મોરબીમાં 42 ડિગ્રી તાપમાનમાં ફરજ બજાવતા 50 જેટલા ટ્રાફિક બ્રિગેડના જવાનો અઢી મહિનાથી પગારથી વંચિત મોરબીમાં કન્યા છાત્રાલય ખાતે સંસ્કારી સ્ત્રી-સુસંસ્કૃત સમાજ કાર્યક્રમનું આયોજન મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા લોકોને ગરમીમાં રાહત માટે પ્રેરણાદાયી કર્યા ટંકારા તાલુકામાં પી.એમ. પોષણ યોજના હેઠળ સ્ટાફની ભરતી: 26 મે સુધીમાં અરજીઓ મંગાવાઈ વાંકાનેરમાં શહેર-ગ્રામ્ય વિસ્તારના નિરાધાર વૃદ્ધ, ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ સહાય અને ગંગા સ્વરૂપા યોજનાના લાભાર્થીઓએ 30 મે સુધીમાં હયાતીની ખરાઈ કરાવવી અનિવાર્ય મોરબીમાં કાળજાળ ગરમીમાં સિરામિક કારખાનામાં શ્રમિકોને લસ્સીનુ વિતરણ મોરબીના ડો. બી કે લહેરૂએ પેટ્રોલ-ડીઝલ બચાવવાની વડાપ્રધાનની અપીલને ધ્યાને રાખીને કર્યો મહત્વનો નિર્ણય મોરબીના નવલખી રોડ પાસે બે યુવાનો ઉપર છરી-પાઈપ વડે હુમલો-સારવારમાં
Breaking news
Morbi Today

મોરબીના ટિંબડીના ગણેશનગરમાં રહેતા પાંચ રાજસ્થાનીઓના મકાનમાં તસ્કરના ધામા


SHARE











મોરબીના ટિંબડીના ગણેશનગરમાં રહેતા પાંચ રાજસ્થાનીઓના મકાનમાં તસ્કરના ધામા

મોરબીના ટિંબડી ગામ પાસે આવેલ ગણેશનગરમાં તસ્કરોએ ધામા નાખ્યા હતા અને એકી સાથે પાંચ બંધ મકાનમાં ચોરીની ઘટનાને અંજામ આપેલ છે જેથી કરીને સ્થાનિક લોકોએ આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરી હતી જેથી કરીને પોલી આગળની રાબેતા મુજબની કાર્યવાહી કરેલ છે
મોરબીના સિરામીક ઉદ્યોગમાં વેકેશન છે જેથી બહારથી રોજગારી માટે અહી આવેલા આને સ્થાયી થયેલા ઘણા લોકો પોતાના વતનમાં ગયેલા છે ત્યારે તેના મકાન અને દુકાનો બંધ છે દરમ્યાન તસ્કરો ચોરીની ઘટનાને અંજામ આપી રહ્યા છે તેવામાં મોરબીના ટિંબડીના ગણેશનગરમાં પાંચ મકાનમાં ચોરી કરવામાં આવી છે જેની તાલુકા પોલીસને સ્થાનિક લોકો દ્વારા જાણ કરવામાં આવી હતી અને લોકો પાસેથી મળતી માહિતી મુજબ ટ્રાન્સપોર્ટના ધંધાર્થી જીતુભાઇ, તાજારામ ચૌધરી, મહેશ ગુર્જર, બીરબલ ચૌધરી અને નરેન્દ્ર સહારન નામના પાંચ લોકોના ઘરમાં ચોરી કરવામાં આવી છે અને મકાન માલિકો હાલમાં રાજસ્થાન ગયા હોય તેને પણ ચોરીના બનાવની જાણ કરવામાં આવી છે 






Latest News