મોરબી : ટાઈલ્સ ટ્રેડીંગનો ધંધો બરોબર ન ચાલતા દવા પીધી-સારવારમાં મોરબીમાં દારૂની જુદી-જુદી પાંચ રેડ : 36 બોટલ શરાબ પકડતી પોલીસ વાંકાનેરમાં વધુ એક બાયપાસ બનતા જીનપરા જકાતનાકે વાહનોનું ભારણ ઘટશે, કોરોના પહેલાની બંધ કરાયેલ લોકલ ટ્રેન ફરી શરૂ કરવા રજૂઆત: પત્રકાર પરિષદમાં સાંસદ કેસરીદેવસિંહ ઝાલાએ આપી માહિતી મોરબીમાં છેલ્લા 15 વર્ષથી શિક્ષણ સેવા ક્ષેત્રે અનોખું યોગદાન : મદની સરકાર એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા 120 થી વધુ વિદ્યાર્થીઓને શિક્ષણ કીટનું વિતરણ મોરબી: અપહરણ-પોકસોના કેસમાં ગુજરાત હાઇકોર્ટે આરોપીનો જામીન ઉપર છુટકારો કર્યો ચેક રીર્ટનના કેસમાં બે વર્ષની સાદી કેદની સજા અને ૪,૧૫,૦૦૦ નો દંડ તથા વ્યાજ સહિત ચુકવવાનો હુકમ કરતી મોરબી કોર્ટ મોરબીના જેતપર ગામે આજે ઉપવાસી છાવણી ખાતે રક્તદાન કેમ્પ યોજાશે: ખેડૂતો વીજ કંપની સામે આક્રોશ સાથે રક્તદાન કરવા ઉમટી પડ્યા મોરબીના જેતપર ગામે છેલ્લા છ દિવસથી આમરણાંત ઉપવાસ કરી રહેલ નેહુલ અમૃતિયાની તબિયત લથડી: ખેડૂતો હજુ પણ તેની માંગ ઉપર મક્કમ
Breaking news
Morbi Today

મોરબીના લક્ષ્મીનગર ગામે ત્રીજા માળેથી પટકાયેલ યુવાનનું મોત


SHARE











મોરબીના લક્ષ્મીનગર ગામે ત્રીજા માળેથી પટકાયેલ યુવાનનું મોત

મોરબીના સામાકાંઠે માળિયા હાઇવે ઉપર લક્ષ્મીનગર ગામની પાસે આવેલ કારખાનામાં ત્રીજા માળેથી નીચે પડેલ યુવાનને મોરબી બાદ વધુ સારવાર માટે રાજકોટ લઇ જવાયો હતો જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હોવાનું જાણવા મળેલ છે.

મોરબીના માળીયા હાઈવે ઉપર આવેલ લક્ષ્મીનગર ગામ નજીકના બાલાજી ઓટોપેક નામના કારખાનામાં ગઈકાલે ત્રીજા માળેથી વિનોદકુમાર રામેશ્વરભાઈ કાલી (ઉમર ૪૦) નામનો મૂળ ઉત્તરપ્રદેશનો યુવાન નીચે પટકાયો હતો જેથી તેને મોરબી ખાતે સારવારમાં લઈ જવાયો હતો અને ત્યાં પ્રાથમિક સારવાર આપીને તેને વધુ સારવાર માટે રાજકોટ લઇ જવાયો હતો.જયાં રાજકોટ ખાતે ટુંકી સારવાર દરમ્યાન વિનોદકુમારનું મોત નિપજયુ હોવાનું સુત્રોમાંથી જાણવા મળેલ છે.બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા તાલુકા પોલીસ મથકના મનિષભાઇ બારૈયા દ્વારા ઉપરોકત બનાવની આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.






Latest News