મોરબીના સામાકાંઠે રહેતા યુવાનનું કોઈ કારણોસર મોત, વિશેરા લઈ મોતનું કારણ જાણવા તજવીજ શરૂ; યુવાન ઉપર છરી વડે હુમલો કરવાના બનાવમાં ચાર ની ધરપકડ બેધારી નીતિ: મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનના પ્રચાર પ્રસાર માટે બનાવેલ વોટ્સએપ ગ્રુપનું એકાઉન્ટ વારંવાર સસ્પેન્ડ !  મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે ભૂગર્ભ વાયરનું કામ યોગ્ય રીતે કરવા શહેર કોંગ્રેસ પ્રમુખની રજૂઆત વાંકાનેર પંથકમાં ખનીજ માફિયા ઉપર પોલીસની ધોંસ: 1 કરોડથી વધુનો મુદામાલ જપ્ત મોરબી જિલ્લાની મહિલાઓને ફળ-શાકભાજી પરિરક્ષણ માટે ખાસ તાલીમ અપાશે: અરજીઓ મંગાવાઇ મોરબી જિલ્લામાં બાગાયતદાર ખેડૂતો સહાયલક્ષી યોજનાઓ માટે આઇ-ખેડુત પોર્ટલ પર અરજી કરી શકશે સેવાની જ્યોત: મોરબીમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા વૃધ્ધાશ્રમમાં વડીલોને ભોજન કરાવમાં આવ્યું મોરબીના પ્રથમ ટ્રસ્ટ આધારિત ફિઝિયોથેરાપી ક્લિનિકનો એક વર્ષમાં 3000 દર્દીઓએ લાભ લીધો
Breaking news
Morbi Today

વાંકાનેરના બોકડથંભા પાસે ટ્રેનની હડફેટે ચડી જતાં અજાણ્યા યુવાનનું મોત


SHARE











 

વાંકાનેરના બોકડથંભા પાસે ટ્રેનની હડફેટે ચડી જતાં અજાણ્યા યુવાનનું મોત

વાંકાનેર નજીક આવેલ બોકડથંભા ગામની સીમમાંથી પસાર થતી ટ્રેનની હડફેટે આવી જતા અજાણ્યા યુવાનનું મોત નીપજ્યું હતું જેથી દલડી રેલવે સ્ટેશનના સ્ટેશન મસ્તરે આ બનાવની વાંકાનેર સિટી પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને મૃતક યુવાનની ઓળખ મેળવવા માટે પોલીસે તજવીજ શરૂ કરી હતી.

જાણવા મળતી વિગત પ્રમાણે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનની હદમાં આવતા બોકડથંભા ગામની સીમમાંથી ઓખા અરુણા કુલમ ટ્રેન ગઈકાલે બપોરે ૧૨:૩૦ વાગ્યાના અરસામાં પસાર થઈ રહી હતી ત્યારે કોઈ અજાણ્યો ૩૫ વર્ષનો યુવાન તે ટ્રેનની હડફેટે ચડી ગયો હતો જેથી ગંભીર રીતે ઇજાઓ થઈ હોવાના કારણે તે યુવાનનું ઘટના નીપજ્યું હતું અને આ બનાવની દલડી રેલવે સ્ટેશનના સ્ટેશન માસ્તર મનસુખભાઈ શંકરભાઈ બરાસરા દ્વારા વાંકાનેર સિટી પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી મૃતક યુવાનના મૃતદેને પીએમ માટે વાંકાનેર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો અને મૃતક યુવાનની ઓળખ મેળવવા માટે થઈને હાલમાં પોલીસ દ્વારા તજવીજ શરૂ કરવામાં આવેલ છે.

હાર્ટ એટેકથી મોત

વાંકાનેર નગરપાલિકામાં સફાઈ કામદાર તરીકે ફરજ બજાવતા બાબુભાઈ હીરાભાઈ ઝાલા જાતે વાલ્મિકી (ઉંમર ૫૭) પોતાના ઘરે આંબેડકર નગર શેરી નં-૫ ખાતે હતા ત્યારે તેઓને હાર્ટ એટેકનો હુમલો આવી જતા તે પડી ગયા હતા અને ત્યારબાદ તેને વિકીભાઈ ઝાલા વાંકાનેર સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યારે ફરજ ઉપરના ડોક્ટરે તેઓને મૃત જાહેર કરતા આ બનાવવાની વાંકાનેર સિટી પોલીસને જાણ કરવામાં આવી હતી.






Latest News