મોરબી મનપા દ્વારા ડોગ સેલ્ટર બનાવવાની કામગીરી ચાલુ, વેક્સિનેશન પણ શરૂ કરાશે મોરબીના સરદાર રોડ, શનાળા રોડ સહિતના વિસ્તારોમાંથી ગેરકાયદે દબાણો દુર કરાયા મોરબી મહાનગરપાલિકા આશ્રયગૃહ ખાતે આશ્રીતો માટે ઈ-નિર્માણ યોજના કેમ્પ યોજાયો મોરબીના પંચાસર રોડે 300 મકાનનું ડિમોલેશન કરતાં પહેલા સ્થાનિકોને વૈકલ્પિક વ્યવસ્થા આપવાની માંગ: કમિશનરને આવેદન પાઠવ્યું હળવદ તાલુકામાં સગીરા સાથે દુષ્કર્મના કેસમાં આરોપીને 20 વર્ષની સખ્ત કેદની સજા, 25000 નો દંડ મોરબીની એલ.ઈ.કોલેજ (ડિપ્લોમા) ખાતે ૧૪ અને ૨૧ મે ના રોજ  કારકીર્દી માર્ગદર્શન સેમિનાર યોજાશે મોરબી : બિયારણ, ખાતર તથા જંતુનાશક દવાઓની ખરીદી કરવા માર્ગદર્શિકા જાહેર કરાઈ આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી દ્વારા ઉનાળા વેકેશન સ્પેશ્યલ રજામાં મજા સમર વેકેશન સ્પેશ્યલ વર્કશોપ
Breaking news
Morbi Today

વાંકાનેરમાં પાટીદાર સેવા સમાજની અદ્યતન વાડી નિર્માણનાં દાતાઓનો સન્માન સમારોહ યોજાયો


SHARE













વાંકાનેરમાં પાટીદાર સેવા સમાજની અદ્યતન વાડી નિર્માણનાં દાતાઓનો સન્માન સમારોહ યોજાયો

સ્વાતંત્ર્ય પર્વની સંધ્યાએ વાંકાનેર પાટીદાર સેવા સમાજની અદ્યતન વાડીનાં નિર્માણમાં આર્થીક અનુદાન આપનાર દાતાઓનો સન્માન સમારોહ કોરોના ગાઈડ લાઈનને ધ્યાનમાં રાખીને યોજવામાં આવ્યો હતો વાંકાનેરનાં મિલપ્લોટ વિસ્તારનાં મુખ્ય માર્ગ પર ૨૦૦૮ માં ૨૫૦૦ વાર જેટલી વિશાળ જગ્યામાં પાટીદાર સેવા સમાજની વાતાનુકૂલિત અદ્યતન વાડીનું લાખોની માતબર રકમનાં ખર્ચે નિર્માણ કરવામાં આવ્યું હતુંસમયાંતરે આ વાડીમાં યોગદાન આપનાર દાતાઓનો સન્માન કાર્યક્રમ સ્વાતંત્ર્ય દિનની સંધ્યાએ જ્ઞાતિની વાડીમાં કોરોના ગાઈડ લાઈન ધ્યાનમાં રાખીને રાખવામા આવ્યો હતો જેમાં વાંકાનેર પાટીદાર સેવા સમાજનાં પ્રમુખ  તથા વાંકાનેર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી પ્રમુખ અગ્રણી ઉદ્યોગપતિ પ્રગ્નેશભાઈ પટેલ(જસદણ સિરામિક ગ્રૂપ), પ્રમુખ સ્થાને ખાસ ઉપસ્થિત રહેલ સીદસર ઉમિયા મંદિરનાં પ્રમુખ અગ્રણી જેરામભાઈ વાંસજાળીયાવેલજીભાઈ પટેલ(બોસ સિરામિક-મોરબી)પોપટભાઈ કગથરાટી. ડી. પટેલરામજીભાઈ પનારા, બેચરભાઈ પટેલઘનશ્યામભાઈ ઢોલરીયાપંચાણભાઈ ભૂતજયંતિભાઈ પડસુમબીયા, જયંતીભાઈ રાનીપા અને કારોબારી સહિત વાંકાનેર મોરબીનાં પાટીદાર ઉદ્યોગપતિઓ હાજર રહ્યા હતાં અને આગેવાનોના હસ્તે દાતાઓનું મોમેન્ટ અર્પણ કરી અદકેરું સન્માન કરવામાં આવ્યું હતું,






Latest News