મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

મોરબીમાં વ્યાપક બનેલ પશુધન ચોરી અંગે તાત્કાલિક પગલા લેવા માંગ


SHARE







મોરબીમાં વ્યાપક બનેલ પશુધન ચોરી અંગે તાત્કાલિક પગલા લેવા માંગ

મોરબી પંથકમાં દુધાળા પશુઓની ચોરી થતી હોય અને સમયાંતરે સતત ચોરીઓ થતી હોવાના લીધે હાલમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ માલધારી સેલના પૂર્વ ઉપપ્રમુખ રમેશભાઈ રબારી દ્વારા રજૂઆત કરીને સીમ ચોરી અને ઢોર ચોરી અટકાવવામાં આવે અને તે માટે પોલીસ પેટ્રોલીંગ સઘન બનાવવામાં આવે તેવી માંગ કરવામાં આવેલ છે.

તેઓએ કરેલ રજૂઆતમાં તેમણે જણાવેલ છેકે, મોરબી જિલ્લાના નવા સાદુળકા, સોખડા અને બેલા ગામમાં છેલ્લા એક સપ્તાહમાં ચારથી પણ વધારે દુઝણી ભેંસો ચોરાઈ ગયેલ છે જે અંગે સંબંધકર્તા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ કરાયેલ છે.સામાન્ય રીતે એક ભેંસની રૂા.૮૦ હજારથી એક લાખ જેવી કિંમત હોય છે અને ભેંસ જેતે માલધારીના આજીવિકાનું મુખ્ય સાધન હોય છે ત્યારે આ ભેંસો ચોરાઈ જતા જેતે પરિવાર નિરાધાર બને છે.આ પશુધનને રાતવેળાએ બોલેરો જેવી ગાડીમાં લઈ જવાય છે ત્યારે આ બાબતે પોલીસ પેટ્રોલીંગ વધુ કડક બનાવીને પશુ સાથે નિકળતા વાહનોનું સઘન ચેકીંગ કરીને પશુ કોના છે અને કયાં લઈ જવાય છે..? તેની ઘનિષ્ઠ પુછપરછ કરવી જોઈએ. હમણા હમણાં આવા પશુઢોર ચોરનાર ખાસ ટોળકી પ્રવૃત બનેલ છે.જે સબબ તાલુકાના અને શહેરનાં પશુપાલકો વસાહતો પાસે સમયાંતરે પેટ્રોલીંગ થવું જોઈએ અને ઢોરચોરીના આ દુષણને અટકાવવા યથાર્થ પ્રયાસો કરવા જોઈએ. અગાઉ ત્રણ વર્ષ પહેલા પણ આ રીતે જ પશુ ચોરીના સંખ્યાબંધ બનાવો બન્યા હતા જેનું પુનરાવર્તન થઇ રહ્યુ હોય પોલીસ સઘન પગલા લે તેવી માલધારી સમાજમાંથી માંગ ઉઠી રહી છે.

ગરીબોને મફત અનાજ યોજના બંધ કરવાની હિલચાલનો વિરોધ

દેશમાં પ્રધાનમંત્રી (પી.એમ.જી.કે.) યોજના અંતર્ગત નાણા વિભાગને આ ખર્ચ મોંઘુ પડતુ હોય રદ કરવાની વિચારણા ચાલી રહી છે. ત્યારે નાણા સચિવ સિવાયનાં સરકાર દ્વારા અનેક બીનજરૂરી અને ફાલતુ ખર્ચાઓ થઈ રહ્યા છે. જેમાં પ્રતિદિન દેશના તમામ ભાષાનાં અખબારોમાં મસ મોટી જાહેરાતો પાછળ કરોડો રૂપિયા ખર્ચ થાય છે.આ ઉપરાંત સરકાર દ્વારા છાશવારે મસમોટા કાર્યક્રમો થાય છે તેમા આધુનિક મંડપ સરજામ, એસીની સુવિધાયુકત સમિયાણા પાછળ ત્થા તે માટે સરકારી સંબંધિત અધિકારીઓના પગાર ભથ્થા વિગેરે માટે કલ્પનાનીત ખર્ચાઓ થાય છે ત્યારે ફકત મફત અનાજ યોજનાનો જ ખર્ચ વધુ લાગ્યો તે આશ્ચર્યજનક છે.આ યોજનાથી દેશનાં કરોડો જરૂરતમંદ પરિવારો લાભ લઈ પેટની ભૂખ સંતોષે છે તો આ બાબતે સરકારે ગંભીરતાથી વિચારણા કરવી જોઇએ.નાણાં બચાવવા સરકારી તાફયા અને વાહવાહી પાછળ કરાતા ખર્ચમાં કાપ મુકવો જોઇએ.દેશના વિશાળ જનહિત માટે મફત અનાજ યોજના ચાલુ રાખવામાં આવે તેવો સુયોગ્ય નિર્ણય લેવા દેશના નાણાં મંત્રાલયના સચિવને રમેશભાઇ રબારી દ્રારા લેખીત રજૂઆત કરાયેલ છે.






Latest News