મોરબીમાં આવેલ ગજાનંદ એપાર્ટમેન્ટના ફ્લેટમાં જુગાર રમતા પાંચ શખ્સો 2.62 લાખની રોકડ સાથે ઝડપાયા મોરબીના સીરામીક ઉદ્યોગમાં પાઇપલાઇન મારફતે ગેસ સપ્લાય કરતી બે કંપનીના ભાવમાં જમીન આસમાનનો તફાવત !, ઉદ્યોગકારોની મૂંઝવણમાં સતત વધારો: હાલમાં ઉદ્યોગકારો એમજીઓ કરાર ન કરે તેવા સંકેત મોરબીમાં વ્યાજે લીધેલા 2.40 લાખ સામે 7.67 લાખ ચૂકવી દીધા છતાં ગીરવે મુકેલા દાગીના અને કોરા ચેક પાછા નહીં આપતા દંપતી સામે ગુનો નોંધાયો ભારે કરી: મોરબીમાં બાઈક વ્યવસ્થિત રાખવાનું કહેતા નિવૃત્ત પોલીસ કર્મચારીને ઝાપટ મારીને ગાળો આપી છરી મારવાનો પ્રયાસ મોરબીમાં બાઈક ચાલકે હડફેટે લેતા ઇજા પામેલ 12 વર્ષના બાળકનું મોત મોરબીમાં વેપાર માટે યુવાને વ્યાજે લીધેલા 5 લાખ સામે 7.90 લાખ ચૂકવ્યા છતાં બે શખ્સો દ્વારા પઠાણી ઉઘરાણી, મારી નાખવાની ધમકી હળવદના માથક ગામે રહેતા યુવાને અગાઉ કરેલ ફરિયાદ પાછી ખેંચી લેવા માટે ફોન ઉપર ગાળો આપીને ઠામ પતાવી દેવાની ધમકી મોરબીમાં જુદી જુદી બે જગ્યાએથી દારૂની 17 બોટલ સાથે ત્રણ શખ્સો પકડાયા, ત્રણ ની શોધખોળ
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં શાળારૂપી ઉદ્યાનમાં બાળકુસુમોને મહેકતા રાખજો: બ્રિજેશભાઇ મેરજા


SHARE











મોરબી જીલ્લામાં શાળારૂપી ઉદ્યાનમાં બાળકુસુમોને મહેકતા રાખજો: બ્રિજેશભાઇ મેરજા

રાજ્યમંત્રી બ્રિજેશભાઇ મેરજાએ મોરબી તાલુકાના ઇન્દીરાનગર, મહેન્દ્રનગર તેમજ ઘુંટુ પ્રાથમિક શાળામાં બાળકોને વ્હાલભેર શાળામાં પ્રવેશ કરાવી કન્યા કેળવણી મહોત્સવ તેમજ શાળા પ્રવેશ ઉત્સવની ઉમંગભેર ઉજવણી કરી હતી.

રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજાએ મોરબીના ઇન્દીરાનગર, મહેન્દ્રનગર તેમજ ઘુંટુ પ્રાથમિક શાળાઓમાં બાલુડાઓને કાખમાં બેસાડી તેમજ આંગળી પકડીને ઉષ્માભેર શાળાના પટાંગણમાં પ્રવેશ કરાવ્યો હતો. આ તકે રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજાએ જણાવ્યું હતું કે, વર્ષ ૨૦૦૨ માં તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વિદ્યાના વિસ્તાર તેમજ કન્યા કેળવણીને ઉત્તેજન આપવાના પ્રયાસથી આ ક્રાંતિકારી પહેલ કરી હતી અને હાલ ગુજરાત સરકારે આ વણથંભી યાત્રા અવિરત પણે ચાલુ રાખી છે. શિક્ષણ વિના જીવન અધુરુ છે તથા કન્યા કેળવણી પણ એટલી જ જરૂરી છે તેવું જણાવી , દીકરી  તુલસીનો ક્યારો છે, શાળા અને ઘરમાં અપાતા સંસ્કારને સુવાસિત કરીને દીકરી બે ઘર તારે છે તેવું ઉમેર્યુ હતુ.

