મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળા અને માધ્યમિક શાળામાં જિલ્લા પોલીસ વડાની હાજર શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબી : ટાઈલ્સ ટ્રેડીંગનો ધંધો બરોબર ન ચાલતા દવા પીધી-સારવારમાં મોરબીમાં દારૂની જુદી-જુદી પાંચ રેડ : 36 બોટલ શરાબ પકડતી પોલીસ વાંકાનેરમાં વધુ એક બાયપાસ બનતા જીનપરા જકાતનાકે વાહનોનું ભારણ ઘટશે, કોરોના પહેલાની બંધ કરાયેલ લોકલ ટ્રેન ફરી શરૂ કરવા રજૂઆત: પત્રકાર પરિષદમાં સાંસદ કેસરીદેવસિંહ ઝાલાએ આપી માહિતી મોરબીમાં છેલ્લા 15 વર્ષથી શિક્ષણ સેવા ક્ષેત્રે અનોખું યોગદાન : મદની સરકાર એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા 120 થી વધુ વિદ્યાર્થીઓને શિક્ષણ કીટનું વિતરણ મોરબી: અપહરણ-પોકસોના કેસમાં ગુજરાત હાઇકોર્ટે આરોપીનો જામીન ઉપર છુટકારો કર્યો ચેક રીર્ટનના કેસમાં બે વર્ષની સાદી કેદની સજા અને ૪,૧૫,૦૦૦ નો દંડ તથા વ્યાજ સહિત ચુકવવાનો હુકમ કરતી મોરબી કોર્ટ મોરબીના જેતપર ગામે આજે ઉપવાસી છાવણી ખાતે રક્તદાન કેમ્પ યોજાશે: ખેડૂતો વીજ કંપની સામે આક્રોશ સાથે રક્તદાન કરવા ઉમટી પડ્યા
Breaking news
Morbi Today

મોરબીમાં ઊડતી ધૂળની ડમરી મંત્રી બ્રિજેશભાઇ મેરજાને કેમ દેખાતી નથી !: રમેશભાઈ રબારી


SHARE











મોરબીમાં ઊડતી ધૂળની ડમરી મંત્રી બ્રિજેશભાઇ મેરજાને કેમ દેખાતી નથી !: રમેશભાઈ રબારી

સૌરાષ્ટ્રનું એક વખતનુ પેરિસ કહેવાતું મોરબી આજે ભાજપ શાસિત નગરપાલિકાએ નર્કાગાર સમાન બનાવી દીધું છે અને ચોમેર રસ્તા તૂટેલા હોવાથી સતત ધૂળની ડમરીઓના કારણે લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે જેથી કરીને મોરબી ઘૂળ્યું નગર બની ગયું છે તે કેમ મંત્રીને દેખાતું નથી તેવો અણીદાર સવાલ કોંગ્રેસનાં આગેવાને કર્યો છે

મોરબી શહેરની હાલત જોઈને હવે તો લોકો રાજ્યના મંત્રી બ્રિજેશભાઇ મેરજા અને નગરપાલિકાની કામગીરી સામે સવાલ ઉઠાવે છે તેવું મોરબીમાં રહેતા કોંગ્રેસનાં આગેવાન રમેશભાઈ રબારીએ જણાવ્યુ છે તેઓએ કહ્યું છે કે, હાલમાં શહેરનો એક પણ રસ્તા ચાલવા લાયક નથી !, જ્યાં જુઓ ત્યાં ખાડા ટેકરા અને અઘુરામાં પૂરું ખાડા બુરવાનુ કામ કરવામાં આવે છે તેમાં પણ ખાલી ઘૂળ નાખી ખાડા બુરવામાં આવે છે જેથી કરીને શહેરના દરેક માર્ગ ઉપર સતત ધૂળની બારીક રજકણો જે લોકોના સ્વસ્થ્યને ભયંકર નુક્ષના કરે છે તે ઊડતી હોય છે ત્યારે એસી ગાડીમાં કાચ બંધ રાખીને નીકળતા મંત્રી સહિતના પદાધિકારીઓ અને અધિકારીઓએ જો શહેરના માર્ગો ઉપરથી ચાલીને નીકળે તો તેને ખ્યાલ આવે કે હાલમાં લોકોને કેટલી હેરાગતિ છે શહેરમાં ઘૂળ ઉડવાના કારણે વેપાર ઘઘાં કરતા વેપારી તેમની દુકાનમાં બેસી શકતા નથી અને જે લોકોને શ્વાસની કે ફેફસાંની બ્ર્મરી હોય તેના માટે આ ઊડતી ડમરીઓ જીવલેણ સાબિત થાય તેમ છે તેથી મોરબીના લોકોના આરોગ્યની ચિંતા હોય તો તાત્કાલિક ઘૂળ ઊડતી બંધ કરવા માટેની નક્કર કામગીરી કરવામાં આવે તેવી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ માલધારી સેલના પૂર્વ  ઉપપ્રમુખ રમેશભાઈ રબારીએ માંગ કરેલ છે

 






Latest News