મોરબીના સીરામીક ઉદ્યોગમાં પાઇપલાઇન મારફતે ગેસ સપ્લાય કરતી બે કંપનીના ભાવમાં જમીન આસમાનનો તફાવત !, ઉદ્યોગકારોની મૂંઝવણમાં સતત વધારો: હાલમાં ઉદ્યોગકારો એમજીઓ કરાર ન કરે તેવા સંકેત મોરબીમાં વ્યાજે લીધેલા 2.40 લાખ સામે 7.67 લાખ ચૂકવી દીધા છતાં ગીરવે મુકેલા દાગીના અને કોરા ચેક પાછા નહીં આપતા દંપતી સામે ગુનો નોંધાયો ભારે કરી: મોરબીમાં બાઈક વ્યવસ્થિત રાખવાનું કહેતા નિવૃત્ત પોલીસ કર્મચારીને ઝાપટ મારીને ગાળો આપી છરી મારવાનો પ્રયાસ મોરબીમાં બાઈક ચાલકે હડફેટે લેતા ઇજા પામેલ 12 વર્ષના બાળકનું મોત મોરબીમાં વેપાર માટે યુવાને વ્યાજે લીધેલા 5 લાખ સામે 7.90 લાખ ચૂકવ્યા છતાં બે શખ્સો દ્વારા પઠાણી ઉઘરાણી, મારી નાખવાની ધમકી હળવદના માથક ગામે રહેતા યુવાને અગાઉ કરેલ ફરિયાદ પાછી ખેંચી લેવા માટે ફોન ઉપર ગાળો આપીને ઠામ પતાવી દેવાની ધમકી મોરબીમાં જુદી જુદી બે જગ્યાએથી દારૂની 17 બોટલ સાથે ત્રણ શખ્સો પકડાયા, ત્રણ ની શોધખોળ હળવદમાં ઘરે મોડા આવતા પતિ સાથે બોલાચાલી ઝઘડો થતાં પરિણીતાએ કર્યો આપઘાત
Breaking news
Morbi Today

મોરબીના જોધપર પાસે ફેંકી દેવામાં આવેલા ગૌવંશના મૃતદેહોનો યોગ્ય નિકલા કરવાની જીવદયા પ્રેમી સંસ્થાની માંગ


SHARE











મોરબીના જોધપર પાસે ફેંકી દેવામાં આવેલા ગૌવંશના મૃતદેહોનો યોગ્ય નિકલા કરવાની જીવદયા પ્રેમી સંસ્થાની માંગ

મોરબી નજીકના જોધપર ગામ પાસે જાહેરમાં ગૌવંશોના મૃતદેહને રજડતી હાલતમાં ફેંકી દેવામાં આવેલ છે તેના માહિતિ મળી હતી જેથી કરીને આજે વહેલી સવારે કર્તવ્ય જીવદયા કેન્દ્રના જીવદયા પ્રેમી યુવાન ત્યાં ઘટના સ્થળે પહોચ્યા હતા અને સામાન્ય લોકોને પણ અરેરાટી છૂટી જાય તેવી રીતે જે ગૌવંશના મૃતદેહને ફેંકવામાં આવેલ છે તેનો યોગ્ય રીતે નિકાલ કરવામાં આવે તેવી તેઓએ માંગ કરી છે

મોરબી સહિત ગુજરાતના અનેક જિલ્લાઓની અંદર લંપી વાયરસના કારણે ગાય અને ગૌવંશોના મૃત્યુના બનાવો સામે આવી રહ્યા છે તેવા સમયે મોરબી નજીકના જોધપર ગામ પાસે આવેલ પટેલ બોર્ડિંગની પાછળના ભાગમાં ઢાળ ઉપર જે ડમ્પિંગ પશુઓના મૃતદેહના નિકાલ માટે બનાવવામાં આવી છે ત્યાં અંદાજે ૧૦૦ થી વધુ ગૌવંશોના મૃતદેહ પડ્યા છે અને તે છેલ્લા દિવસોમાં લંપી વાયરસ કે અન્ય કોઈપણ કારણોસર મૃત્યુ પામેલા ગૌવંશોના જ મૃતદેહ હોય તેવું જોવા જાણવા મળ્યું હતું જેથી આજે વહેલી સવારે જીવદયા પ્રેમી સંસ્થાના સંચાલક વિષ્ણુભાઈ પટેલ ત્યાં પહોચ્યા હતા અને એકી સાથે લગભગ ૧૦૦ જેટલા ગૌવંશોના રજડતી હાલતમાં મૃત અવસ્થામાં ફેંકી દેવામાં આવેલા ગૌવંશના મૃતદેહને શિકારી કુતરા ફાડી ખાતા હતા જેથી કરીને ગૌવંશોના મૃત્યુનો મલાજો જળવાઇ તે રીતે તેનો નિકાલ કરવામાં આવે તેવી તેઓએ માંગ કરી હતી અને જવાબદાર અધિકારીને પણ આ ઘટનાની જાણ કરેલ છે 






Latest News