મોરબીના સામાકાંઠે રહેતા યુવાનનું કોઈ કારણોસર મોત, વિશેરા લઈ મોતનું કારણ જાણવા તજવીજ શરૂ; યુવાન ઉપર છરી વડે હુમલો કરવાના બનાવમાં ચાર ની ધરપકડ બેધારી નીતિ: મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનના પ્રચાર પ્રસાર માટે બનાવેલ વોટ્સએપ ગ્રુપનું એકાઉન્ટ વારંવાર સસ્પેન્ડ !  મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે ભૂગર્ભ વાયરનું કામ યોગ્ય રીતે કરવા શહેર કોંગ્રેસ પ્રમુખની રજૂઆત વાંકાનેર પંથકમાં ખનીજ માફિયા ઉપર પોલીસની ધોંસ: 1 કરોડથી વધુનો મુદામાલ જપ્ત મોરબી જિલ્લાની મહિલાઓને ફળ-શાકભાજી પરિરક્ષણ માટે ખાસ તાલીમ અપાશે: અરજીઓ મંગાવાઇ મોરબી જિલ્લામાં બાગાયતદાર ખેડૂતો સહાયલક્ષી યોજનાઓ માટે આઇ-ખેડુત પોર્ટલ પર અરજી કરી શકશે સેવાની જ્યોત: મોરબીમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા વૃધ્ધાશ્રમમાં વડીલોને ભોજન કરાવમાં આવ્યું મોરબીના પ્રથમ ટ્રસ્ટ આધારિત ફિઝિયોથેરાપી ક્લિનિકનો એક વર્ષમાં 3000 દર્દીઓએ લાભ લીધો
Breaking news
Morbi Today

મોરબીના શનાળા નજીક ટ્રકમાંથી પડી ગયેલ યુવાન રાજકોટ ખસેડાયો


SHARE











મોરબીના શનાળા નજીક ટ્રકમાંથી પડી ગયેલ યુવાન રાજકોટ ખસેડાયો

મોરબી નજીકના શનાળા ગામ પાસે અજંતા ક્લોક નજીક શ્રીજી એસ્ટેટમાં આવેલ સૌરાષ્ટ્ર ટ્રાન્સપોર્ટમાં ટ્રકમાંથી નીચે પડી ગયેલા મુર્ગન અન્ના (ઉમર ૪૬) રહે.એંધીપુર ઇરોડ તમિલનાડુ નામના યુવાનને અહીંની ક્રિષ્ના હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યો હતો અને અહીં પ્રાથમિક સારવાર આપીને તેને વધુ સારવાર માટે રાજકોટ લઈ જવાયો હોવાનું જાણવા મળેલ છે.હાલ બનાવ અંગે એ ડિવિઝન પોલીસ મથકના એચ.એમ.ચાવડા દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.જ્યારે વાંકાનેર તાલુકાના વાંકિયા ગામે રહેતા નૂરમામદભાઈ હાજીભાઈ શેરસિયા નામના ૬૮ વર્ષીય આધેડ ગામના બસ સ્ટેશન પાસેથી બાઈક લઈને જતા હતા તે દરમિયાન અન્ય બાઇક ચાલક સાથે તેમનો વાહન અકસ્માત સર્જાયો હતો જેથી ઇજાગ્રસ્ત નુરમમદભાઈને સારવાર માટે મોરબી લાવવામાં આવ્યા હતા.

મહિલા સારવારમાં

જામનગરના જોડિયા ખાતે રહેતા નેહાબેન કલ્યાણજીભાઈ મકવાણા નામની ૨૬ વર્ષીય મહિલાને જામનગરના હાપા નજીક બાઇક સ્લીપ થઈ જવાના બનેલ બનાવમાં ઇજાગ્રત હાલતમાં સારવાર માટે મોરબી લાવવામાં આવ્યા હતા. જ્યારે હળવદના રહેવાસી કમલેશ હરિલાલ સોલંકી નામના ૪૭ વર્ષીય યુવાનને હળવદમાં લુહાર વાળી સામે ગાયે હડફેટે લેતા ઇજાઓ થવાથી કમલેશભાઈને પણ સારવાર માટે મોરબી લાવવામાં આવ્યા હતા.

ઝેરી જનાવર કરી જતા સારવારમાં

માળિયા મીંયાણા તાલુકાના સુલતાનપુર ગામે વાડી વિસ્તારમાં ઝેરી જનાવર કરડી ગયું હોવાથી સંગીતાબેન રાકેશભાઈ ભુરીયા જાતે આદિવાસી નામની ૨૩ વર્ષની મહિલાને સારવાર માટે અત્રેની સિવિલે લાવવામાં આવી હતી.જ્યારે સુરેન્દ્રનગરના રણમલપુર ગામે રહેતા દેવકરણભાઈ કેશવજીભાઈ પારજીયા નામના ૫૮ વર્ષના આધેડને વાહન અકસ્માતના બનાવમાં ઇજાઓ તથા તેઓને પણ સારવાર માટે મોરબી લાવવામાં આવ્યા હતા.






Latest News