મોરબી સાર્થક વિદ્યામંદિરના વિદ્યાર્થીઓએ કલાત્મક ક્ષેત્રે રાજ્યકક્ષાએ શ્રેષ્ઠ સિદ્ધિ મેળવી મોરબીના સિરામિક ઉદ્યોગકારોનો બાંધકામની જંત્રીને લગતો પ્રશ્ન વહેલી તકે ઉકેલાય તે માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીના બાયપાસ રોડ ઉપરથી 10 જેટલા કાચા પાકા દબાણોને મનપાની ટીમે તોડી પાડ્યા મોરબીમાં ઘરેલુ હિંસાથી પીડિત સગર્ભા મહિલાને અજુગતુ પગલુ ભરતા બચાવતી 181 અભયમ ટીમ વાંકાનેરમાં મંદિરના નવનિર્માણના નામે જુદાજુદા બે લક્કી ડ્રોની ટિકિટોનું વેચાણ કરતો એજન્ટ પકડાયો: 13 સામે ગુનો નોંધાયો મોરબીના નીચી માંડલ પાસે રોડ ક્રોસ કરતાં યુવાનને ડમ્પર ચાલકે હડફેટે લેતા પગમાં 3 ફ્રેકચર: વાંકાનેરમાં જુગાર રમતા ચાર પકડાયા ટંકારાના સાવડી ગામ પાસે બાઇક ચાલકે સાયકલને ટક્કર મારતા ઇજા પામેલા આધેડનું સારવારમાં મોત વાંકાનેર-માળીયા તાલુકા અને મોરબી શહેરમાં વિદેશી દારૂની 4 રેડ: દારૂની નાની મોટી 30 બોટલ કબ્જે
Breaking news
Morbi Today

મોરબી શ્રી વડવાળા યુવા સંગઠનના મુખ્ય સંયોજક તરીકે દેવેન રબારીની વરણી


SHARE











મોરબી શ્રી વડવાળા યુવા સંગઠનના મુખ્ય સંયોજક તરીકે દેવેન રબારીની વરણી

મોરબી સમસ્ત મચ્છુકાંઠાના  રબારી સમાજના યુવાનોના ઉત્થાન માટે શ્રી વડવાળા યુવા સંગઠન સક્રિય છે આ સંગઠનના મુખ્ય સંયોજક તરીકે દેવેનભાઈ રબારીની સર્વાનુમતે વરણી કરવામાં આવી છે ત્યારે તેમણે રબારી સમાજમાં શૈક્ષણિકસામાજિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો થકી જાગૃતિ લાવવા પર ભાર મુક્યો હતો અને આગામી સમયમાં માલધારી સમેલનનું આયોજન  કરવાનું પણ જણાવ્યું છે

મોરબીના શ્રી વડવાળા યુવા સંગઠનની તાજેતરમાં અષાઢી બીજના પાવન અવસરે મોરબીના અયોધ્યા પુરી રોડ ઉપર આવેલ જલારામ મંદિર ખાતે કોરોબારી બેઠક મળી હતી. જેમાં શ્રી વડવાળા યુવા સંગઠનના મુખ્ય સંયોજક તરીકે દેવેનભાઈ રબારીની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી અને કારોબારીમાં ૭૧ સભ્યોની નિમણુંક કરવામાં આવી છે આ પ્રસંગે રબારી સમાજના અગ્રણીઓ સોહનભાઈ રગીયામોતીભાઈ કરોતરારાયમલભાઈ રબારીભરતભાઇ રબારીહીરાભાઈ ખાંભલાધારાભાઈ ટમાંરિયા સહિતના યુવા કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા અને દેવેનભાઈની વરણીને આવકારી હતી.

આ તકે દેવેનભાઈ રબારીએ જણાવ્યું હતું કેરબારી સમાજમાં જે મને મોભાદાર પદ સાથે જવાબદારી સોપી છે અને સમાજે મારા ઉપર જે વિશ્વાસ મુક્યો છે. તેના પુરી નિષ્ઠાની નિભાવીશ. તેમજ રબારી સમાજમાં ખાસ કરીને શૈક્ષણિક ક્ષેત્રે ઉતરોતર વિકાસ થાય તે માટે સતત પ્રયત્નશીલ રહીશ અને શૈક્ષણિકસામાજિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો થકી સમાજમાં જાગૃતિ લાવવા માટેના તેમના દ્વારા પ્રયાસો કરવામાં આવસે અને આગામી સમયમાં માલધારી સંમેલનનું આયોજન કરવામાં આવશે






Latest News