હળવદના બુટવડા ગામે ચારિત્રની શંકાથી કંટાળીને પરણીતાએ કરેલ આપઘાતના બનાવ પતિ  સામે ગુનો નોંધાયો વાંકાનેર બાઉન્ડ્રી પાસે નજીવ વાતમાં યુવાને કડા અને પાઇપ વડે 5 શખ્સો માર માર્યો મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર આવેલ સરતાનપર ચોકડી પાસે ટ્રકની પાછળ કાર ઘૂસી જતા બે યુવાનોના મોત ટંકારાના ઘુનડા (સ) ગામે જાહેરમાં જુગાર રમતા 6 શખ્સો 10,300 ની રોકડ સાથે પકડાયા વાંકાનેર: પત્નીએ કામમાં બારોબાર ધ્યાન આપવાનું કહેતા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબીની સબજેલમાંથી જુદી જુદી બે જગ્યાએથી કીપેડ વાળા બે મોબાઈલ ફોન મળ્યા !: અગાઉની મળેલા 4 મોબાઈલની તપાસ ઠેરની ઠેર ? રીબડાનો રેકોર્ડ મોરબીના જેતપર ગામના ખેડૂતો બ્રેક કર્યો: ખાનગી વીજ કંપની સામે વિરોધ વ્યક્ત કરવા એક જ દિવસમાં 5,551 ખેડૂતોએ કર્યું રક્તદાન મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીમાં ભાજપ પરીવાર, સાંસદ, પૂર્વ ધારાસભ્ય તેમજ મહંત દ્વારા રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂજીને શુભેચ્છા પાઠવવામાં આવી


SHARE











મોરબીમાં ભાજપ પરીવાર, સાંસદ, પૂર્વ ધારાસભ્ય તેમજ મહંત દ્વારા રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂજીને શુભેચ્છા પાઠવવામાં આવી

તાજેતરમાં યોજાયેલ રાષ્ટ્રપતિ પદની ચૂંટણી દરમિયાન દેશના ૧૫ માં અને પ્રથમ આદિવાસી મહિલા તરીકે દ્રોપદી મુર્મુજી જંગી બહુમતીથી ચૂંટાઈ આવ્યા હતા.જેથી કરીને અહીંના સાંસદ વિનોદભાઈ ચાવડા દ્વારા તેઓને અભિનંદન પાઠવવામાં આવ્યા છે.તેમજ દ્રોપદીની તરફેણમાં મતદાન કરનાર સર્વેનો પણ તેઓએ આભાર વ્યક્ત કર્યો હતો.તેમજ મોરબી માળિયા વિસ્તારના પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા દ્વારા પણ તાજેતરમાં વરણી પામેલ દેશના મહિલા રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુજીનું અભિવાદન કરી તેઓને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.

તેમજ મોરબી જિલ્લા ભાજપ પરિવાર દ્વારા રાષ્ટ્રપતિ પદે દ્રોપદી મુર્મુજીની વરણી થતા ફટાકડા ફોડીને તેમજ મીઠાઈઓનું વિતરણ કરીને આનંદ વ્યક્ત કરવામાં આવ્યો હતો.આ તકે મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઈ દેથરીયા, પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ રાઘવજીભાઈ ગડારા, અરવિંદભાઇ વાંસદડીયા, જ્યોતિસિંહ જાડેજા, જયરાજસિંહ જાડેજા, કે.કે.પરમાર, દેવાભાઈ અવાડીયા, પ્રભુભાઈ પનારા, નિર્મલભાઇ જારીયા, નરેન્દ્રભાઇ પોપટ, જેઠાભાઈ પારઘી, રાકેશભાઇ કાવર સહિતના અહીંના આગેવાનો બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા અને મોરબીના નવા બસ સ્ટેન્ડ પાસે આવેલ સુપર માર્કેટ સામે ફટાકડા ફોડી, મીઠાઇ વડે એકમેકના મોં મીઠા કરાવવામાં આવ્યા હતા.જ્યારે મોરબી નજીકના મહેન્દ્રનગર ગામે આવેલ રામધન આશ્રમના મહંત પુ.ભાવેશ્વરીબેન દ્વારા પણ મહિલા શક્તિનું બહુમાન થવાથી રાષ્ટ્રપતિ બનેલા દ્રોપદી મુર્મુજીને શુભેચ્છાઓ પાઠવીને તેઓ ખૂબ ખૂબ સફળતા પ્રાપ્ત કરે અને દેશને નયા ભારત તરફ આગળ દોરી જાય તેવી અભ્યર્થના વ્યક્ત કરી હતી.






Latest News