મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના ખાખરાળા તાલુકા શાળામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના મકનસર ગામે વિચરતી-વિમુક્ત જાતિના ૫૪ લાભાર્થીઓને રહેણાંક પ્લોટ કબજો સોંપાયો મોરબી તાલુકામાંથી સગીરાનું લગ્નની લાલચે અપહરણ કરીને દુષ્કર્મ આચરનારા શખ્સને 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબીમાં માસૂમ બાળક રાહ ભટકે તે પૂર્વે સંસ્થાઓ વ્હારે આવી, ગુમ બાળકનું પરિવાર સાથે મિલન મોરબી જેતપર ગામના ખેડૂતની માંગણી સરકાર એક બેઠકમાં ન ઉકેલે તો હું પણ ઉપવાસી છાવણીમાં ખેડૂતો સાથે બેસી જઈશ: હકાભા ગઢવી મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનનું નિરાકરણ લાવવા ગોર ખીજડીયાના સરપંચે PM ને લખ્યો પત્ર મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળા અને માધ્યમિક શાળામાં જિલ્લા પોલીસ વડાની હાજર શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીમાં સમસ્ત રઘુવંશી સમાજના મહાસંમેલન માટે કાલે મિટીંગ આયોજન


SHARE











મોરબીમાં સમસ્ત રઘુવંશી સમાજના મહાસંમેલન માટે કાલે મિટીંગ આયોજન

આગામી તા. ૧૭-૭ ને રવિવારના રોજ મોરબી મુકામે રઘુવંશી ક્રાંતિ મંચ દ્વારા યોજાનાર રઘુવંશી મહાસંમેલન તથા મહાપ્રસાદના આયોજન અંગે આવતી કાલે સાંજે યોજાનાર મિટીંગમાં રાજકોટ, મોરબી, વાંકાનેર, ટંકારા, હળવદ ઉપરાંત રઘુવંશી ક્રાંતિ મંચના હોદેદારો સહીતના ગામેગામથી રઘુવંશી અગ્રણીઓ ઉપસ્થિત રહેશે.

આગામી તા.૧૭-૭ ને રવિવારના રોજ મોરબીના કેશવ પાર્ટી પ્લોટ લીલાપર કેનાલ રોડ ખાતે રઘુવંશી ક્રાંતિ મંચ દ્વારા સમસ્ત રઘુવંશી સમાજના મહાસંમેલન તથા મહાપ્રસાદનુ અભુતપૂર્વ આયોજન કરવામા આવેલ છે.તેના અનુસંધાનમા આવતી કાલ તા.૧૨ ને મંગળવારના રોજ સાંજે ૭ કલાકે મોરબી લોહાણા વિદ્યાર્થી ભવન-વસંત પ્લોટ ખાતે અગત્યની મીટીંગ તેમજ ભોજન પ્રસાદનુ આયોજન કરવામા આવેલ છે.આ મીટીંગમા મોરબી લોહાણા મહાજન તથા મોરબી લોહાણા સમાજના અગ્રણીઓ, રઘુવંશી ક્રાંતિ મંચના કેન્દ્રીય અધ્યક્ષ ડો.ધર્મેશભાઈ ઠક્કર તથા સૌરાષ્ટ્ર ઝોન અધ્યક્ષ સોનલબેન વસાણી, વાંકાનેર લોહાણા સમાજ અગ્રણી તેમજ શ્રી રામધામના પ્રણેતા જીતુભાઈ સોમાણી તથા વાંકાનેર લોહાણા મહાજનના અગ્રણીઓ, ટંકારા લોહાણા મહાજન તથા યુવક મંડળ ના અગ્રણીઓ, રાજકોટ લોહાણા સમાજ અગ્રણી શ્રી હસુભાઈ ભગદે તથા રાજકોટ રઘુવંશી પરિવાર ના અગ્રણીઓ, હળવદ લોહાણા સમાજ અગ્રણી બકાભાઈ ઠક્કર તથા હળવદ લોહાણા મહાજન ના અગ્રણીઓ ઉપસ્થિત રહેશે.સમસ્ત રઘુવંશી સમાજ ની એકતા તથા રાજકીય-સામાજીક ઉત્કર્ષ માટે હરહંમેશ કટીબધ્ધ રઘુવંશી ક્રાંતિ મંચ દ્વારા મોરબી મુકામે યોજાનાર રઘુવંશી મહાસંમેલન ના આયોજન ના ભાગરૂપે યોજાનાર મીટીંગ મા સમસ્ત રઘુવંશી સમાજ ના અગ્રણીઓને ઉપસ્થિત રહેવા અનુરોધ છે.મીટીંગ તેમજ ભોજન પ્રસાદનુ આયોજન હોય, દરેક મહાનુભવોએ તા.૧૨ ને મંગળવારે સાંજે ૭ કલાકે શ્રી લોહાણા વિદ્યાર્થી ભવન-મોરબી ખાતે સમયસર ઉપસ્થિત રહેવુ






Latest News