મોરબીના ખોખરા હરિહરધામે હનુમાન જયંતિ નિમિત્તે મહાઆરતી, રામધુન, સંતવાણી અને મહાપ્રસાદનું આયોજન હળવદ નજીક હોટલ પાસે તલવાર વડે કરાયેલ જીવલેણ હુમલાના ગુનામાં કોર્ટે 4 આરોપીઓને સજા અને દંડ ફટકાર્યો વાંકાનેરના અરણીટીંબા ગામે ત્યજી દેવાયેલ નવજાત બાળકીને શ્વાને બચકાં ભરીને ફાડી ખાધી મોરબી OSEM સ્કુલની વિદ્યાર્થિનીએ મેળવી રાષ્ટ્રીય સ્તરે સિધ્ધી મોરબીમાં ફૈબા દ્વારા ભત્રીજા-ભત્રીજીના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે મેડિકલ કેમ્પ યોજાયો મોરબીમાં ભોજાણી પરિવારના કુળદેવી શ્રી ભવાની માતાજી મંદિરે નવચંડી યજ્ઞ માળીયા (મી)ના મોટા દહીસરા ગામે પ્રેમલગ્ન કરનારા યુવતીના કાકા ઉપર યુવાનના કૌટુંબિક વ્યક્તિએ કર્યો છરી વડે હુમલો હળવદમાં દુકાન પાસે હરાજી કરવાની ના કહેતા વેપારી ઉપર 5 શખ્સોનો પાઇપ વડે હુમલો
Breaking news
Morbi Today

મોરબીના લક્ષ્મીનગર ગામે ત્રીજા માળેથી પટકાયેલ યુવાનનું મોત


SHARE











મોરબીના લક્ષ્મીનગર ગામે ત્રીજા માળેથી પટકાયેલ યુવાનનું મોત

મોરબીના સામાકાંઠે માળિયા હાઇવે ઉપર લક્ષ્મીનગર ગામની પાસે આવેલ કારખાનામાં ત્રીજા માળેથી નીચે પડેલ યુવાનને મોરબી બાદ વધુ સારવાર માટે રાજકોટ લઇ જવાયો હતો જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હોવાનું જાણવા મળેલ છે.

મોરબીના માળીયા હાઈવે ઉપર આવેલ લક્ષ્મીનગર ગામ નજીકના બાલાજી ઓટોપેક નામના કારખાનામાં ગઈકાલે ત્રીજા માળેથી વિનોદકુમાર રામેશ્વરભાઈ કાલી (ઉમર ૪૦) નામનો મૂળ ઉત્તરપ્રદેશનો યુવાન નીચે પટકાયો હતો જેથી તેને મોરબી ખાતે સારવારમાં લઈ જવાયો હતો અને ત્યાં પ્રાથમિક સારવાર આપીને તેને વધુ સારવાર માટે રાજકોટ લઇ જવાયો હતો.જયાં રાજકોટ ખાતે ટુંકી સારવાર દરમ્યાન વિનોદકુમારનું મોત નિપજયુ હોવાનું સુત્રોમાંથી જાણવા મળેલ છે.બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા તાલુકા પોલીસ મથકના મનિષભાઇ બારૈયા દ્વારા ઉપરોકત બનાવની આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.






Latest News