મોરબીમાં ઘરેલુ હિંસાથી પીડિત સગર્ભા મહિલાને અજુગતુ પગલુ ભરતા બચાવતી 181 અભયમ ટીમ વાંકાનેરમાં મંદિરના નવનિર્માણના નામે જુદાજુદા બે લક્કી ડ્રોની ટિકિટોનું વેચાણ કરતો એજન્ટ પકડાયો: 13 સામે ગુનો નોંધાયો મોરબીના નીચી માંડલ પાસે રોડ ક્રોસ કરતાં યુવાનને ડમ્પર ચાલકે હડફેટે લેતા પગમાં 3 ફ્રેકચર: વાંકાનેરમાં જુગાર રમતા ચાર પકડાયા ટંકારાના સાવડી ગામ પાસે બાઇક ચાલકે સાયકલને ટક્કર મારતા ઇજા પામેલા આધેડનું સારવારમાં મોત વાંકાનેર-માળીયા તાલુકા અને મોરબી શહેરમાં વિદેશી દારૂની 4 રેડ: દારૂની નાની મોટી 30 બોટલ કબ્જે માળીયા (મી)ના નવલખી પોર્ટ ખાતે કાકા સાથે રહેતા સગીરને બે દિવસ પછી રાજકોટ માતા પાસે જવાનું કહેતા અતિંમ પગલુ ભર્યુ-મોત મોરબીના સોખડા ગામે ઘરેથી નીકળી ગયેલ માનસિક બીમાર યુવાનનો ખેતરમાંથી કોહવાય ગયેલ હાલતમાં મૃતદેહ મળ્યો: વાંકનેરમાં વૃદ્ધનું બીમારી સબબ મોત મોરબીમાં અડાણે મુકેલા ઘરેણા બાબતે સામસામે મારામારી, સાત ઇજાગ્રસ્તો પૈકી બે રાજકોટ ખસેડાયા
Breaking news
Morbi Today

વાંકાનેર સીટી પોલીસ મથકના મર્ડરના ગુનામાં સાત વર્ષથી ફરાર આરોપીને એસઓજીએ શોધી કાઢયો


SHARE











વાંકાનેર સીટી પોલીસ મથકના મર્ડરના ગુનામાં સાત વર્ષથી ફરાર આરોપીને એસઓજીએ શોધી કાઢયો
 

વાંકાનેર સીટી પોલીસ મથક વિસ્તારમાં સાત વર્ષ પહેલા નોંધાયેલા મર્ડરના ગુનામાં છેલ્લા સાત વર્ષથી ફરાર આરોપીને મોરબી એસઓજીએ શોધી કાઢયો હતો.

સીઆઇડી ક્રાઇમ અને રેલ્વેઝ ગુજરાત રાજય ગાંધીનગરના મહાનિદેશક દ્રારા નાસતા ફરતા આરોપીઓ પકડવા ડ્રાઇવ રાખવામાં આવી હતી જે અન્વયે મોરબી જીલ્લા પોલીસવડા સુબોધ ઓડેદરાએ સુચના કરેલ હોય મોરબી એસઓજી પીઆઇ જે.એમ.આલના માર્ગદર્શન હેઠળ એસઓજીનો સ્ટાફ નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા પ્રયત્નશીલ હતો તે દરમ્યાન શેખાભાઇ મોરી તથા ભાવેશભાઇ મિયાત્રાને મળેલ ખાનગી બાતમી આધારે વાંકાનેર સીટી પોલીસ મથકે વર્ષ-૨૦૧૪ માં નોંધાયેલ આઇપીસી કલમ ૩૦૨(મર્ડર), ૩૦૭, ૫૦૪ ના ગુનામાં છેલ્લા સાત વર્ષથી ફરાર આરોપી શીવાભાઇ કાનજીભાઇ ભાટી વણઝારા (ઉ.વ.૩૨) ધંધો મજુરી રહે.વીસીપરા ધમલપુર તા.વાંકાનેર જી.મોરબી હાલ રહે. ધરાનગર જુનાગઢ વાળો વાંકાનેરના ચંદ્રપુર ગામના નાલા પાસેથી મળી આવતા તેને પકડી પાડીને વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો હતો.આ કામગીરી એસઓજી સ્ટાફના રસિકભાઇ કડિવાર, સબળસિંહ સોલંકી, મુકેશભાઇ જોગરાજીયા, શેખાભાઇ મોરી, મહાવીરસિંહ પરમાર, સતિષભાઇ ગરચર, ભાવેશભાઇ મિયાત્રા, ડ્રાઇવર સંદિપભાઇ માવલા ચથા પ્રિયંકાબેન પૈજાએ કરી હતી.

મોરબી ટુડેમાં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છેબી- પોઝીટીવ






Latest News