મોરબીના સામાકાંઠે રહેતા યુવાનનું કોઈ કારણોસર મોત, વિશેરા લઈ મોતનું કારણ જાણવા તજવીજ શરૂ; યુવાન ઉપર છરી વડે હુમલો કરવાના બનાવમાં ચાર ની ધરપકડ બેધારી નીતિ: મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનના પ્રચાર પ્રસાર માટે બનાવેલ વોટ્સએપ ગ્રુપનું એકાઉન્ટ વારંવાર સસ્પેન્ડ !  મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે ભૂગર્ભ વાયરનું કામ યોગ્ય રીતે કરવા શહેર કોંગ્રેસ પ્રમુખની રજૂઆત વાંકાનેર પંથકમાં ખનીજ માફિયા ઉપર પોલીસની ધોંસ: 1 કરોડથી વધુનો મુદામાલ જપ્ત મોરબી જિલ્લાની મહિલાઓને ફળ-શાકભાજી પરિરક્ષણ માટે ખાસ તાલીમ અપાશે: અરજીઓ મંગાવાઇ મોરબી જિલ્લામાં બાગાયતદાર ખેડૂતો સહાયલક્ષી યોજનાઓ માટે આઇ-ખેડુત પોર્ટલ પર અરજી કરી શકશે સેવાની જ્યોત: મોરબીમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા વૃધ્ધાશ્રમમાં વડીલોને ભોજન કરાવમાં આવ્યું મોરબીના પ્રથમ ટ્રસ્ટ આધારિત ફિઝિયોથેરાપી ક્લિનિકનો એક વર્ષમાં 3000 દર્દીઓએ લાભ લીધો
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં એક જ જગ્યાએ ચીટકી ગયેલા અધિકારી-કર્મચારીની આરટીઆઇ હેઠળ માહિતી માંગવામાં આવી


SHARE











મોરબી જીલ્લામાં એક જ જગ્યાએ ચીટકી ગયેલા અધિકારી-કર્મચારીની આરટીઆઇ હેઠળ માહિતી માંગવામાં આવી

મોરબી જીલ્લાના પુર્વ સલાહકાર અન્ન નાગરીક પુરવઠા પી.પી.જોષીએ કલેકટરને લેખિત રજૂઆત કરીને માહીતી અધિનીયમ -૨૦૦૫ હેઠળ મોરબી જીલ્લામાં છેલ્લા ઘણા વર્ષોથી રેવન્યુ વિભાગમાં એક જ જગ્યાએ રાખવામા આવેલા અધિકારી અને કર્મચારીની માહિતી માંગવામાં આવી છે

હાલમાં જે માહિતી માંગવામાં આવી છે તેમાં કલેક્ટર હસ્તકની કચેરીમા છેલ્લા ત્રણ વર્ષથી વધુ સમયથી એક જ જગ્યાએ ફરજ બજાવતા કર્મચારીની માહીતી માંગવામાં આવી છે જેમાં કલેકટર કચેરી, પ્રાંત અધિકારીની કચેરી, મામલતદાર કચેરીઓનો  સમાવેશ થાય છે અને છેલ્લા એક વર્ષમાં કોઇ અધિકારી કર્મચારીની બદલી થઇ હોય તો તેની પણ માહિતી માંગવામાં આવી છે સાથોસાથ બદલી થયેલા કર્મચારી કે અધિકારીને ફરીથી ટુંકાગાળામાં પરત તેની જૂની જગ્યાએ મૂકવામાં આવેલ હોય તો તેની પણ માહિતી માંગી છે અને સરકારના કર્મચારી તેમજ અધિકારીની બદલીનો નિયમ ત્રણ વર્ષનો છે જે નિયમોનુસાર વર્ષ ૨૦૧૮ થી લઇને ૨૦૨૨ સુધીમાં કેટલા કર્મચારીની બદલી કરેલ છે તેની પણ વિગતો માંગવામાં આવેલ છે






Latest News