મોરબીમાં આવેલ ગજાનંદ એપાર્ટમેન્ટના ફ્લેટમાં જુગાર રમતા પાંચ શખ્સો 2.62 લાખની રોકડ સાથે ઝડપાયા મોરબીના સીરામીક ઉદ્યોગમાં પાઇપલાઇન મારફતે ગેસ સપ્લાય કરતી બે કંપનીના ભાવમાં જમીન આસમાનનો તફાવત !, ઉદ્યોગકારોની મૂંઝવણમાં સતત વધારો: હાલમાં ઉદ્યોગકારો એમજીઓ કરાર ન કરે તેવા સંકેત મોરબીમાં વ્યાજે લીધેલા 2.40 લાખ સામે 7.67 લાખ ચૂકવી દીધા છતાં ગીરવે મુકેલા દાગીના અને કોરા ચેક પાછા નહીં આપતા દંપતી સામે ગુનો નોંધાયો ભારે કરી: મોરબીમાં બાઈક વ્યવસ્થિત રાખવાનું કહેતા નિવૃત્ત પોલીસ કર્મચારીને ઝાપટ મારીને ગાળો આપી છરી મારવાનો પ્રયાસ મોરબીમાં બાઈક ચાલકે હડફેટે લેતા ઇજા પામેલ 12 વર્ષના બાળકનું મોત મોરબીમાં વેપાર માટે યુવાને વ્યાજે લીધેલા 5 લાખ સામે 7.90 લાખ ચૂકવ્યા છતાં બે શખ્સો દ્વારા પઠાણી ઉઘરાણી, મારી નાખવાની ધમકી હળવદના માથક ગામે રહેતા યુવાને અગાઉ કરેલ ફરિયાદ પાછી ખેંચી લેવા માટે ફોન ઉપર ગાળો આપીને ઠામ પતાવી દેવાની ધમકી મોરબીમાં જુદી જુદી બે જગ્યાએથી દારૂની 17 બોટલ સાથે ત્રણ શખ્સો પકડાયા, ત્રણ ની શોધખોળ
Breaking news
Morbi Today

મોરબીમાં પર્યુષણ સમયે વોર્ડ નં-૩ માં દેરાસર પાસે વરસાદી-ગટરના પાણીનો ભરાવો થતાં જૈનોમાં કચવાટ: મહેશ રાજ્યગુરુ


SHARE











મોરબીમાં પર્યુષણ સમયે વોર્ડ નં-૩ માં દેરાસર પાસે વરસાદી-ગટરના પાણીનો ભરાવો થતાં જૈનોમાં કચવાટ: મહેશ રાજ્યગુરુ

મોરબી નગરપાલિકા વોર્ડ નં-૩ દેરાસર આવેલ છે ત્યાં પર્યુષણ પર્વમાં દરેક જૈનો પરિવાર સાથે જતાં હોય છે જો કે, પાલિકાના ઉપપ્રમુખ જે વિસ્તારમાં રહે છે ત્યાં જ દેરાસર પાસે વરસાદી અને ગટરના પાણી ભરાયેલા છે તો પણ પાલિકાના ઉપપ્રમુખ સહિતના ચારેય ભાજપના સદસ્યો દ્વારા તેનો નિકાલ કરવામાં આવતો નથી જેથી જૈનોમાં કચવાતની લાગણી છે અને મોરબી જિલ્લા કોંગ્રેસનાં મહામંત્રી દ્વારા વહેલી તકે આ પ્રશ્નને ઉકેલવા માટેની માંગ કરવામાં આવી છે

હાલ જૈન ધર્મના લોકોનો પ્રજુષણનું પર્વ પણ શરૂ થઈ ગયું છે અને જેથી જૈન પરિવારો દેરાસરમાં ભગવાનનું પૂજન અર્ચન કરવા માટે જતાં હોય છે ત્યારે મોરબીના વોર્ડ નંબર ૩ માં વરસાદી પાણીના નિકાલના અભાવે જૈન દેરાસરની આસપાસ અને  અરુણોદયનગર પાસે પાણી ભરાઈ ગયેલા છે અને વરસાદી પાણીની સાથોસાથ ગટરના પાણી પણ ત્યાં રોડ ઉપર આવી ગયા છે જેથી કરીને જૈન સમાજના લોકોને ગંદકીમાંથી પસાર થઈને દેવ દર્શન માટે કેવી રીતે જવું તે સૌથી મોટો સવાલ છે

મોરબી જિલ્લા કોંગ્રેસનાં મહામંત્રી મહેશભાઇ રાજ્યગુરુ દ્વારા જૈન દેરાસર પાસે જે પાણી ભરાયેલ છે તેનો તાત્કાલિક નિકાલ કરવાની માંગ કરવામાં આવી છે અને વધુમાં તેમણે કહ્યું હતું કે પાલિકાના ઉપપ્રમુખ સહિતના ચઅરે સભ્યો ભાજપના છે તો પણ જૈન ધર્મના પવિત્ર પર્યુષણ સમયે લોકોને ગંદકીમાંથી દેરાસરે જવું પડે તેવી પરિસ્થિતી છે જેથી કરીને જૈન સમાજની લાગણી દુભાઈ રહી છે જેથી કરીને લોકોના આ પ્રશ્નનું વહેલી તકે નિરાકરણ લાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે વધુમાં તેમણે કહ્યું છે જે જે જગ્યાએથિ આ પાણીનો નિકાલ હતો ત્યાં ઉમા ટાઉનશીપને પાણી પૂરું પાડતી ટાંકી બનાવેલ છે જેથી કરીને પાણીનો નિકાલ બંધ થઈ ગયો છે અને હવે નવેસરથી પાણીનો નિકાલ કરવા માટેની કામગીરી કરવાની તાતી જરૂર છે






Latest News