મોરબીની સિવિલ હોસ્પિટલના પાર્કિંગમાંથી બાઈકની ચોરી કરનાર રાજકોટનો ઇસમ પકડાયો
મોરબી માર્કેટીંગ યાર્ડમાં ૨૧ ઓગસ્ટ સુધી હરરાજી બંધ
SHARE
મોરબી માર્કેટીંગ યાર્ડમાં ૨૧ ઓગસ્ટ સુધી હરરાજી બંધ
મોરબીના માર્કેટીંગ યાર્ડમાં તહેવારોની રજા અનવયે તા.૧૫ થી ૨૧ ઓગસ્ટ સુધી હરરાજી બંધ રહેશે.મોરબી માર્કેટીંગ યાર્ડ દ્વારા એજન્ટભાઇઓ, વેપારીભાઇઓ તથા ખેડૂતભાઇઓને જાહેર જાણ કરવામાં આવેલ છે કે, તા.૧૫ મી ઓગસ્ટથી લઇને આગામી તા.૨૧ મી ઓગસ્ટ સુધી સાતમ-આઠમના તહેવાર હોવાના લીધે અનાજ વિભાગમાં રજા જાહેર કરવામાં આવેલ છે.માલની આવક તથા હરરાજીનું તમામ કામકાજ આ સમય દરમિયાન બંધ રહેશે જેની લાગતાવળગતા સર્વેએ નોંધ લેવી તેવી અપીલ કરવામાં આવેલ છે અને આગામી તા.૨૨ ને સોમવારથી રાબેતા મુજબ અનાજ વિભાગમાં હરરાજી શરૂ કરવામાં આવશે તેમ યાર્ડ દ્રારા યાદીમાં જણાવવામાં આવેલ છે.