હળવદના બુટવડા ગામે ચારિત્રની શંકાથી કંટાળીને પરણીતાએ કરેલ આપઘાતના બનાવ પતિ  સામે ગુનો નોંધાયો વાંકાનેર બાઉન્ડ્રી પાસે નજીવ વાતમાં યુવાને કડા અને પાઇપ વડે 5 શખ્સો માર માર્યો મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર આવેલ સરતાનપર ચોકડી પાસે ટ્રકની પાછળ કાર ઘૂસી જતા બે યુવાનોના મોત ટંકારાના ઘુનડા (સ) ગામે જાહેરમાં જુગાર રમતા 6 શખ્સો 10,300 ની રોકડ સાથે પકડાયા વાંકાનેર: પત્નીએ કામમાં બારોબાર ધ્યાન આપવાનું કહેતા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબીની સબજેલમાંથી જુદી જુદી બે જગ્યાએથી કીપેડ વાળા બે મોબાઈલ ફોન મળ્યા !: અગાઉની મળેલા 4 મોબાઈલની તપાસ ઠેરની ઠેર ? રીબડાનો રેકોર્ડ મોરબીના જેતપર ગામના ખેડૂતો બ્રેક કર્યો: ખાનગી વીજ કંપની સામે વિરોધ વ્યક્ત કરવા એક જ દિવસમાં 5,551 ખેડૂતોએ કર્યું રક્તદાન મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

મોરબી દલીત મુસ્લિમ એકતા સમિતિએ ધર્મની રાજનિતી બંધ કરવા આવેદનપત્ર પાઠવ્યુ


SHARE











મોરબી દલીત મુસ્લિમ એકતા સમિતિએ ધર્મની રાજનિતી બંધ કરવા આવેદનપત્ર પાઠવ્યુ

મોરબી શહેર અને જિલ્લામાં વિવિધ એકતાના પ્રતીક સેવાકાર્ય કરતી સંસ્થા દ્વારા મોરબી દલીત મુસ્લિમ એકતા સમિતિએ હાલની પરિસ્થિતિને ધ્યાને રાખીને કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું છે અને મુસ્લિમ સમાજના મોહમ્મદ પયગંબર વિશે ટીવી ડિબેટમા ભાજપના નૂપુર શર્માએ અશોભનીય શબ્દનો ઉપયોગ કરી ટિપ્પણી કરી હતી અને સમગ્ર દેશ સહિત વિશ્વભરમાં મુસ્લિમ સમાજની લાગણી દુભાણી છે જેને ધ્યાને રાખી મોરબી દલિત મુસ્લિમ એકતા સમિતિ દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે અને જણાવ્યું છે કે ધર્મની રાજનીતિમા હિન્દુ-મુસ્લિમ સમાજની એકતામાં દરાર પડે તેવા દ્રશ્યો હાલમાં સામે આવી રહયા છે ત્યારે સર્વે હિન્દુ મુસ્લિમ સમાજમા એકતા ભાઈચારો જળવાઈ રહે તેવા તેવા પ્રયાસો કરવાની જરૂર છે તેવી લાગણી વ્યક્ત કરી હતી અને મોરબીમાં આવેદનપત્ર આપવામાં આવ્યું હતું ત્યારે અશ્વિનભાઈ ટુંડિયા, ડુંગરભાઇ ટુંડિયા, આરીફભાઈ બ્લોચ, મુસાભાઇ ચાનીયા, ઈદ્રીશભાઈ બ્લોચ, ફારૂક શાહમદાર, ઈકબાલ ચાનીયા શકીલભાઈ શેખ, રીયાજ અન્સારી અને દિપકભાઈ સોલંકી સહિતના હાજર રહ્યા હતા






Latest News