નામાંકન એ શરૂઆત છે તેવું જણાવી, શિક્ષકો તેમજ વિદ્યાર્થીઓના વાલીઓને સંબોધીને જણાવ્યું હતું કે, આ બાળકોની હાજરી શાળાઓમાં અવિરત રહે તેવા શિક્ષકો પ્રયાસ કરે અને તેમની અભિરૂચીને કેળવે. ઉપરાંત બાળકો નિયમિત શાળાએ જાય તેનું ખાસ ધ્યાન રાખવા બાળકોના માતા-પિતાને પણ અપીલ કરી હતી. બાળકોમાં રહેલા કૌવત અને સુષુપ્ત કૌશલ્યને ઓળખીને તેને પોષતું રહેવા પણ તેઓએ  શિક્ષકોને જણાવ્યું હતું. વધુમાં શાળારૂપી ઉદ્યાનમાં આ મધમધતા બાળકુસુમોને હંમેશા મહેકતા રાખવા પણ જણાવ્યું હતું. ગુજરાતના ગામડા ખૂંદી ને સરકાર દ્વારા બાળકો ભણે આગળ વધી તેમની કારકિર્દી બનાવે તેના જે પ્રયાસ કરવામાં આવી રહ્યા છે તેની સફળતાનું ઉત્તમ ઉદાહરણ છે ખાનગી શાળાઓમાંથી સરકારી શાળાઓમાં પ્રવેશ મેળવતા બાળકો તેમ વધુમાં જણાવ્યું હતું.

કલેકટર જે.બી.પટેલે પણ ગામડાઓમાં ડ્રોપ આઉટ રેશિયો ઘટે અને બાળકો શિક્ષિત બની ઉત્તમ ભાવિ નાગરિકો બને તે તરફના સહિયારા પ્રયાસ કરવા ગ્રામજનોને અપીલ કરી હતી. આ તકે રાજ્યમંત્રી બ્રિજેશભાઇ મેરજાએ બાળકોની સાથે બાળક બની તેમની સાથે બેસીને બાળકોની જ કાલીઘેલી ભાષામાં વાતચીત કરી હતી. આ ઉપરાંત આગળ જતા તેમણે શું બનવું છે તેવી મહત્વકાંક્ષાઓની પણ માહિતી મેળવી હતી. આ કાર્યક્રમનો હર્ષ ઉલ્લાસ બાળકોના ચહેરા પર વર્તાઈ રહ્યો હતો. ઇન્દીરાનગર પ્રાથમિક શાળામાં ૮૩ બાળકો ને આંગણવાડીમાં ૧૬ બાળકો,  મહેન્દ્રનગર પ્રાથમિક શાળામાં ૩૯ બાળકો અને આંગણવાડીમાં ૩૩ બાળકો, ઘુંટુ પ્રાથમિક શાળામાં ૮૫ બાળકો અને આંગણવાડીમાં ૪૦ બાળકો મળી પ્રાથમિક શાળામાં કુલ ૨૦૭ તેમજ આંગણવાડી માં ૮૯ વિદ્યાર્થીઓને આ તકે પ્રવેશ આપવામાં આવ્યો હતો.

આ પ્રસંગે કલેક્ટર જે.બી.પટેલ, જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠી, જિલ્લા વિકાસ અધિકારી પરાગ જે. ભગદેવ, મોરબી પ્રાંત અધિકારી ડી.એ.ઝાલા, જિલ્લા શિક્ષણ અધિકારી બી.એમ.સોલંકી તેમજ અગ્રણી સર્વ જીગ્નેશભાઈ કૈલા, અરવિંદભાઈ વાંસદડિયા, રાજાભાઈ પરમાર, જયેશભાઈ કાલરીયા, ભાવેશભાઈ પરમાર, સુરેશભાઈ શિહોરા, ભાવનાબેન શેરસીયા, જયંતીભાઈ શેરસીયા, મનસુખભાઈ આદ્રોજા તેમજ વિવિધ પદાધિકારીઓ, અધિકારીઓ, શાળાના આચાર્યઓ, શિક્ષકો, વાલીગણ, ગ્રામજનો તેમજ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા






Latest News