મોરબીના સામાકાંઠે રહેતા યુવાનનું કોઈ કારણોસર મોત, વિશેરા લઈ મોતનું કારણ જાણવા તજવીજ શરૂ; યુવાન ઉપર છરી વડે હુમલો કરવાના બનાવમાં ચાર ની ધરપકડ બેધારી નીતિ: મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનના પ્રચાર પ્રસાર માટે બનાવેલ વોટ્સએપ ગ્રુપનું એકાઉન્ટ વારંવાર સસ્પેન્ડ !  મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે ભૂગર્ભ વાયરનું કામ યોગ્ય રીતે કરવા શહેર કોંગ્રેસ પ્રમુખની રજૂઆત વાંકાનેર પંથકમાં ખનીજ માફિયા ઉપર પોલીસની ધોંસ: 1 કરોડથી વધુનો મુદામાલ જપ્ત મોરબી જિલ્લાની મહિલાઓને ફળ-શાકભાજી પરિરક્ષણ માટે ખાસ તાલીમ અપાશે: અરજીઓ મંગાવાઇ મોરબી જિલ્લામાં બાગાયતદાર ખેડૂતો સહાયલક્ષી યોજનાઓ માટે આઇ-ખેડુત પોર્ટલ પર અરજી કરી શકશે સેવાની જ્યોત: મોરબીમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા વૃધ્ધાશ્રમમાં વડીલોને ભોજન કરાવમાં આવ્યું મોરબીના પ્રથમ ટ્રસ્ટ આધારિત ફિઝિયોથેરાપી ક્લિનિકનો એક વર્ષમાં 3000 દર્દીઓએ લાભ લીધો
Breaking news
Morbi Today

મોરબીમાં વ્યાજખોરના ત્રાસથી યુવાનનો આપઘાતનો પ્રયાસ: દસ સામે નોંધાયો ગુનો


SHARE











મોરબીમાં વ્યાજખોરના ત્રાસથી યુવાનનો આપઘાતનો પ્રયાસ: દસ સામે નોંધાયો ગુનો

મોરબીના સનાળા રોડ ઉપર આવેલ ઉમિયા સર્કલ પાસે સનરાઈઝ એપાર્ટમેન્ટમાં રહેતા યુવાને વ્યાજકોરોના ત્રાસથી આપઘાતનો પ્રયાસ કર્યો હતો જેથી તેને સારવાર માટે ખસેડાયો હતો અને ત્યાર બાદ તેણે હાલમાં મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ૧૦ શખ્સોની સામે ફરિયાદ નોંધાવતા પોલીસે આઈપીસી કલમ ૫૦૪, ૫૦૬(૨), ૧૧૪ અને ગુજરાત નાણાંધીદાર અધિનિયમ સન ૨૦૧૧ ના કાયદાની કલમ ૫, ૩૩, ૪૦ અને ૪૨ (એ)(બી) મુજબ ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે થઈને તજવીજ શરૂ કરેલ છે

જાણવા મળતી વિગત પ્રમાણે મોરબીના શનાળા રોડ ઉપર આવેલ ઉમિયા સર્કલ પાસે સનરાઈઝ એપાર્ટમેન્ટના બ્લોક નં.૧૦૧ માં રહેતા અતુલભાઇ ડાયાભાઈ પટેલ (ઉમર ૩૩) એ થોડા દિવસો પહેલા આપઘાતનો પ્રયાસ કર્યો હતો અને તે વ્યાજખોરોના ત્રાસથી કંટાળીને ગુડ નાઈટનું લિક્વિડ પી ગયો હતો જેથી તેને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો અને ત્યારબાદ હાલમાં યુવાને મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ૧૦ શખ્સોની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યું છે કે, તેને આરોપીઓ પાસેથી ૫.૩૬ લાખ રૂપિયા આજે લીધેલા હતા અને તેને આરોપીઓને મૂડી તેમજ વ્યાજ ચૂકવી આપ્યું હોવા છતાં પણ આરોપીઓ દ્વારા અવારનવાર ગાળો બોલીને મુદલ અને વ્યાજની રકમની પઠાણી ઉઘરાણી કરવામાં આવતી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવતી હતી જેથી કરીને કંટાળીને તેણે ગુડ નાઈટ ગુડ નાઈટનું લિક્વિડ પી લીધું હતું અને સારવાર લીધા બાદ યુવાને જે શખ્સોની સામે ફરિયાદ નોંધાવી છે તેમાં જીગાભાઈ ઉર્ફે જીગો, રમેશભાઈ બોરીચા, વરૂણભાઇ બોરીચા, રાહુલભાઈ, રવિભાઈ ડાંગર, ડીબીભાઈ રબારી, રાજેશભાઈ બોરીચા, ભોલુભાઈ, સિધ્ધરાજસિંહ ગોહિલ અને કાનો નામના શખ્સનો સમાવેશ થાય છે અને યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે અત્રે ઉલેખનીય છે કે, આરોપીઓના ફરિયાદીને નામ સરનામા પણ પૂરા ખબર નથી તો પણ તગડું વ્યાજ લેતા વ્યાજખોરો દ્વારા તેને લાખો રૂપિયા વ્યાજે આપવામાં આવ્યા હતા હાલમાં ફરિયાદી યુવાને આરોપીઓના આધુરા નામોની સાથે તેના મોબાઈલ નંબર પણ પોલીસને આપ્યા છે ત્યારે પોલીસ દ્વારા આરોપીઓને કયારે પકડવામાં આવશે તે તો આગામી સમય જ બતાવશે






Latest News