મોરબી શહેરમાં ભવિષ્યમાં ટ્રાફિક સમસ્યા કે વરસાદી પાણી ભરાવાનો પ્રશ્ન ઉભો ન થાય તે રીતે નવી ડી.પી. બનાવવા મહાપાલિકાના ચેરમેન રિશીપ કૈલાએ કરી કલેકટરને રજૂઆત મોરબીના યુવા આગેવાને જન્મદિવસ નિમિતે બાળકોને શૈક્ષિણક કીટનું વિતરણ કર્યું મોરબી ટાઈમ્સનો પત્રકાર વિશાલ સેજપાલ પાસા હેઠળ જેલ હવાલે મોરબીમાં કામ કરવાની ના પાડતા હોય યુવતી ઘર છોડીને ચાલી ગઈ હોવાનું ખુલ્યું મોરબીના કલેક્ટરે નગર નિયોજકની કચેરીની આકસ્મિક મુલાકાત લીધી મોરબી જિલ્લામાં રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની સફળ ઉજવણી મોરબી જિલ્લાના યુવાનો અને નોકરીદાતાઓ માટે આશીર્વાદરૂપ બનતું અનુબંધમ પોર્ટલ મોરબી જીલ્લામાં વીજપોલના વળતરની આગમાં હવે ભાજપ હોમાઈ તેવો ઘાટ: પૂર્વ કેન્દ્રિય મંત્રીના ગામમાં ભાજપ પક્ષની પ્રવેશબંધી ! 
Breaking news
Morbi Today

મોરબી અને વાંકાનેરમાં તાજીયા જુલસ દરમ્યાન હથિયાર લાગતા બે લોકો રાજકોટ ખસેડાયા


SHARE







મોરબી અને વાંકાનેરમાં તાજીયા જુલસ દરમ્યાન હથિયાર લાગતા બે લોકો રાજકોટ ખસેડાયા

ગઈકાલે મુસ્લિમ સમાજનો પવિત્ર એવો મહોરમનો તહેવાર હોય માતમ મનાવવા માટે લોકો તાજીયા જુલુસમાં એકત્રિત થયા હતા.આ ઝુલુસ દરમ્યાનમાં મોરબી અને વાંકાનેર ખાતે હથીયાર લાગી જવાના બે બનાવો બન્યા હતા.જેમાં ઇજાગ્રસ્તોને વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયા હોવાનું સૂત્રોમાંથી જાણવા મળેલ છે.

ગઈકાલે મુસ્લિમ સમાજનો પવિત્ર એવો મહોરમનો તહેવાર હતો.જેમાં માતમ મનાવવા માટે ખૂબ મોટી સંખ્યામાં લોકો એકત્ર થયા હતા.મોરબી જિલ્લામાં મોરબી સીટી તેમજ ગ્રામ્ય વિસ્તાર સાથે સાથે માળિયા(મિંયાણા), વાંકાનેર, ટંકારા અને હળવદ સહિતના જિલ્લાના અન્ય વિસ્તારોમાં પણ માતમ મનાવવામાં આવ્યું હતું અને તે દરમિયાન નીકળતા તાજીયા જુલુસમાં પણ મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.મોરબીમાં તાજીયા જે તે વિસ્તારોમાં ફર્યા હતા અને રાત્રે નગર દરવાજા ચોકમાં ઠંડા પડ્યા હતા.આ દરમિયાન હથીયાર લાગી જવાના બે બનાવો સામે આવ્યા છે.જેમાં મોરબીના સબજેલ ચોક પાસેના મકરાણીવાસ વિસ્તારમાં રહેતા હસનભાઈ ઉસ્માનભાઈ બલોચ નામના 27 વર્ષીય યુવાનને તાજીયા જુલુસ દરમિયાન છાતીમાં છરી લાગી જતા તેને સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યો હતો તે જ્યારે દરબારગઢ પાસે હતો તે દરમિયાન તાજીયાના જુલુસમાં તેને છાતીમાં છરી લાગી ગઈ હતી અને જેથી કરીને તેને રાજકોટ ખસેડાયો હતો.તે રીતે જ વાંકાનેરની ભાટિયા સોસાયટીમાં રહેતા ઇમરાન આમદ આગરીયા નામના 30 વર્ષીય યુવાનને વાંકાનેરના શાકમાર્કેટ ચોક પાસે તાજીયા જુલુસ દરમિયાન તલવાર લાગી ગઈ હતી અને તલવાર લાગી જવાના લીધે તેને પણ સારવાર માટે રાજકોટ ખસેડાયો હોવાનું સૂત્રોમાંથી જાણવા મળેલ છે.






Latest News