મોરબીના સામાકાંઠે રહેતા યુવાનનું કોઈ કારણોસર મોત, વિશેરા લઈ મોતનું કારણ જાણવા તજવીજ શરૂ; યુવાન ઉપર છરી વડે હુમલો કરવાના બનાવમાં ચાર ની ધરપકડ બેધારી નીતિ: મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનના પ્રચાર પ્રસાર માટે બનાવેલ વોટ્સએપ ગ્રુપનું એકાઉન્ટ વારંવાર સસ્પેન્ડ !  મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે ભૂગર્ભ વાયરનું કામ યોગ્ય રીતે કરવા શહેર કોંગ્રેસ પ્રમુખની રજૂઆત વાંકાનેર પંથકમાં ખનીજ માફિયા ઉપર પોલીસની ધોંસ: 1 કરોડથી વધુનો મુદામાલ જપ્ત મોરબી જિલ્લાની મહિલાઓને ફળ-શાકભાજી પરિરક્ષણ માટે ખાસ તાલીમ અપાશે: અરજીઓ મંગાવાઇ મોરબી જિલ્લામાં બાગાયતદાર ખેડૂતો સહાયલક્ષી યોજનાઓ માટે આઇ-ખેડુત પોર્ટલ પર અરજી કરી શકશે સેવાની જ્યોત: મોરબીમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા વૃધ્ધાશ્રમમાં વડીલોને ભોજન કરાવમાં આવ્યું મોરબીના પ્રથમ ટ્રસ્ટ આધારિત ફિઝિયોથેરાપી ક્લિનિકનો એક વર્ષમાં 3000 દર્દીઓએ લાભ લીધો
Breaking news
Morbi Today

મોરબીના બંધુનગર પાસે બાઈક સ્લીપ થવાથી આધેડનું મોત


SHARE











મોરબીના બંધુનગર પાસે બાઈક સ્લીપ થવાથી આધેડનું મોત

મોરબીના બંધુનગર પાસેથી બાઈક લઈને પસાર થઈ રહેલા આધેડનું બાઈક કોઈ કારણોસર સ્લીપ થઈ ગયું હતું જેથી કરીને અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં ઈજા પામેલા આધેડને સારવાર માટે રાજકોટ સિવિલમાં લઈને આવ્યા હતા અને સારવાર દરમિયાન તેનું મોત નીપજયું હતું જેથી કરીને મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે આ અંગેની ફરિયાદ નોંધીને પોલીસે રાબેતા મુજબની કાર્યવાહી કરેલ છે.

જાણવા મળતી વિગત પ્રમાણે મોરબીના વાંકાનેર હાઇવે ઉપર બંધુનગર ગામની પાસે રહેતા અને મૂળ બિહારના વતની અમિતેશ્વર સુરેન્દ્રકુમાર વર્મા (ઉમર ૫૩) પોતાનું બાઈક લઈને રસ્તા ઉપરથી જતા હતા.ત્યારે કોઈ કારણોસર તેઓનું બાઇક સ્લીપ થઈ ગયું હતું.જેથી કરીને અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં અમિતેશ્વરભાઈ વર્માને ઇજાઓ થઇ હોવાથી તેમને તાત્કાલિક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવાયા હતા અને ત્યાં સારવાર દરમિયાન અમિતેશ્વરભાઈ વર્માનું મોત નીપજ્યું હતું.જેથી કરીને આ બનાવમાં વિશાલરાજ મનોજકુમાર સિન્હા જાતે કાયસ્થ (ઉમર ૩૯) ની ફરિયાદ લઈને પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે.

મહિલા સારવારમાં

સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા તાલુકામાં આવેલા બાઇસાબગઢ ગામે રહેતા રંજનબેન ગણપતભાઈ દલસાણીયા નામના ૪૫ વર્ષીય મહિલા પગપાળા જતા હતા ત્યારે કોઈ અજાણ્યા બાઈક ચાલકે તેઓને પાછળના ભાગેથી હડફેટે લેતા ઇજાઓ થવાથી તેઓને મોરબીના સામાકાંઠે માળિયા ફાટક પાસે આવેલ શિવમ હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યા હતા અને બનાવની જાણ થતા હાલમાં બી ડિવિઝન પોલીસ મથકના વી.કે.ચાવડા દ્વારા આ અંગે નોંધ કરીને બનાવ અંગે આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.






Latest News