મોરબીમાં આવેલ ગજાનંદ એપાર્ટમેન્ટના ફ્લેટમાં જુગાર રમતા પાંચ શખ્સો 2.62 લાખની રોકડ સાથે ઝડપાયા મોરબીના સીરામીક ઉદ્યોગમાં પાઇપલાઇન મારફતે ગેસ સપ્લાય કરતી બે કંપનીના ભાવમાં જમીન આસમાનનો તફાવત !, ઉદ્યોગકારોની મૂંઝવણમાં સતત વધારો: હાલમાં ઉદ્યોગકારો એમજીઓ કરાર ન કરે તેવા સંકેત મોરબીમાં વ્યાજે લીધેલા 2.40 લાખ સામે 7.67 લાખ ચૂકવી દીધા છતાં ગીરવે મુકેલા દાગીના અને કોરા ચેક પાછા નહીં આપતા દંપતી સામે ગુનો નોંધાયો ભારે કરી: મોરબીમાં બાઈક વ્યવસ્થિત રાખવાનું કહેતા નિવૃત્ત પોલીસ કર્મચારીને ઝાપટ મારીને ગાળો આપી છરી મારવાનો પ્રયાસ મોરબીમાં બાઈક ચાલકે હડફેટે લેતા ઇજા પામેલ 12 વર્ષના બાળકનું મોત મોરબીમાં વેપાર માટે યુવાને વ્યાજે લીધેલા 5 લાખ સામે 7.90 લાખ ચૂકવ્યા છતાં બે શખ્સો દ્વારા પઠાણી ઉઘરાણી, મારી નાખવાની ધમકી હળવદના માથક ગામે રહેતા યુવાને અગાઉ કરેલ ફરિયાદ પાછી ખેંચી લેવા માટે ફોન ઉપર ગાળો આપીને ઠામ પતાવી દેવાની ધમકી મોરબીમાં જુદી જુદી બે જગ્યાએથી દારૂની 17 બોટલ સાથે ત્રણ શખ્સો પકડાયા, ત્રણ ની શોધખોળ
Breaking news
Morbi Today

મોરબીમાં રોડના ખાડ બુરવા માટે પાલિકાને સામાજિક કાર્યકરોનું ૧૫ દિવસનું અલ્ટિમેટમ


SHARE











મોરબીમાં રોડના ખાડ બુરવા માટે પાલિકાને સામાજિક કાર્યકરોનું ૧૫ દિવસનું અલ્ટિમેટમ

મોરબીને મયુર નગરી કહેવાતુ પરંતુ આજે મોરબી ખાડા નગરી તરીકે ઓળખાય છે કેમ કે, મોટાભાગના રોડ રસ્તા ઉપર લોકોની કમર તૂટી જાય તેવા ખાડા પડી ગયા છે જેથી કરીને આ ખાડાને રીપેર કરવાની સામાજિક કાર્યકરો દ્વારા સીએમને રજૂઆત કરવામાં આવી છે

મોરબીના સામાજીક કાર્યકર રાજુભાઇ દવે, અશોક ખરચરીયા, જગદીશ બાંભણીયા દ્વારા સીએમને રજૂઆત કરવામાં આવી છે જેમાં તેમણે જણાવ્યુ છે કે, મોરબી જીલ્લાના નેશનલ હાઇવેથી લઈને શહેરના રોડ રસ્તા ભાંગીને ભુક્કો થઈ ગયા છે ખાસ કરીને રવાપર રોડ, નગરપાલીકા કચેરી પાસેનો રોડ, કલેકટર બંગલા પાસેનો રોડ, શનાળા રોડ, પરા બજાર સહિતના રસ્તામાં ઠેરઠેર ખાડા પડી ગયા છે અને આ ખાડ બુરવા માટે કરોડો રૂપિયાની ગ્રાન્ટ આવે છે જો કે, તે કયા ચાઉં થઇ જાય છે તે તપાસનો વિષય છે મોરબીના લોકોની સુખાકારી માટે સરકારી ગ્રાન્ટ ઉપરાંત લોકો દ્વારા કરોડો રૂપિયાનો ટેક્સ પણ પાલિકામાં ભરવામાં આવે છે તો પણ લોકોને  સારા રોડ રસ્તાની સુવિધાઓ પણ મળતી નથી અને જેટલા પણ રોડ બને છે તેમાં ઈજનેરોને સાથે રાખીને કોઈ જગ્યાએ પાણીના નિકાલ સહિતની કામગીરી કરવામાં આવતી નથી જેથી રોડ કતા નથી અને લોકોની હાલાકી દૂર થતી નથી ખાસ કરીને જીલ્લામાં માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓએ દ્વારા જયારે કામ ચાલુ હોય છે ત્યારે કોઇ ધ્યાન આપવામાં આવતું નથી જેથી કરીને નબળી કામગીરી કોન્ટ્રાકટર દ્વારા કરવામાં આવે છે ત્યારે હાલમાં સીએમને જે રજૂઆત કરવામાં આવી છે તેને ધ્યાને લઈને જો ૧૫ દિવસમાં કામગીરી ન થઇ તો પ્રજાને સાથે રાખીને પાલિકાને તાળા બંધી કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે






Latest News