મોરબીના સામાકાંઠે રહેતા યુવાનનું કોઈ કારણોસર મોત, વિશેરા લઈ મોતનું કારણ જાણવા તજવીજ શરૂ; યુવાન ઉપર છરી વડે હુમલો કરવાના બનાવમાં ચાર ની ધરપકડ બેધારી નીતિ: મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનના પ્રચાર પ્રસાર માટે બનાવેલ વોટ્સએપ ગ્રુપનું એકાઉન્ટ વારંવાર સસ્પેન્ડ !  મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે ભૂગર્ભ વાયરનું કામ યોગ્ય રીતે કરવા શહેર કોંગ્રેસ પ્રમુખની રજૂઆત વાંકાનેર પંથકમાં ખનીજ માફિયા ઉપર પોલીસની ધોંસ: 1 કરોડથી વધુનો મુદામાલ જપ્ત મોરબી જિલ્લાની મહિલાઓને ફળ-શાકભાજી પરિરક્ષણ માટે ખાસ તાલીમ અપાશે: અરજીઓ મંગાવાઇ મોરબી જિલ્લામાં બાગાયતદાર ખેડૂતો સહાયલક્ષી યોજનાઓ માટે આઇ-ખેડુત પોર્ટલ પર અરજી કરી શકશે સેવાની જ્યોત: મોરબીમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા વૃધ્ધાશ્રમમાં વડીલોને ભોજન કરાવમાં આવ્યું મોરબીના પ્રથમ ટ્રસ્ટ આધારિત ફિઝિયોથેરાપી ક્લિનિકનો એક વર્ષમાં 3000 દર્દીઓએ લાભ લીધો
Breaking news
Morbi Today

મોરબીના પીપળી રોડે કારખાનામાં ફેકટરીમાં ખુલ્લી તલવાર સાથે કોન્ટ્રાક્ટરનો આંતક


SHARE











મોરબીના પીપળી રોડે કારખાનામાં ફેકટરીમાં ખુલ્લી તલવાર સાથે કોન્ટ્રાક્ટરનો આંતક

મોરબીના પીપળી રોડ ઉપર આવેલ સ્પેન્ટાગોન કારખાનામાં કોન્ટ્રાક્ટરને હિસાબ કરી છૂટો કરી દેવામાં આવ્યો હતો જેથી કરીને કોન્ટ્રાક્ટર કારખાનામાં ખુલ્લી તલવાર સાથે આવ્યો હતો અને કારખાનાના માલિકને માર માર્યો હતો જેથી કરીને મોરબી સિરમાઈક એસો.ના પ્રમુખ સહિતના આગેવાનો ત્યાં દોડી ગયા હતા અને મોરબી તાલુકા પોલીસે બન્ને લુખ્ખાઓને ઝડપી લીધા હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે

મોરબીના પીપળી રોડે આવેલ સ્પેન્ટાગોન સિરામિક કારખાનામાં કોન્ટ્રાકટ રાખનાર કોન્ટ્રાક્ટર રણબીર જાટ, રહે. પાવડીયારી વાળાને કારખાનામાંથી છૂટો કરી દેવામાં આવ્યો હતો જેથી કરીને રોષે ભરાયેલા કોન્ટ્રાકટરે કારખાનામાં ખુલ્લી તલવાર સાથે આંતક મચાવ્યો હતો અને કારખાનના સંચાલક પિન્ટુભાઈ નરભેરામભાઈ બારૈયાને માર માર્યો હતો. જેથી કરીને ૧૫૦ જેટલા સિરામિક ઉદ્યોગકારો ત્યાં પહોચ્યા હતા અને બનાવની ગંભીરતાને ધ્યાને લઈને રાજયમંત્રી બ્રિજેશભાઈ મેરજાએ લુખ્ખાગીરી કોઈ પણ ભોગે ચલાવી લેવાય નહીં તેવું એસપીને કહ્યું છે અને કડક પગલા ભરવા સૂચના આપી છે આ ઘટના બાદ મોરબી સિરામિક એસો.ના પ્રમુખ મુકેશભાઇ કુંડારિયા અને અન્ય હોદેદારો તેમજ કારખાનેદારો તાલુકા પોલીસ સ્ટેશને દોડી આવ્યા હતા. અને તાલુકા પોલીસે કારખાનામાં આતંક મચાવનારા રણબીર જાટ સહિત બે શખ્સને દબોચી લીધેલ છે અને હાલમાં ભોગ બનેલા પિન્ટુભાઈ નરભેરામભાઈ બારૈયાની ફરિયાદ લેવા માટે તજવીજ ચાલુ છે 






Latest News