મોરબીમાં આવેલ ગજાનંદ એપાર્ટમેન્ટના ફ્લેટમાં જુગાર રમતા પાંચ શખ્સો 2.62 લાખની રોકડ સાથે ઝડપાયા મોરબીના સીરામીક ઉદ્યોગમાં પાઇપલાઇન મારફતે ગેસ સપ્લાય કરતી બે કંપનીના ભાવમાં જમીન આસમાનનો તફાવત !, ઉદ્યોગકારોની મૂંઝવણમાં સતત વધારો: હાલમાં ઉદ્યોગકારો એમજીઓ કરાર ન કરે તેવા સંકેત મોરબીમાં વ્યાજે લીધેલા 2.40 લાખ સામે 7.67 લાખ ચૂકવી દીધા છતાં ગીરવે મુકેલા દાગીના અને કોરા ચેક પાછા નહીં આપતા દંપતી સામે ગુનો નોંધાયો ભારે કરી: મોરબીમાં બાઈક વ્યવસ્થિત રાખવાનું કહેતા નિવૃત્ત પોલીસ કર્મચારીને ઝાપટ મારીને ગાળો આપી છરી મારવાનો પ્રયાસ મોરબીમાં બાઈક ચાલકે હડફેટે લેતા ઇજા પામેલ 12 વર્ષના બાળકનું મોત મોરબીમાં વેપાર માટે યુવાને વ્યાજે લીધેલા 5 લાખ સામે 7.90 લાખ ચૂકવ્યા છતાં બે શખ્સો દ્વારા પઠાણી ઉઘરાણી, મારી નાખવાની ધમકી હળવદના માથક ગામે રહેતા યુવાને અગાઉ કરેલ ફરિયાદ પાછી ખેંચી લેવા માટે ફોન ઉપર ગાળો આપીને ઠામ પતાવી દેવાની ધમકી મોરબીમાં જુદી જુદી બે જગ્યાએથી દારૂની 17 બોટલ સાથે ત્રણ શખ્સો પકડાયા, ત્રણ ની શોધખોળ
Breaking news
Morbi Today

મોરબી અને વાંકાનેરમાં તાજીયા જુલસ દરમ્યાન હથિયાર લાગતા બે લોકો રાજકોટ ખસેડાયા


SHARE











મોરબી અને વાંકાનેરમાં તાજીયા જુલસ દરમ્યાન હથિયાર લાગતા બે લોકો રાજકોટ ખસેડાયા

ગઈકાલે મુસ્લિમ સમાજનો પવિત્ર એવો મહોરમનો તહેવાર હોય માતમ મનાવવા માટે લોકો તાજીયા જુલુસમાં એકત્રિત થયા હતા.આ ઝુલુસ દરમ્યાનમાં મોરબી અને વાંકાનેર ખાતે હથીયાર લાગી જવાના બે બનાવો બન્યા હતા.જેમાં ઇજાગ્રસ્તોને વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયા હોવાનું સૂત્રોમાંથી જાણવા મળેલ છે.

ગઈકાલે મુસ્લિમ સમાજનો પવિત્ર એવો મહોરમનો તહેવાર હતો.જેમાં માતમ મનાવવા માટે ખૂબ મોટી સંખ્યામાં લોકો એકત્ર થયા હતા.મોરબી જિલ્લામાં મોરબી સીટી તેમજ ગ્રામ્ય વિસ્તાર સાથે સાથે માળિયા(મિંયાણા), વાંકાનેર, ટંકારા અને હળવદ સહિતના જિલ્લાના અન્ય વિસ્તારોમાં પણ માતમ મનાવવામાં આવ્યું હતું અને તે દરમિયાન નીકળતા તાજીયા જુલુસમાં પણ મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.મોરબીમાં તાજીયા જે તે વિસ્તારોમાં ફર્યા હતા અને રાત્રે નગર દરવાજા ચોકમાં ઠંડા પડ્યા હતા.આ દરમિયાન હથીયાર લાગી જવાના બે બનાવો સામે આવ્યા છે.જેમાં મોરબીના સબજેલ ચોક પાસેના મકરાણીવાસ વિસ્તારમાં રહેતા હસનભાઈ ઉસ્માનભાઈ બલોચ નામના 27 વર્ષીય યુવાનને તાજીયા જુલુસ દરમિયાન છાતીમાં છરી લાગી જતા તેને સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યો હતો તે જ્યારે દરબારગઢ પાસે હતો તે દરમિયાન તાજીયાના જુલુસમાં તેને છાતીમાં છરી લાગી ગઈ હતી અને જેથી કરીને તેને રાજકોટ ખસેડાયો હતો.તે રીતે જ વાંકાનેરની ભાટિયા સોસાયટીમાં રહેતા ઇમરાન આમદ આગરીયા નામના 30 વર્ષીય યુવાનને વાંકાનેરના શાકમાર્કેટ ચોક પાસે તાજીયા જુલુસ દરમિયાન તલવાર લાગી ગઈ હતી અને તલવાર લાગી જવાના લીધે તેને પણ સારવાર માટે રાજકોટ ખસેડાયો હોવાનું સૂત્રોમાંથી જાણવા મળેલ છે.






Latest News