મોરબીમાં આવેલ ગજાનંદ એપાર્ટમેન્ટના ફ્લેટમાં જુગાર રમતા પાંચ શખ્સો 2.62 લાખની રોકડ સાથે ઝડપાયા મોરબીના સીરામીક ઉદ્યોગમાં પાઇપલાઇન મારફતે ગેસ સપ્લાય કરતી બે કંપનીના ભાવમાં જમીન આસમાનનો તફાવત !, ઉદ્યોગકારોની મૂંઝવણમાં સતત વધારો: હાલમાં ઉદ્યોગકારો એમજીઓ કરાર ન કરે તેવા સંકેત મોરબીમાં વ્યાજે લીધેલા 2.40 લાખ સામે 7.67 લાખ ચૂકવી દીધા છતાં ગીરવે મુકેલા દાગીના અને કોરા ચેક પાછા નહીં આપતા દંપતી સામે ગુનો નોંધાયો ભારે કરી: મોરબીમાં બાઈક વ્યવસ્થિત રાખવાનું કહેતા નિવૃત્ત પોલીસ કર્મચારીને ઝાપટ મારીને ગાળો આપી છરી મારવાનો પ્રયાસ મોરબીમાં બાઈક ચાલકે હડફેટે લેતા ઇજા પામેલ 12 વર્ષના બાળકનું મોત મોરબીમાં વેપાર માટે યુવાને વ્યાજે લીધેલા 5 લાખ સામે 7.90 લાખ ચૂકવ્યા છતાં બે શખ્સો દ્વારા પઠાણી ઉઘરાણી, મારી નાખવાની ધમકી હળવદના માથક ગામે રહેતા યુવાને અગાઉ કરેલ ફરિયાદ પાછી ખેંચી લેવા માટે ફોન ઉપર ગાળો આપીને ઠામ પતાવી દેવાની ધમકી મોરબીમાં જુદી જુદી બે જગ્યાએથી દારૂની 17 બોટલ સાથે ત્રણ શખ્સો પકડાયા, ત્રણ ની શોધખોળ
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં લંપીથી મૃત્યુ પામેલા પશુધન સામે પશુપાલકોને સહાય આપો: મુખ્યમંત્રીને રજુઆત


SHARE











મોરબી જિલ્લામાં લંપીથી મૃત્યુ પામેલા પશુધન સામે પશુપાલકોને સહાય આપો: મુખ્યમંત્રીને રજુઆત

મોરબી જિલ્લામાં લંપીના લીધે ઘણા પશુના અત્યાર સુધીમાં મોત થયા છે જો કે, દૂધાળા પશુઓના મોત થવાથી ઘણા માલધારીઓ મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. ત્યારે મોરબી જિલ્લામાં લંપીના લીધે જે પશુધનનાં મોત થયા છે તેની સામે પશુપાલકોને પશુ દીઠ એક લાખ રૂપિયાની સહાય આપવાની માગ માલધારી સમાજ દ્વારા કરવામાં આવી છે અને કલેકટર મારફતે મુખ્યમંત્રીને લેખિતમાં આવેદનપત્ર આપવામાં આવ્યું છે

મોરબી જિલ્લા માલધારી સમાજના આગેવાન રમેશભાઈ રબારી, કરશનભાઇ ભરવાડ સહિતના આગેવાનો દ્વારા કલેક્ટર મારફતે મુખ્યમંત્રીને આવેદન આપવામાં આવ્યું છે જેમાં તેને જણાવ્યું છે કે, લંપી વાઈરસથી મોરબી જિલ્લામાં ઘણા પશુના મોત થયા છે જે પૈકીનાં ઘણા પશુઓની નોંધ પણ કરવામાં આવી નથી અને દૂધાળા પશુમાં મોત ઠાવથી પશુપાલકોને આજીવિકાનો પ્રશ્ન ઊભો થયો છે ત્યારે મૃત પશુ દીઠ એક લાખ રૂપિયાની સહાય સરકાર દ્વારા જાહેર કરવામાં આવે તેવી માંગણી કરેલ છે અને તમામ પશુપાલકોને વહેલી તકે આ સહાય આપવામાં તેવી માંગ કરવામાં આવી છે વધુમાં તેઓએ કહ્યું છે કે, કોરોના કાળમાં જાહેર જનતાના હિતાર્થે માલધારીઓ તેમના ઉત્પાદિત દૂધના ભાવ વધારેલ ન હતા. અને પોતાની પરવા કર્યા વિના ઘેર ઘેર જઈ દૂધ પહોંચતુ કરેલ હતું જેથી હાલમાં આ માલધારીઓ અને પશુ પાલકો ઉપર મુશ્કેલી આવી છે ત્યારે સરકાર તેની સાથે ઊભી રહે તે અનિવાર્ય છે 






Latest News