મોરબી જિલ્લા કોંગ્રેસના વર્તમાન પ્રમુખ અને મોરબી જિલ્લા પંચાયતના માજી પ્રમુખ કિશોરભાઈ ચીખલિયાનું હાર્ટ એટેકનો તીવ્ર હુમલો આવતા નિધન મોરબી: ઘુનડા ગામે સમસ્ત મચ્છુકાંઠા રબારી સમાજ યુવા સંગઠનનું સન્માન કરાયું મોરબીના ઘુંટુ ગામે પરેચા પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન મોરબીના ખાનપર ગામે આવેલ કુમાર શાળામાં ધો.૮ નાં વિદ્યાર્થીઓનો વિદાય સમારોહ યોજાયો વાંકાનેર-ઠીકરીયાળા માર્ગ પર નવા માઇનર બ્રિજનું નિર્માણ શરૂ મોરબીમાં ડો. ભીમરાવ આંબેડકરની 135 મી જન્મજયંતિ નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન મોરબીમાં વેલનાથ બાપુની પૂણ્યતીથી નીમીતે ભવ્ય શોભાયાત્રાનું આયોજન વાંકાનેર 108ની ટીમ બની 'દેવદૂત': ટેકનોલોજી-ત્વરિત નિર્ણયશક્તિથી નવજાત શિશુને આપ્યું નવજીવન
Breaking news
Morbi Today

મોરબીના માળિયા હાઇવે ઉપર ટ્રક ચાલકે ટ્રેક્ટરને હડફેટ લેતા ચારને ઈજા


SHARE











મોરબીના માળિયા હાઇવે ઉપર ટ્રક ચાલકે ટ્રેક્ટરને હડફેટ લેતા ચારને ઈજા

મોરબીના માળીયા હાઇવે ઉપર ટ્રેક્ટરને ટ્રક ચાલકે હડફેટે લેતા ટ્રેકટરમાં બેસીને જતા ચાર લોકોને ઇજાઓ થતા સારવારમાં ખસેડવામાં આવ્યા હતા.બનાવની જાણવા મળતી વિગતો મુજબ મોરબીના માળિયા હાઇવે ઉપર હીના પેટ્રોલ પંપ નજીક મોરબી-રાજકોટ બાયપાસ ઉપર વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં ટ્રક ચાલકે ટ્રેકટરને હડફેટે લેતા ટ્રેક્ટરમાં બેસીને જતા પ્રકાશ ગીધુભાઈ ભીલ (૩૫), દિનેશ ઉદયસિંહ ભીલ (૩૫), લલીતાબેન નરેશભાઈ ભીલ (૨૫) અને નરેશ કૈલાશભાઈ ભીલ (૨૫) રહે.બધા ઉંદરડી માતા મંદિર જતા રસ્તે શાંતિભાઈની વાડીએ રાજા મિનરલ વોટર નજીક માળિયા-કંડલા બાયપાસ મોરબી વાળાઓને મોરબીના સામાકાંઠે રામધન આશ્રમ સામે આવેલ શિવમ હોસ્પિટલે સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા અને બનાવને પગલે હાલમાં તાલુકા પોલીસ મથકના મનીષભાઈ બારૈયા દ્વારા નોંધ કરીને આગળની તપાસ હાથ ધરવામાં આવેલ છે.

મારામારીમાં ઈજા

મોરબીના નેશનલ હાઈવે ઉપર શક્તિ ચેમ્બર નજીક રહેતા રામબહાદુર ડીક નામના ૫૫ વર્ષના આધેડને ઈશાન ચોક લોટસ કોમ્પ્લેક્સ પાસે તેના ઘેર મારામારીના બનાવમાં ઇજાઓ થતા સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો તાલુકા પોલીસ મથકના જિજ્ઞાસાબેન કણસાગરાએ બનાવ અંગે તપાસ હાથ ધરી છે.જ્યારે મોરબીના કબીર ટેકરી વિસ્તારમાં રહેતા શાહેરાબેન દાઉદભાઈ ચાનિયા નામના ૪૪ વર્ષના મહિલા બાઇકમાં બેસીને જતા હતા ત્યારે રસ્તામાં તેઓ બાઈકમાંથી નીચે પડી જતા ઇજાઓ થવાથી શાહેરાબેનને સારવારમાં લઈ જવા આવ્યા હતા.

યુવાન સારવારમાં

મોરબીના સામાકાંઠે નજરબાગ રેલ્વે સ્ટેશન નજીક રહેતા મહેશ કાંતિભાઈ ભંખોડીયા નામના ૩૦ વર્ષના યુવાને તેના ઘેર કોઈ અગમ્ય કારણોસર એસિડ પી લેતા તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા અને બનાવને પગલે બી ડિવિઝન પોલીસ મથકના પ્રફુલભાઈ પરમાર દ્વારા તપાસ હાથ ધરવામાં આવેલ છે.જ્યારે ધાંગધ્રા પાસે આવેલ જુના ઘનશ્યામગઢ ગામે રહેતો રૂત્વિક ગીરીશભાઈ પટેલ નામનો યુવાન ધાંગધ્રાના રાજપર ગામ પાસેથી બાઈકમાં જતો હતો ત્યાં બાઇક સ્લીપ થઈ જવાના બનેલ બનાવમાં ઇજાગ્રત થયેલા ઋત્વિક પટેલને સારવાર માટે અહીંની શિવમ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.






Latest News