મોરબીમાં આવેલ ગજાનંદ એપાર્ટમેન્ટના ફ્લેટમાં જુગાર રમતા પાંચ શખ્સો 2.62 લાખની રોકડ સાથે ઝડપાયા મોરબીના સીરામીક ઉદ્યોગમાં પાઇપલાઇન મારફતે ગેસ સપ્લાય કરતી બે કંપનીના ભાવમાં જમીન આસમાનનો તફાવત !, ઉદ્યોગકારોની મૂંઝવણમાં સતત વધારો: હાલમાં ઉદ્યોગકારો એમજીઓ કરાર ન કરે તેવા સંકેત મોરબીમાં વ્યાજે લીધેલા 2.40 લાખ સામે 7.67 લાખ ચૂકવી દીધા છતાં ગીરવે મુકેલા દાગીના અને કોરા ચેક પાછા નહીં આપતા દંપતી સામે ગુનો નોંધાયો ભારે કરી: મોરબીમાં બાઈક વ્યવસ્થિત રાખવાનું કહેતા નિવૃત્ત પોલીસ કર્મચારીને ઝાપટ મારીને ગાળો આપી છરી મારવાનો પ્રયાસ મોરબીમાં બાઈક ચાલકે હડફેટે લેતા ઇજા પામેલ 12 વર્ષના બાળકનું મોત મોરબીમાં વેપાર માટે યુવાને વ્યાજે લીધેલા 5 લાખ સામે 7.90 લાખ ચૂકવ્યા છતાં બે શખ્સો દ્વારા પઠાણી ઉઘરાણી, મારી નાખવાની ધમકી હળવદના માથક ગામે રહેતા યુવાને અગાઉ કરેલ ફરિયાદ પાછી ખેંચી લેવા માટે ફોન ઉપર ગાળો આપીને ઠામ પતાવી દેવાની ધમકી મોરબીમાં જુદી જુદી બે જગ્યાએથી દારૂની 17 બોટલ સાથે ત્રણ શખ્સો પકડાયા, ત્રણ ની શોધખોળ
Breaking news
Morbi Today

મોરબીના બગથળા નકલંક મંદિર, થાનના જોગ ધ્યાનપુરા આશ્રમ અને ધમલપર ગેલમાતાજી મંદિરે ગુરુપૂર્ણિમા ઉજવાશે


SHARE











મોરબીના બગથળા નકલંક મંદિર, થાનના જોગ ધ્યાનપુરા આશ્રમ અને ધમલપર ગેલમાતાજી મંદિરે ગુરુપૂર્ણિમા ઉજવાશે

મોરબી સદગુરુ ૧૦૦૮ ધ્યાનશંકર મુક્તિનારાયણ બાપુ (જોગ ડુંગરીવાળા બાપુ)ના આશીર્વાદથી તા. ૧૩ જુલાઈને બુધવારે થાનગઢ ખાતે આવેલ જોગ ધ્યાનપુરા આશ્રમ ખાતે ગુરુપૂર્ણિમા મહોત્સવની ઉજવણી કરવામાં આવશે ત્યારે સત્સંગ, સંતવાણી, ગુરુપૂજન સહિતના કાર્યક્રમોની ઉજવણી કરવામાં આવશે

થાન ખાતે આવેલ જોગ ધ્યાનપુરા આશ્રમમાં ગુરુપૂર્ણિમા મહોત્સવની આગામી દિવસોમાં ઉજવણી કરવામાં આવશે ત્યારે પૂજ્ય બાપુની રથયાત્રા, પ્રસાદ વિતરણ, પૂજા, સર્વ ગુરુભાઈઓ-બહેનો દ્વારા વિદ્વાન ભૂદેવોના  વેદોક્ત મંત્રો સાથે ગુરુપૂજન વિધિ, ધ્વજાજીનું આરોહણ, મહાપ્રસાદ સહિતનું આયોજન કરાયું છે. સાથોસાથ ઉછામણીમાં બાકી રહી ગયેલા દાતાઓનું સન્માન કરાશે તેમજ આયુર્વેદિક અને સુગર અને બીપી ચેકઅપ માટે કમ્પનું પણ આયોજન કરાયું છે અને ભજન સંધ્યા રાખવામા આવેલ છે જેમાં ગીતાબેન રબારી, નિલેશભાઈ ગઢવી અને હરદેવભાઈ આહીર સહિતના કલાકારો રમઝટ બોલાવશે.

ધમલપર ગુરુપૂર્ણિમા

વાંકાનેરના ધમલપર ખાતે ગેલમાતાજીના મંદિરે પીર મશાયખ સાર્વજનિક ટ્રસ્ટ અને ગેલભવાની માનવ સેવા સમિતિ દ્વારા ગુરુપૂર્ણિમા નિમિત્તે ફ્રી સર્વ રોગ નિદાન અને રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે તેની સાથોસાથ પ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું છે ફ્રી સર્વરોગ નિદાન કેમ્પમાં ડો. મોહસીન સિપાઈ, ડો. રજનીક વોરા, ડો. યાસીન ગઢીયા, અને ડો. રીઝવાનાબેન ગઢીયા સેવા આપશે.

નકલંકધામ મંદિરે ગુરુપૂર્ણિમા

મોરબીના બગથળા ગામે નકલંકધામ મંદિરે ગુરુપૂર્ણિમાની ઉજવણી કરવામાં આવશે અને આગામી બુધવારે સવારે ૯ વાગ્યે ગુરુજીની આરતી અને પૂજન કરાશે ત્યાર બાદ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. જેથી કરીને ગુરુ ભાઈઓ અને બહેનોને તેનો લાભ લેવા સંસ્થા તરફથી જાહેર આમંત્રણ આપવામાં આવ્યું છે






Latest News