મોરબીના સામાકાંઠે રહેતા યુવાનનું કોઈ કારણોસર મોત, વિશેરા લઈ મોતનું કારણ જાણવા તજવીજ શરૂ; યુવાન ઉપર છરી વડે હુમલો કરવાના બનાવમાં ચાર ની ધરપકડ બેધારી નીતિ: મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનના પ્રચાર પ્રસાર માટે બનાવેલ વોટ્સએપ ગ્રુપનું એકાઉન્ટ વારંવાર સસ્પેન્ડ !  મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે ભૂગર્ભ વાયરનું કામ યોગ્ય રીતે કરવા શહેર કોંગ્રેસ પ્રમુખની રજૂઆત વાંકાનેર પંથકમાં ખનીજ માફિયા ઉપર પોલીસની ધોંસ: 1 કરોડથી વધુનો મુદામાલ જપ્ત મોરબી જિલ્લાની મહિલાઓને ફળ-શાકભાજી પરિરક્ષણ માટે ખાસ તાલીમ અપાશે: અરજીઓ મંગાવાઇ મોરબી જિલ્લામાં બાગાયતદાર ખેડૂતો સહાયલક્ષી યોજનાઓ માટે આઇ-ખેડુત પોર્ટલ પર અરજી કરી શકશે સેવાની જ્યોત: મોરબીમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા વૃધ્ધાશ્રમમાં વડીલોને ભોજન કરાવમાં આવ્યું મોરબીના પ્રથમ ટ્રસ્ટ આધારિત ફિઝિયોથેરાપી ક્લિનિકનો એક વર્ષમાં 3000 દર્દીઓએ લાભ લીધો
Breaking news
Morbi Today

મોરબીના વોર્ડ નં-૨ માં સસ્તા અનાજની નવી દુકાન ખોલવા માટે મામલતદારને રજૂઆત


SHARE











મોરબીના વોર્ડ નં-૨ માં સસ્તા અનાજની નવી દુકાન ખોલવા માટે મામલતદારને રજૂઆત

મોરબી પાલીકાના વોર્ડ નંબર-૨ ના સદસ્ય જયંતીભાઇ છગનભાઈ ઘાંટલીયાએ મોરબી સીટી મામલતદારને લેખીત રજૂઆત કરીને તેમના વિસ્તારમાં સસ્તા અનાજની નવી દકાન ખોલવામાં આવે તેવી માંગ કરી છે

હાલમાં તેને કરેલી રજૂઆતમાં જણાવ્યુ છે કે, મોરબીના વોર્ડ નં-૨ માં વીસીપરા તથા અમરેલી વિસ્તાર આવે છે અને ત્યાં આશરે પંદર હજારની વસ્તી છે હાલમાં આ વિસ્તારમાં સસ્તા અનાજની બે દુકાનો ચાલુ છે. અગાઉ ત્રણ દુકાનો હતી પરંતુ કોઈના હીતની ખાતર એક દુકાનદારે રાજીનામુ આપતા હાલમાં બે દુકાનો ચાલુ છે. જેના કાર્ડની સંખ્યા આશરે ૩૦૦૦ જેવી થાય છે. જેથી રેશન કાર્ડ ધારકને કલાકો સુધી દુકાનમાં વારો આવતો નથી. જેથી ગ્રાહકો હેરાન પરેશાન થાય છે. માટે નિયમાનુસાર વસ્તી ધોરણે અહીં ત્રીજી દુકાન ખોલવી જરૂરી છે.જેથી ગ્રાહકને સમયસર અનાજ મળી રહે અને જરૂરીયાતમંદને હેરાન થવું પડશે નહીં વધુમાં તેઓએ જણાવેલ છે કે મોરબીમાં સસ્તા અનાજની ધણી દુકાનો હાલ છેલ્લા ધણા સમયથી ચાર્જમા છે. જેમકે વાવડી રોડ, સ્ટેશન રોડ, શનાળા રોડ હાઉસીંગ બોર્ડ આવી દુકાનો લાગતા વળગતાઓને ચાર્જમાં આપીને ચલાવવામા આવે છે જેની પણ તપાસ કરવામાં આવે તે જરૂરી છે.






Latest News