મોરબીમાં આવેલ ગજાનંદ એપાર્ટમેન્ટના ફ્લેટમાં જુગાર રમતા પાંચ શખ્સો 2.62 લાખની રોકડ સાથે ઝડપાયા મોરબીના સીરામીક ઉદ્યોગમાં પાઇપલાઇન મારફતે ગેસ સપ્લાય કરતી બે કંપનીના ભાવમાં જમીન આસમાનનો તફાવત !, ઉદ્યોગકારોની મૂંઝવણમાં સતત વધારો: હાલમાં ઉદ્યોગકારો એમજીઓ કરાર ન કરે તેવા સંકેત મોરબીમાં વ્યાજે લીધેલા 2.40 લાખ સામે 7.67 લાખ ચૂકવી દીધા છતાં ગીરવે મુકેલા દાગીના અને કોરા ચેક પાછા નહીં આપતા દંપતી સામે ગુનો નોંધાયો ભારે કરી: મોરબીમાં બાઈક વ્યવસ્થિત રાખવાનું કહેતા નિવૃત્ત પોલીસ કર્મચારીને ઝાપટ મારીને ગાળો આપી છરી મારવાનો પ્રયાસ મોરબીમાં બાઈક ચાલકે હડફેટે લેતા ઇજા પામેલ 12 વર્ષના બાળકનું મોત મોરબીમાં વેપાર માટે યુવાને વ્યાજે લીધેલા 5 લાખ સામે 7.90 લાખ ચૂકવ્યા છતાં બે શખ્સો દ્વારા પઠાણી ઉઘરાણી, મારી નાખવાની ધમકી હળવદના માથક ગામે રહેતા યુવાને અગાઉ કરેલ ફરિયાદ પાછી ખેંચી લેવા માટે ફોન ઉપર ગાળો આપીને ઠામ પતાવી દેવાની ધમકી મોરબીમાં જુદી જુદી બે જગ્યાએથી દારૂની 17 બોટલ સાથે ત્રણ શખ્સો પકડાયા, ત્રણ ની શોધખોળ
Breaking news
Morbi Today

મોરબીની ભારતી વિદ્યાલય શાળા દ્વારા હર ઘર તિરંગા અંતર્ગત તિરંગા રેલી યોજાઇ


SHARE











મોરબીની ભારતી વિદ્યાલય શાળા દ્વારા હર ઘર તિરંગા અંતર્ગત તિરંગા રેલી યોજાઇ

મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલી ભારતી વિદ્યાલય શાળા દ્વારા આજુબાજુના વિસ્તારમાં તિરંગા રેલી કાઢવામાં આવી હતી અને લોકોને હર ઘર તિરંગા લહેરાવાનો સંદેશ આપવામાં આવ્યો હતો આ રેલીનું પ્રસ્થાન શાળાના સ્થાપક લાલજીભાઈ મહેતા અને મોરબી નગર પાલિકા ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજા તેમજ શાળાના પ્રમુખ હિતેષભાઇ મહેતાએ કરાવ્યુ હતું અને આ તિરંગા રેલીમાં શાળાના વિદ્યાર્થીઓ દ્વારા ભારત માતા, મહાત્મા ગાંધી, ભગત સિંહ, સુખદેવ, રાજગુરુ, સુભાષચંદ્ર બોઝ, ઇન્દિરા ગાંધી, મહારાણા પ્રતાપ, ડો. બાબાસાહેબ આંબેડકર, પોલીસ, મિલેટ્રી, સરદાર પટેલ, રાણી લક્ષ્મીબાઈ, રાણી દુર્ગાવતી, વીર સાવરકર જેવા ક્રાંતિકારીઓ અને સ્વાતંત્ર્યસેનાની વેશભૂષા સાથે જોડાયા હતા જે લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા અને મોરબીના સામાકાંઠા વિસ્તારમા ગિરિરાજ સોસાયટી, સરસ્વતી સોસાયટી, વર્ધમાનનગર, અનંતનગર, રામકૃષ્ણ નગર, રિલીફ નગર, રોટરી નગર, અરુણોદયનગર વિસ્તારમાંથી રેલી નીકળી ત્યારે રસ્તાઓ ભારત માતા કી જય અને વંદે માતરમ ના નારથી માર્ગો ગુંજી ઉઠયા હતા આ રેલીમાં શાળાના વિદ્યાર્થીઓ, શિક્ષકો તેમજ આજુબાજુ વિસ્તારના લોકો ખૂબ જ ઉત્સાહ પૂર્વક જોડાયા હતા અને અંતમાં શાળાના સંચાલક કૌશલભાઈ મહેતા અને વિવેકભાઈ મહેતાએ તિરંગા રેલીમાં જોડાયેલ તમામ દેશ પ્રેમીઓનો આભાર વ્યક્ત કર્યો હતો

 

મોરબીની આર્ટ્સ કોલેજમાં એનએસએસ વિભાગ દ્વારા વૃક્ષારોપણનો કાર્યક્રમ 

સર્વોદય એજ્યુકેશન સોસાયટી સંચાલિત યુ.એન.મહેતા આર્ટ્સ કોલેજના એન.એસ.એસ. વિભાગ દ્વારા ગઇકાલે વૃક્ષારોપણનો કાર્યક્રમ રાખવામાં આવેલ હતી અને એન.એસ.એસ. ના સ્વયંસેવકો દ્વારા વૃક્ષો વાવવા માટે ખાડાઓ ખોદવામાં આવ્યા હતા ત્યાં ૨૮ આસોપાલવના વૃક્ષો વાવવામાં આવ્યા હતા આ તકે કોલેજના પ્રિન્સિપાલ કે.આર. દંગી, એન.એસ.એસ. પ્રોગ્રામ ઓફિસર ડો. રામ વારોતરિયા તેમજ શૈક્ષણિક સ્ટાફ અને વિદ્યાર્થી હાજર રહ્યા હતા






Latest News