મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના ખાખરાળા તાલુકા શાળામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના મકનસર ગામે વિચરતી-વિમુક્ત જાતિના ૫૪ લાભાર્થીઓને રહેણાંક પ્લોટ કબજો સોંપાયો મોરબી તાલુકામાંથી સગીરાનું લગ્નની લાલચે અપહરણ કરીને દુષ્કર્મ આચરનારા શખ્સને 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબીમાં માસૂમ બાળક રાહ ભટકે તે પૂર્વે સંસ્થાઓ વ્હારે આવી, ગુમ બાળકનું પરિવાર સાથે મિલન મોરબી જેતપર ગામના ખેડૂતની માંગણી સરકાર એક બેઠકમાં ન ઉકેલે તો હું પણ ઉપવાસી છાવણીમાં ખેડૂતો સાથે બેસી જઈશ: હકાભા ગઢવી મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનનું નિરાકરણ લાવવા ગોર ખીજડીયાના સરપંચે PM ને લખ્યો પત્ર મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળા અને માધ્યમિક શાળામાં જિલ્લા પોલીસ વડાની હાજર શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં ખેડૂતોને પાક સંગ્રહ સ્ટ્રકચર યોજના હેઠળ ૬૭.૫ લાખની સહાય અપાઇ


SHARE











મોરબી જિલ્લામાં ખેડૂતોને પાક સંગ્રહ સ્ટ્રકચર યોજના હેઠળ ૬૭.૫ લાખની સહાય અપાઇ

સરકાર દ્વારા ખેડુતોની આવક બમણી કરવા અનેક યોજનાઓ હેઠળ ખેડુતોને વિવિધ સહાય આપવામાં આવી રહી છે. કિસાન કલ્યાણની વિવિધ યોજના થકી સરકાર હંમેશા ખેડુતોના પડખે જ ઉભી છે.

આવી જ એક કિસાન કલ્યાણની યોજના એટલે ખેડુત મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રકચર યોજના. આ યોજના હેઠળ ખેડુતોને તેમના પાકના સંવર્ધન માટે ગોડાઉન બનાવવા માટે સહાય આપવામાં આવે છે. મોરબી જિલ્લામાં ખેતીવાડી વિભાગ દ્વારા ગત વર્ષે ૧૩૫ મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રકચર યોજના હેઠળ રૂ. ૬૭,૫૦,૦૦૦ ની ખેડૂતોને સહાય આપવામાં આવી છે તથા ચાલુ વર્ષે ૨૬૦ પાક સંગ્રહ સ્ટ્રકચરનો લક્ષ્યાંક રાખી ખેડુતોને સહાય આપવામાં આવી રહી છે.

આ બાબતે જિલ્લા ખેતીવાડી અધિકારી વિક્રમસિંહ ચૌહાણે જણાવ્યું હતુ કે, રાજ્યના દરેક વર્ગના ખેડૂતોને કૃષિ પેદાશોના સારા ઉત્પાદન મળવા છતા કમોસમી વરસાદ, વાવાઝોડુ, અતિવૃષ્ટિ તેમજ અન્ય પરિબળોથી ઉત્પાદનની ગુણવતા પર માઠી અસર થાય છે તેમજ લાંબા સમય સુધી પાક સંગ્રહ માટેની યોગ્ય વ્યવસ્થા ન હોવાના કારણે પાકનો બગાડ થાય છે. પાક ઉત્પાદન બચાવવા માટે રાજયના ખેડૂતોને ખેત પેદાશોના સંગ્રહની સગવડ મળી રહે તે માટે સરકાર દ્વારા આ યોજના અમલી બનાવવામાં આવી છે.

જે થકી ગોડાઉન મળવાથી પાક ઉત્પાદનને લાંબા સમય સુધી સુરક્ષીત રાખી શકાય છે અને ખેડૂતોને સુરક્ષીત પાક સંગ્રહ ગોડાઉન ઉપલબ્ધ થવાથી ખેત પેદાશોની ગુણવતા જળવાઈ રહે અને યોગ્ય સમયે વેચાણ કરવાથી ખેડૂતોને આર્થિક ફાયદો થાય છે અને પરિણામે ખેતી વધુ નફાકારક બને છે. આ યોજનાનો લાભ લેવા માટે રાજય સરકાર દ્વારા આઈ ખેડૂત પોર્ટલ ઉપર અરજીઓ મેળવવાનું ચાલુ હોય તે સમયગાળામાં ખેડૂતે આઈ-ખેડૂત પોર્ટલ ઉપર અરજી કરવાની રહે છે.

આ યોજના હેઠળ ન્યૂનતમ ૩૩૦ ચોરસ ફૂટ વિસ્તારનું સ્ટ્રકચર બનાવવાનું રહે છે. સ્ટ્રકચરના છતની મધ્ય (મોભ) ઊંચાઈ ૧૨ ફૂટ, જ્યારે ન્યૂનતમ/લઘુતમ પાયો (ફાઊન્ડેશન) જમીનથી ૨ ફૂટ ઊંડાઈથી વધુ અને જમીનથી ૨ ફૂટ ઊંચાઈએ પ્લિન્થ તૈયાર કરવાની રહે છે. આ યોજના હેઠળ નાના, સીમાંત અને મહિલા ખેડૂતને  રૂ. ૭૫,૦૦૦/- તેમજ અન્ય ખેડૂતને રૂ. ૫૦,૦૦૦ ની સહાય આપવામાં આવે છે.






Latest News