મોરબીના સામાકાંઠે રહેતા યુવાનનું કોઈ કારણોસર મોત, વિશેરા લઈ મોતનું કારણ જાણવા તજવીજ શરૂ; યુવાન ઉપર છરી વડે હુમલો કરવાના બનાવમાં ચાર ની ધરપકડ બેધારી નીતિ: મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનના પ્રચાર પ્રસાર માટે બનાવેલ વોટ્સએપ ગ્રુપનું એકાઉન્ટ વારંવાર સસ્પેન્ડ !  મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે ભૂગર્ભ વાયરનું કામ યોગ્ય રીતે કરવા શહેર કોંગ્રેસ પ્રમુખની રજૂઆત વાંકાનેર પંથકમાં ખનીજ માફિયા ઉપર પોલીસની ધોંસ: 1 કરોડથી વધુનો મુદામાલ જપ્ત મોરબી જિલ્લાની મહિલાઓને ફળ-શાકભાજી પરિરક્ષણ માટે ખાસ તાલીમ અપાશે: અરજીઓ મંગાવાઇ મોરબી જિલ્લામાં બાગાયતદાર ખેડૂતો સહાયલક્ષી યોજનાઓ માટે આઇ-ખેડુત પોર્ટલ પર અરજી કરી શકશે સેવાની જ્યોત: મોરબીમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા વૃધ્ધાશ્રમમાં વડીલોને ભોજન કરાવમાં આવ્યું મોરબીના પ્રથમ ટ્રસ્ટ આધારિત ફિઝિયોથેરાપી ક્લિનિકનો એક વર્ષમાં 3000 દર્દીઓએ લાભ લીધો
Breaking news
Morbi Today

આવતીકાલે વાંકાનેર બંધનું એલાન હાલ પૂરતું મોકૂફ


SHARE











આવતીકાલે વાંકાનેર બંધનું એલાન હાલ પૂરતું મોકૂફ

ગણેશ ઉત્સવના ગ્રાઉન્ડ મુદ્દે જીતુભાઈ સોમાણી દ્વારા છેલ્લા સાત દિવસના ઉપવાસ આંદોલન અનુસંધાને ગઈકાલે શનિવારના રોજ રાત્રે ઉપવાસ છાવણી ખાતે મળેલ મિટિંગમાં ચેમ્બર ઓફ કોમર્સ, વેપારી એસોસિએશન, સામાજીક સંસ્થાઓ તેમજ સામાજિક અગ્રણીઓની હાજરીમાં મળી હતી જેમાં સોમવારે વાંકાનેર બંધનું એલાન આપવામાં આવ્યું હતું

હાલ પૂરતું સામાજીક અગ્રણી પ્રદીપસિંહ (પી.ટી.) રાણાના કહેવા પ્રમાણે તેઓ પર વિશ્વાસ મૂકી આ ગ્રાઉન્ડની મંજૂરી સોમવાર ૨૯-૮-૨૦૨૨ ના રોજ મળી જશે. જેથી પી.ટી રાણા દ્વારા ખાતરી આપ્યા બાદ સોમવારના રોજ બંધનું એલાન હાલ પૂરતું મોકૂફ રાખવામાં આવ્યું છે. તેમજ જીતુભાઈ સોમાણી દ્વારા વધુમાં જણાવ્યા મુજબ ઉપવાસ આંદોલન મંજૂરી ન મળે ત્યાં સુધી ચાલુ રહેશે ફક્ત ગામ બંધનું એલાન જ હાલ પૂરતું મોકૂફ રાખવામાં આવ્યું છે ઉપવાસ આંદોલન મંજૂરી મળ્યા બાદ જ પારણા કરી પુરૂ કરવામાં આવશે તેવુ જીતુભાઇ સોમાણીએ જણાવ્યુ છે






Latest News