે હુમલો કરવાના બનાવમાં ચાર ની ધરપકડ બેધારી નીતિ: મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનના પ્રચાર પ્રસાર માટે બનાવેલ વોટ્સએપ ગ્રુપનું એકાઉન્ટ વારંવાર સસ્પેન્ડ !  મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે ભૂગર્ભ વાયરનું કામ યોગ્ય રીતે કરવા શહેર કોંગ્રેસ પ્રમુખની રજૂઆત વાંકાનેર પંથકમાં ખનીજ માફિયા ઉપર પોલીસની ધોંસ: 1 કરોડથી વધુનો મુદામાલ જપ્ત મોરબી જિલ્લાની મહિલાઓને ફળ-શાકભાજી પરિરક્ષણ માટે ખાસ તાલીમ અપાશે: અરજીઓ મંગાવાઇ મોરબી જિલ્લામાં બાગાયતદાર ખેડૂતો સહાયલક્ષી યોજનાઓ માટે આઇ-ખેડુત પોર્ટલ પર અરજી કરી શકશે સેવાની જ્યોત: મોરબીમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા વૃધ્ધાશ્રમમાં વડીલોને ભોજન કરાવમાં આવ્યું મોરબીના પ્રથમ ટ્રસ્ટ આધારિત ફિઝિયોથેરાપી ક્લિનિકનો એક વર્ષમાં 3000 દર્દીઓએ લાભ લીધો
Breaking news
Morbi Today

વાંકાનેરમાં માર્કેટચોક કા રાજા ગણેશોત્સવમાં માલધારી સમાજના યુવાનો દ્વારા ભાતિગળ રાસની જમાવટ


SHARE











વાંકાનેરમાં માર્કેટચોક કા રાજા ગણેશોત્સવમાં માલધારી સમાજના યુવાનો દ્વારા ભાતિગળ રાસની જમાવટ

વાંકાનેર શહેરના માર્કેટચોક ખાતે શાખાના ગ્રાઉન્ડમાં બિરાજમાન "માર્કેટચોક કા રાજા" ગણેશ ઉત્સવ દરમિયાન છઠ્ઠા દિવસે માલધારી સમાજના યુવાનો દ્વારા રાસ રજૂ કરવામાં આવ્યા હતા. હાલ ઠેર-ઠેર ગણેશ ઉત્સવો ધર્મોઉલ્લાથી ઉજવાય રહ્યા છે ત્યારે વાંકાનેર શહેરના હૃદયસમા માર્કેટચોક શાખાના ગ્રાઉન્ડ ખાતે ગણેશ ઉત્સવના મોભી જીતુભાઈ સોમાણી દ્વારા આયોજીત "માર્કેટચોક કા રાજા"ના પંડાલમાં બિરાજમાન વિઘ્નહર્તાના સાનિધ્યમાં છઠ્ઠા દિવસે માલધારી સમાજના યુવાનો દ્વારા ભાતીગળ હુડારાસ સહિત વિવિધ પ્રકારના રાસ રજૂ કરી સૌ કોઈને મત્રમુગ્ધ કરી દીધા તેમજ આ ભાતીગળ રાસ નિહાળવા બહોળી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. માર્કેટચોક કા રાજા ગણેશ ઉત્સવમાં દરરોજ વિવિધ પ્રકારના સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે ત્યારે  ગણેશ ઉત્સવના સાતમા દિવસે મંગળવારના રોજ રાત્રે મહાઆરતીનું આયોજન કરવામાં આવેલ છે જેમાં ૧૧૧૧ દીવડા દ્વારા વિઘ્નહર્તાની મહાઆરતી કરવામાં આવશે તેવું ગણેશ ઉત્સવ સમિતિના મોભી જીતુભાઈ સોમાણી દ્વારા જણાવ્યું હતું






Latest News