મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

મોરબીના લક્ષ્મીનગર ગામે ત્રીજા માળેથી પટકાયેલ યુવાનનું મોત


SHARE







મોરબીના લક્ષ્મીનગર ગામે ત્રીજા માળેથી પટકાયેલ યુવાનનું મોત

મોરબીના સામાકાંઠે માળિયા હાઇવે ઉપર લક્ષ્મીનગર ગામની પાસે આવેલ કારખાનામાં ત્રીજા માળેથી નીચે પડેલ યુવાનને મોરબી બાદ વધુ સારવાર માટે રાજકોટ લઇ જવાયો હતો જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હોવાનું જાણવા મળેલ છે.

મોરબીના માળીયા હાઈવે ઉપર આવેલ લક્ષ્મીનગર ગામ નજીકના બાલાજી ઓટોપેક નામના કારખાનામાં ગઈકાલે ત્રીજા માળેથી વિનોદકુમાર રામેશ્વરભાઈ કાલી (ઉમર ૪૦) નામનો મૂળ ઉત્તરપ્રદેશનો યુવાન નીચે પટકાયો હતો જેથી તેને મોરબી ખાતે સારવારમાં લઈ જવાયો હતો અને ત્યાં પ્રાથમિક સારવાર આપીને તેને વધુ સારવાર માટે રાજકોટ લઇ જવાયો હતો.જયાં રાજકોટ ખાતે ટુંકી સારવાર દરમ્યાન વિનોદકુમારનું મોત નિપજયુ હોવાનું સુત્રોમાંથી જાણવા મળેલ છે.બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા તાલુકા પોલીસ મથકના મનિષભાઇ બારૈયા દ્વારા ઉપરોકત બનાવની આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.






Latest News