મોરબીના સામાકાંઠે રહેતા યુવાનનું કોઈ કારણોસર મોત, વિશેરા લઈ મોતનું કારણ જાણવા તજવીજ શરૂ; યુવાન ઉપર છરી વડે હુમલો કરવાના બનાવમાં ચાર ની ધરપકડ બેધારી નીતિ: મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનના પ્રચાર પ્રસાર માટે બનાવેલ વોટ્સએપ ગ્રુપનું એકાઉન્ટ વારંવાર સસ્પેન્ડ !  મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે ભૂગર્ભ વાયરનું કામ યોગ્ય રીતે કરવા શહેર કોંગ્રેસ પ્રમુખની રજૂઆત વાંકાનેર પંથકમાં ખનીજ માફિયા ઉપર પોલીસની ધોંસ: 1 કરોડથી વધુનો મુદામાલ જપ્ત મોરબી જિલ્લાની મહિલાઓને ફળ-શાકભાજી પરિરક્ષણ માટે ખાસ તાલીમ અપાશે: અરજીઓ મંગાવાઇ મોરબી જિલ્લામાં બાગાયતદાર ખેડૂતો સહાયલક્ષી યોજનાઓ માટે આઇ-ખેડુત પોર્ટલ પર અરજી કરી શકશે સેવાની જ્યોત: મોરબીમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા વૃધ્ધાશ્રમમાં વડીલોને ભોજન કરાવમાં આવ્યું મોરબીના પ્રથમ ટ્રસ્ટ આધારિત ફિઝિયોથેરાપી ક્લિનિકનો એક વર્ષમાં 3000 દર્દીઓએ લાભ લીધો
Breaking news
Morbi Today

હળવદ નજીક કેનાલમાં પાણી પીવા જતાં મોત મળ્યું !


SHARE











હળવદ નજીક કેનાલમાં પાણી પીવા જતાં મોત મળ્યું !

હળવદ તાલુકાના સરંભડા ગામની સીમમાંથી પસાર થતી નર્મદાની કેનાલમાં પાણી પીવા જતા પગ લપસી જવાથી યુવાન કેનાલમાં પડી ગયો હતો અને પાણીમાં ડૂબી જવાના કારણે તેનું કેનાલના પાણીમાં મોત નીપજયું હતું જેથી કેનાલમાંથી તેની બોડીને બહાર કાઢીને પીએમ માટે હળવદની હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવી હતી અને અકસ્મત મૃત્યુના બનાવની હળવદ તાલુકા પોલીસની જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી

હળવદ તાલુકાના રણછોડગઢ ગામે રહેતા માધાભાઈ રામસિંગભાઈ થરેસા જાતે કોળી (ઉમર ૪૩) ગત તા. ૨૬/૮ ના બપોરના દોઢેક વાગ્યાના અરસામાં હળવદ તાલુકાના સરંભડા ગામની સીમમાંથી પસાર થતી નર્મદાની કેનાલમાં પાણી પીવા માટે ગયા હતા ત્યારે અકસ્માતે તેનો પગ લપસી જતા તે કેનાલના પાણીમાં પડી ગયા હતા જેથી કરીને તેની શોધખોળ કરવામાં આવી રહી હતી દરમિયાન તેનો મૃતદેહ નર્મદાની કેનાલમાંથી મળી આવતા પાણીમાંથી બહાર કાઢીને તે મૃતદેહને પીએમ માટે હળવદની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને ત્યારબાદ અકસ્માત મૃત્યુના બનાવની હળવદ તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી

ત્રણ બોટલ દારૂ

મોરબીના સામાકાંઠા વિસ્તારમાં ઉમા ટાઉનશીપ પાસે આવેલ અનંતનગરના ગેટ પાસેથી પસાર થઈ રહેલા શખ્સને રોકીને પોલીસ ચેક કરતા તેની પાસેથી દારૂની ત્રણ બોટલો મળી આવી હોય પોલીસે ૧૧૨૫ ની કિંમતનો દારૂનો જથ્થો કબજે કરીને દિવ્યરાજસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા જાતે દરબાર (ઉંમર ૨૩) રહે. અનતનગર શેરી નં-૨ બ્લોક નંબર ૨૩ વાળાની ધરપકડ કરેલ છે અને તેની પાસેથી મળી આવેલ દારૂની બોટલો તે ક્યાંથી લાવ્યો હતો તે દિશામાં તપાસ શરૂ કરવામાં આવી છે






Latest News