મોરબીમાં 42 ડિગ્રી તાપમાનમાં ફરજ બજાવતા 50 જેટલા ટ્રાફિક બ્રિગેડના જવાનો અઢી મહિનાથી પગારથી વંચિત મોરબીમાં કન્યા છાત્રાલય ખાતે સંસ્કારી સ્ત્રી-સુસંસ્કૃત સમાજ કાર્યક્રમનું આયોજન મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા લોકોને ગરમીમાં રાહત માટે પ્રેરણાદાયી કર્યા ટંકારા તાલુકામાં પી.એમ. પોષણ યોજના હેઠળ સ્ટાફની ભરતી: 26 મે સુધીમાં અરજીઓ મંગાવાઈ વાંકાનેરમાં શહેર-ગ્રામ્ય વિસ્તારના નિરાધાર વૃદ્ધ, ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ સહાય અને ગંગા સ્વરૂપા યોજનાના લાભાર્થીઓએ 30 મે સુધીમાં હયાતીની ખરાઈ કરાવવી અનિવાર્ય મોરબીમાં કાળજાળ ગરમીમાં સિરામિક કારખાનામાં શ્રમિકોને લસ્સીનુ વિતરણ મોરબીના ડો. બી કે લહેરૂએ પેટ્રોલ-ડીઝલ બચાવવાની વડાપ્રધાનની અપીલને ધ્યાને રાખીને કર્યો મહત્વનો નિર્ણય મોરબીના નવલખી રોડ પાસે બે યુવાનો ઉપર છરી-પાઈપ વડે હુમલો-સારવારમાં
Breaking news
Morbi Today

મોરબીના માળિયા હાઇવે ઉપર ટ્રક ચાલકે ટ્રેક્ટરને હડફેટ લેતા ચારને ઈજા


SHARE











મોરબીના માળિયા હાઇવે ઉપર ટ્રક ચાલકે ટ્રેક્ટરને હડફેટ લેતા ચારને ઈજા

મોરબીના માળીયા હાઇવે ઉપર ટ્રેક્ટરને ટ્રક ચાલકે હડફેટે લેતા ટ્રેકટરમાં બેસીને જતા ચાર લોકોને ઇજાઓ થતા સારવારમાં ખસેડવામાં આવ્યા હતા.બનાવની જાણવા મળતી વિગતો મુજબ મોરબીના માળિયા હાઇવે ઉપર હીના પેટ્રોલ પંપ નજીક મોરબી-રાજકોટ બાયપાસ ઉપર વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં ટ્રક ચાલકે ટ્રેકટરને હડફેટે લેતા ટ્રેક્ટરમાં બેસીને જતા પ્રકાશ ગીધુભાઈ ભીલ (૩૫), દિનેશ ઉદયસિંહ ભીલ (૩૫), લલીતાબેન નરેશભાઈ ભીલ (૨૫) અને નરેશ કૈલાશભાઈ ભીલ (૨૫) રહે.બધા ઉંદરડી માતા મંદિર જતા રસ્તે શાંતિભાઈની વાડીએ રાજા મિનરલ વોટર નજીક માળિયા-કંડલા બાયપાસ મોરબી વાળાઓને મોરબીના સામાકાંઠે રામધન આશ્રમ સામે આવેલ શિવમ હોસ્પિટલે સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા અને બનાવને પગલે હાલમાં તાલુકા પોલીસ મથકના મનીષભાઈ બારૈયા દ્વારા નોંધ કરીને આગળની તપાસ હાથ ધરવામાં આવેલ છે.

મારામારીમાં ઈજા

મોરબીના નેશનલ હાઈવે ઉપર શક્તિ ચેમ્બર નજીક રહેતા રામબહાદુર ડીક નામના ૫૫ વર્ષના આધેડને ઈશાન ચોક લોટસ કોમ્પ્લેક્સ પાસે તેના ઘેર મારામારીના બનાવમાં ઇજાઓ થતા સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો તાલુકા પોલીસ મથકના જિજ્ઞાસાબેન કણસાગરાએ બનાવ અંગે તપાસ હાથ ધરી છે.જ્યારે મોરબીના કબીર ટેકરી વિસ્તારમાં રહેતા શાહેરાબેન દાઉદભાઈ ચાનિયા નામના ૪૪ વર્ષના મહિલા બાઇકમાં બેસીને જતા હતા ત્યારે રસ્તામાં તેઓ બાઈકમાંથી નીચે પડી જતા ઇજાઓ થવાથી શાહેરાબેનને સારવારમાં લઈ જવા આવ્યા હતા.

યુવાન સારવારમાં

મોરબીના સામાકાંઠે નજરબાગ રેલ્વે સ્ટેશન નજીક રહેતા મહેશ કાંતિભાઈ ભંખોડીયા નામના ૩૦ વર્ષના યુવાને તેના ઘેર કોઈ અગમ્ય કારણોસર એસિડ પી લેતા તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા અને બનાવને પગલે બી ડિવિઝન પોલીસ મથકના પ્રફુલભાઈ પરમાર દ્વારા તપાસ હાથ ધરવામાં આવેલ છે.જ્યારે ધાંગધ્રા પાસે આવેલ જુના ઘનશ્યામગઢ ગામે રહેતો રૂત્વિક ગીરીશભાઈ પટેલ નામનો યુવાન ધાંગધ્રાના રાજપર ગામ પાસેથી બાઈકમાં જતો હતો ત્યાં બાઇક સ્લીપ થઈ જવાના બનેલ બનાવમાં ઇજાગ્રત થયેલા ઋત્વિક પટેલને સારવાર માટે અહીંની શિવમ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.






Latest News