મોરબીના બાયપાસ રોડ ઉપરથી 10 જેટલા કાચા પાકા દબાણોને મનપાની ટીમે તોડી પાડ્યા મોરબીમાં ઘરેલુ હિંસાથી પીડિત સગર્ભા મહિલાને અજુગતુ પગલુ ભરતા બચાવતી 181 અભયમ ટીમ વાંકાનેરમાં મંદિરના નવનિર્માણના નામે જુદાજુદા બે લક્કી ડ્રોની ટિકિટોનું વેચાણ કરતો એજન્ટ પકડાયો: 13 સામે ગુનો નોંધાયો મોરબીના નીચી માંડલ પાસે રોડ ક્રોસ કરતાં યુવાનને ડમ્પર ચાલકે હડફેટે લેતા પગમાં 3 ફ્રેકચર: વાંકાનેરમાં જુગાર રમતા ચાર પકડાયા ટંકારાના સાવડી ગામ પાસે બાઇક ચાલકે સાયકલને ટક્કર મારતા ઇજા પામેલા આધેડનું સારવારમાં મોત વાંકાનેર-માળીયા તાલુકા અને મોરબી શહેરમાં વિદેશી દારૂની 4 રેડ: દારૂની નાની મોટી 30 બોટલ કબ્જે માળીયા (મી)ના નવલખી પોર્ટ ખાતે કાકા સાથે રહેતા સગીરને બે દિવસ પછી રાજકોટ માતા પાસે જવાનું કહેતા અતિંમ પગલુ ભર્યુ-મોત મોરબીના સોખડા ગામે ઘરેથી નીકળી ગયેલ માનસિક બીમાર યુવાનનો ખેતરમાંથી કોહવાય ગયેલ હાલતમાં મૃતદેહ મળ્યો: વાંકનેરમાં વૃદ્ધનું બીમારી સબબ મોત
Breaking news
Morbi Today

મોરબી પરશુરામધામ ખાતે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્રભાઈ ત્રિવેદીના હસ્તે કોમ્યુનિટી હોલનું કરશે લોકાર્પણ


SHARE











મોરબી પરશુરામધામ ખાતે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્રભાઈ ત્રિવેદીના હસ્તે કોમ્યુનિટી હોલનું કરશે લોકાર્પણ

મોરબીના નવલખી રોડ ઉપર આવેલ પરશુરામધામ ખાતે કોમ્યુનિટી હોલ સરકારી ગ્રાન્ટ અને સમાજના આર્થિક સહયોગથી બનાવવામાં આવેલ છે આ હોલનું ગુરુવારે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્રભાઈ ત્રિવેદીના હસ્તે લોકાર્પણ કરવામાં આવશે

મોરબીના પરશુરામ ધામના કર્તાહર્તા ભૂપતભાઈ પંડ્યા અને અનિલભાઈ મહેતાની યાદીમાં જણાવ્યુ છે કે, મોરબી માળીયાના ધારાસભ્ય બ્રિજેશ મેરજાની ગ્રાન્ટમોરબી નગરપાલિકા અને પરશુરામધામના આર્થિક યોગદાનથી કોમ્યુનિટી હોલ બનાવવામાં આવેલ છે જે કોમ્યુનિટી હોલનું લોકાર્પણ દ્વારા આગામી તા ૧૯ ના રોજ ગુરુવારે સાંજે સાડા પાંચ વાગ્યે કરવામાં આવશે ત્યારે પરશુરામ ધામ ખાતે યોજાનાર કર્યક્રમમાં ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્રભાઈ ત્રિવેદી હાજર રહેશે અને તેઓના હસ્તે કોમ્યુનિટી હોલનું લોકાર્પણ કરવામાં આવશે આ તકે રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરિયા તેમજ સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહેશે અને આ કાર્યક્રમને સફળ બનાવવા પરશુરામધામ ચેરીટેબલ ટ્રસ્ટસમસ્ત બ્રહ્મસમાજસમસ્ત બ્રહ્મસમાજ મહિલા મંડળબ્રહ્મસમાજ યુવક મંડળપરશુરામધામ યુવા ગ્રુપસમસ્ત બ્રહ્મ વિકાસ પરિષદગાયત્રી મંદિર સહિતની સંસ્થાઓના હોદેદારો અને આગેવાનો તેમજ યુવાનો ભારે જહેમત ઉઠાવી રહ્યા છે.

ભૂદેવો સમૂહમાં જનોઈ બદલાવશે

શ્રાવણ મહિનામાં રક્ષા બંધનના દિવસે ભૂદેકો જનોઈ બદલાવે છે ત્યારે મોરબીમાં દર વર્ષે વાંકાનેર દરવાજા બહાર આવેલ ઔદીચ્ય બ્રાહ્મણ જ્ઞાતિની વાડી સમૂહમાં જનોઈ બદલાવવા માટેના કાર્યક્ર્મનું આયોજન કરવામાં આવે છે તેવી જ રીતે આગામી તા. ૨૨ ના રોજ સવારે સાડા આઠ કલાકે નૂતન યજ્ઞોપવિત ધારણવિધિ અને શ્રાવણી કર્મનું આયોજન કરવામાં આવ્યું છે. જેનો લાભ સર્વે બ્રાહ્મણોને લેવા માટે આચાર્ય વિપુલભાઈ શુકલ દ્વારા આમંત્રણ આપવામાં આવ્યું છે






Latest News