મોરબીના સામાકાંઠે રહેતા યુવાનનું કોઈ કારણોસર મોત, વિશેરા લઈ મોતનું કારણ જાણવા તજવીજ શરૂ; યુવાન ઉપર છરી વડે હુમલો કરવાના બનાવમાં ચાર ની ધરપકડ બેધારી નીતિ: મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનના પ્રચાર પ્રસાર માટે બનાવેલ વોટ્સએપ ગ્રુપનું એકાઉન્ટ વારંવાર સસ્પેન્ડ !  મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે ભૂગર્ભ વાયરનું કામ યોગ્ય રીતે કરવા શહેર કોંગ્રેસ પ્રમુખની રજૂઆત વાંકાનેર પંથકમાં ખનીજ માફિયા ઉપર પોલીસની ધોંસ: 1 કરોડથી વધુનો મુદામાલ જપ્ત મોરબી જિલ્લાની મહિલાઓને ફળ-શાકભાજી પરિરક્ષણ માટે ખાસ તાલીમ અપાશે: અરજીઓ મંગાવાઇ મોરબી જિલ્લામાં બાગાયતદાર ખેડૂતો સહાયલક્ષી યોજનાઓ માટે આઇ-ખેડુત પોર્ટલ પર અરજી કરી શકશે સેવાની જ્યોત: મોરબીમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા વૃધ્ધાશ્રમમાં વડીલોને ભોજન કરાવમાં આવ્યું મોરબીના પ્રથમ ટ્રસ્ટ આધારિત ફિઝિયોથેરાપી ક્લિનિકનો એક વર્ષમાં 3000 દર્દીઓએ લાભ લીધો
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામા પીજીવીસીએલ દ્વારા ૪૭૬ વીજ ફરિયાદોનો તાત્કાલિક નિકાલ કરાયો


SHARE











મોરબી જીલ્લામા પીજીવીસીએલ દ્વારા ૪૭૬ વીજ ફરિયાદોનો તાત્કાલિક નિકાલ કરાયો

મોરબી વર્તુળ કચેરી દ્વારા ચોમાસાની સીઝનમાં લોકોને સાતત્યપૂર્ણ વીજ વીજ પૂરવઠો મળી રહે તે માટે પ્રિમોન્સૂન અંતર્ગત કામગીરી કરવામાં આવી રહી છે જેમાં મોરબી જિલ્લા પીજીવીસીએલ વર્તુળ કચેરી દ્વારા તા. ૧૬.૬ દરમિયાન શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં લાઈટ બંધ, ડીમ પાવર, વીજ ટ્રાન્સફોર્મર બળી ગયેલ હોય, વીજ થાંભલાથી વાયર ઢીલો કે તૂટી ગયેલ હોય તેવી પીજીવીસીએલને અનુલક્ષીને મળેલી ૪૭૬ વીજ ફરિયાદોનો તાત્કાલિક ધોરણે નિકાલ કરાયો છે

તેવી જ રીતે દિવસ દરમિયાન ફોલ્ટમાં હોય તેવી ૩૮ લાઈનોને રીપેરીંગ કરીને વીજ પૂરવઠો ચાલુ કરી દીધેલ છે આ કામગીરી માટે વીજ વિભાગની ૩૬ ટીમો ફિલ્ડમાં કામ કરી રહેલ છે આમ હાલ મોરબી પીજીવીસીએલ વર્તુળ કચેરી દ્વારા કોઈ પણ ફરિયાદ પેન્ડીંગ ન હોવાની સાથે જિલ્લામાં વીજ પૂરવઠો ખોરવાય તો ગ્રાહકોને તેમના વિસ્તારની પેટા વિભાગીય કચેરીનો તેમજ તેના ફોલ્ટ સેન્ટરનો સંપર્ક સાધવા મોરબી પીજીવીસીએલ વર્તુળ કચેરીના અધિક્ષક ઈજનેર બી.આર. વડાવીયા તરફથી એક અખબારી યાદીમાં જણાવાયું છે






Latest News