મોરબીમાં અકસ્માતમાં મૃત્યુ પામેલ ખેડૂતની પત્નીને ગ્રાહક સુરક્ષા મંડળે ૧૦ લાખ અપાવ્યા
SHARE
મોરબીમાં અકસ્માતમાં મૃત્યુ પામેલ ખેડૂતની પત્નીને ગ્રાહક સુરક્ષા મંડળે ૧૦ લાખ અપાવ્યા
મોરબીમાં પતિના મોત બાદ તેની પત્નીને વીમા કંપની અને ડિસ્ટ્રિક્ટર બેન્ક દ્વારા વળતર આપવાની મનાઈ ફરમાવવામાં આવી હતી. જેથી કરીને ગ્રાહક સુરક્ષા મંડળે ભોગ બનનાર પરિવારનો સંપર્ક કર્યો હતો અને ગ્રાહક તકરાર નિવારણ કમિશનમાં ફરિયાદ દાખલ કરીને હતી જ કેસ ચાલી જતાં મહિલાને ૧૦ લાખનું વળતર આપવામાં આવ્યું છે
મોરબી જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઇ મહેતાએ જણાવ્યુ છે કે, મોરબીના ગોરખીજડીયા ગામના રહેવાસી ખાતેદાર ખેડૂત હમીરભાઇનું અકસ્માતે મૃત્યુ થયું હતું. અને ચોલા મંડલમ્ જનરલ ઇન્સ્યુરન્સ તથા રાજકોટ ડીસ્ટ્રીકટ કો. ઓપરેટી બેંક દ્વારા તેના પરિવારજનોને વળતરમાં આપવાની થતી રકમ આપવામાં આવી ન હતી જેથી જેપુરના મંત્રી અમીતભાઇ પાસેથી જાણકારી મેળવીને તેઓએ ગ્રાહક તકરાર નિવારણ કમિશનમાં ચોલા મંડલમ્ જનરલ ઇન્સ્યુરન્સ તથા રાજકોટ ડીસ્ટ્રીકટ કો. બેંક વિરુદ્ધ ફરિયાદ કરી હતી જે કેસ ચાલુ જતાં મૃતક હમીરભાઇનો ચોલા મંડલમ્ જનરલ ઇન્સ્યુરન્સમાં વીમો ચાલતો હતો અને મૃતકના ધર્મપત્ની દેવુબેને બેંકના સભાસદ હોય મંડળીમાંથી ધીરાણ મેળવેલ છે જેથી બે પોલીસી હોય બંને પાસેથી પાંચ-પાંચ લાખના બે દાવા કરવામાં આવ્યા હતા જેમાં ચોલા મંડલમ્ જનરલ ઇન્સ્યુરન્સને મરણનારના ધર્મ પત્ની દેવુબેન કલોતરાને દશ લાખ રૂપિયા કેસ દાખલો થયો ત્યારથી નવ ટકા વ્યાજ અને દશ હજાર ખર્ચના ચુકવવાનો હુકમ કર્યો છે









