મોરબી જિલ્લામાં બાગાયતદાર ખેડૂતો સહાયલક્ષી યોજનાઓ માટે આઇ-ખેડુત પોર્ટલ પર અરજી કરી શકશે સેવાની જ્યોત: મોરબીમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા વૃધ્ધાશ્રમમાં વડીલોને ભોજન કરાવમાં આવ્યું મોરબીના પ્રથમ ટ્રસ્ટ આધારિત ફિઝિયોથેરાપી ક્લિનિકનો એક વર્ષમાં 3000 દર્દીઓએ લાભ લીધો મોરબી આઇટીઆઇની મંત્રી કાંતિભાઈ અમૃતિયાએ વિશેષ મુલાકાત લીધી મોરબી જિલ્લામાં આગામી રવિ, સોમ અને મંગળવારે રાષ્ટ્રીય પોલિયો ઝુંબેશ અંતર્ગત ૧.૨૧ લાખથી વધુ બાળકો પીવડાવાશે પોલિયોના ટીપાં મોરબીમાં મહિલાઓને આત્મનિર્ભર બનાવવા પાંચ દિવસીય મહિલા વૃત્તીકા તાલીમ યોજાઇ મોરબી કલેક્ટર કચેરી ખાતે કરાર આધારિત કાયદા સલાહકારની ભરતી કરાશે મોરબીમાં મહેન્દ્રનગર ગામે પ્રાથમિક શાળામાં મંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીમાંથી રોકડા અઢી લાખ અને ગાડી લઈને નીકળેલા યુવાને આવું કેમ કયું ?


SHARE











મોરબીમાંથી રોકડા અઢી લાખ અને ગાડી લઈને નીકળેલા યુવાને આવું કેમ કયું ?

મોરબી શહેરના સનાળા રોડ ઉપર અવધ-૪ પાસે શ્રીકુંજ સોસાયટીમાં રહેતો યુવાન પોતાના ઘરેથી રોકડા અઢી લાખ રૂપિયા અને તેની ગાડી લઈને નીકળી ગયેલ હતો અને ત્યારબાદ તે ગુમ થઈ ગયો છે જેથી ગુમ થયેલા યુવાનના પત્નીએ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે તેના પતિ ગુમ થયા હોવાની ફરિયાદ નોંધાવી છે જેના આધારે પોલીસે યુવાનને શોધવા માટે કવાયત શરૂ કરી હતી અને હજુ સુધી ગુમ થયેલા યુવાનનો કોઈ પત્તો લાગેલ નથી જો કે, યુવાન તેના ઘરેથી જે ગાડી લઈને ગયો હતો તેને તે ગાડી રાજકોટમાં વેચી નાખી છે અને હાલમાં તે યુવાનનો મોબાઈલ ફોન પણ સ્વિચ ઓફ છે જેથી યુવાને શોધવા જુદીજુદી દિશામાં તપાસ ચાલુ છે

મોરબી શહેરના શનાળા રોડ ઉપર ગુજરાત હાઉસિંગ બોર્ડની પાછળના ભાગમાં આવેલ અવધ-૪ સોસાયટી પાસે કેનાલ રોડે શ્રીકુંજ સોસાયટીમાં રહેતા ગીતાબેન પ્રબોધભાઈ કાલરીયા (૪૮) એ તેઓના પતિ પ્રબોધભાઈ રવજીભાઈ કાલરીયા (૪૮) પોતાના ઘરેથી ગત તા. ૧૬/૭ ના રોજ સવારે સાડા દસ વાગ્યે રોકડા રૂપિયા અઢી લાખ અને તેની ગાડી લઈને નીકળ્યા છે અને ત્યાર બાદ તા ૧૭ ના સાંજે સાડા છ વાગ્યા સુધી કોઈ જગ્યાએથી મળી આવ્યા ન હતા. જેથી ગીતાબેને તેઓના પતિ ગુમ થયા હોવા અંગેની મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુમસુધા ફરિયાદ નોંધાવી હતી જેના આધારે ગુમા થયેલા યુવાનને શોધવા માટે તપાસ કરી રહેલા એ.એમ.ઝાપડિયા સાથે વાત કરતાં તેને જણાવ્યુ હતું કે, ગુમ થયેલા પ્રબોધભાઈ રવજીભાઈ કાલરીયાનો હજુ કોઈ જગ્યાએથી પોતતો લાગેલ નથી અને તે ઘરેથી નીકળ્યો હતો ત્યારે જે ગાડી લઈને ગયો હતો તે રાજકોટમાં કાર મેળામાં વેચી નાખી છે અને તેનો મોબાઈલ પણ સ્વિચ ઓફ આવે છે જો કે, તેના પરિવારજનોના કહેવા મુજબ આવું કરવા પાછળ કોઈ કારણ હાલમાં દેખાતું નથી જેથી પોલીસે યુવાનને શોધવા માટે જુદીજુદી દિશામાં તપાસના ઘોડા દોડાવ્યા છે






Latest News