મોરબીમાં આવેલ ગજાનંદ એપાર્ટમેન્ટના ફ્લેટમાં જુગાર રમતા પાંચ શખ્સો 2.62 લાખની રોકડ સાથે ઝડપાયા મોરબીના સીરામીક ઉદ્યોગમાં પાઇપલાઇન મારફતે ગેસ સપ્લાય કરતી બે કંપનીના ભાવમાં જમીન આસમાનનો તફાવત !, ઉદ્યોગકારોની મૂંઝવણમાં સતત વધારો: હાલમાં ઉદ્યોગકારો એમજીઓ કરાર ન કરે તેવા સંકેત મોરબીમાં વ્યાજે લીધેલા 2.40 લાખ સામે 7.67 લાખ ચૂકવી દીધા છતાં ગીરવે મુકેલા દાગીના અને કોરા ચેક પાછા નહીં આપતા દંપતી સામે ગુનો નોંધાયો ભારે કરી: મોરબીમાં બાઈક વ્યવસ્થિત રાખવાનું કહેતા નિવૃત્ત પોલીસ કર્મચારીને ઝાપટ મારીને ગાળો આપી છરી મારવાનો પ્રયાસ મોરબીમાં બાઈક ચાલકે હડફેટે લેતા ઇજા પામેલ 12 વર્ષના બાળકનું મોત મોરબીમાં વેપાર માટે યુવાને વ્યાજે લીધેલા 5 લાખ સામે 7.90 લાખ ચૂકવ્યા છતાં બે શખ્સો દ્વારા પઠાણી ઉઘરાણી, મારી નાખવાની ધમકી હળવદના માથક ગામે રહેતા યુવાને અગાઉ કરેલ ફરિયાદ પાછી ખેંચી લેવા માટે ફોન ઉપર ગાળો આપીને ઠામ પતાવી દેવાની ધમકી મોરબીમાં જુદી જુદી બે જગ્યાએથી દારૂની 17 બોટલ સાથે ત્રણ શખ્સો પકડાયા, ત્રણ ની શોધખોળ
Breaking news
Morbi Today

મોરબીમાંથી રોકડ-ગાડી લઈને ગુમ થયેલા યુવાને કર્યો ચોંકાવનાર ખૂલાશો !


SHARE











મોરબીમાંથી રોકડ-ગાડી લઈને ગુમ થયેલા યુવાને કર્યો ચોંકાવનાર ખૂલાશો !

મોરબી શહેરના સનાળા રોડ ઉપર અવધ-૪ પાસે શ્રીકુંજ સોસાયટીમાં રહેતો યુવાન પોતાના ઘરેથી રોકડા અઢી લાખ રૂપિયા અને તેની ગાડી લઈને નીકળી ગયેલ હતો અને ત્યારબાદ તે ગુમ થઈ ગયો છે જેથી યુવાનની પત્નીએ પતિ ગુમ થયા હોવાની ફરિયાદ નોંધાવી હતી જે યુવાન હાલમાં મળી આવેલ છે અને કામધંધો ન હોવાથી પત્ની મેણાં ટોણાં મારતી હોવાથી તે ઘરેથી ચાલ્યો ગયો હતો તેવું યુવાને પોલીસને જણાવ્યુ છે

મોરબી શહેરના શનાળા રોડ ઉપર ગુજરાત હાઉસિંગ બોર્ડની પાછળના ભાગમાં આવેલ અવધ-૪ સોસાયટી પાસે કેનાલ રોડે શ્રીકુંજ સોસાયટીમાં રહેતા ગીતાબેન પ્રબોધભાઈ કાલરીયાએ તેઓના પતિ પ્રબોધભાઈ રવજીભાઈ કાલરીયા (૪૮) પોતાના ઘરેથી તા. ૧૬/૭ ના રોજ સવારે સાડા દસ વાગ્યે રોકડા રૂપિયા અઢી લાખ અને તેની ગાડી લઈને નીકળ્યા છે અને ત્યાર બાદ તેના પતિ ગુમ થયા હોવા અંગેની મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુમસુધા ફરિયાદ નોંધાવી હતી જેના આધારે ગુમા થયેલા યુવાનને શોધવા માટે તપાસ કરવામાં આવી રહી હતી તેવામાં ગુમ થયેલ પ્રબોધભાઈ રવજીભાઈ કાલરીયા મળી આવેલ છે ત્યારે આ આંગે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના એ.એમ.ઝાપડિયા સાથે વાત કરતાં તેને જણાવ્યુ હતું કે, ગુમ થયેલા પ્રબોધભાઈ રવજીભાઈ કાલરીયા કામધંધો કરતાં ન હતો જેથી કરીને પત્ની મેણાં ટોણાં મારતી હતી જે તેને મનોમન લાગી આવ્યું હતું અને તે ઘરેથી ચાલ્યા ગયા હતા અને મોરબીથી નીકળીને તે અમદાવાદ ખાતે તેના સબંધીના ઘરે ગયા હતા જો કે, સબંધીને પ્રબોધભાઈ મોરબીથી ગુમ થયા છે તેવી જાણ કરી હતી જેથી કરીને તેના મોટાભાઇ ત્યાં જઈને તેને મોરબી લઈને આવ્યા છે જો કે, હાલમાં પ્રબોધભાઈ તેના મોટાભાઈનાં ઘરે જ રહે છે..!






Latest News