મોરબીના સીરામીક ઉદ્યોગમાં પાઇપલાઇન મારફતે ગેસ સપ્લાય કરતી બે કંપનીના ભાવમાં જમીન આસમાનનો તફાવત !, ઉદ્યોગકારોની મૂંઝવણમાં સતત વધારો: હાલમાં ઉદ્યોગકારો એમજીઓ કરાર ન કરે તેવા સંકેત મોરબીમાં વ્યાજે લીધેલા 2.40 લાખ સામે 7.67 લાખ ચૂકવી દીધા છતાં ગીરવે મુકેલા દાગીના અને કોરા ચેક પાછા નહીં આપતા દંપતી સામે ગુનો નોંધાયો ભારે કરી: મોરબીમાં બાઈક વ્યવસ્થિત રાખવાનું કહેતા નિવૃત્ત પોલીસ કર્મચારીને ઝાપટ મારીને ગાળો આપી છરી મારવાનો પ્રયાસ મોરબીમાં બાઈક ચાલકે હડફેટે લેતા ઇજા પામેલ 12 વર્ષના બાળકનું મોત મોરબીમાં વેપાર માટે યુવાને વ્યાજે લીધેલા 5 લાખ સામે 7.90 લાખ ચૂકવ્યા છતાં બે શખ્સો દ્વારા પઠાણી ઉઘરાણી, મારી નાખવાની ધમકી હળવદના માથક ગામે રહેતા યુવાને અગાઉ કરેલ ફરિયાદ પાછી ખેંચી લેવા માટે ફોન ઉપર ગાળો આપીને ઠામ પતાવી દેવાની ધમકી મોરબીમાં જુદી જુદી બે જગ્યાએથી દારૂની 17 બોટલ સાથે ત્રણ શખ્સો પકડાયા, ત્રણ ની શોધખોળ હળવદમાં ઘરે મોડા આવતા પતિ સાથે બોલાચાલી ઝઘડો થતાં પરિણીતાએ કર્યો આપઘાત
Breaking news
Morbi Today

મોરબીમાં ફોરલેન અને ઓવરબ્રીજના મંજૂર થયેલા કામોને તાત્કાલિક શરૂ કરવા સીએમને રજુઆત


SHARE











મોરબીમાં ફોરલેન અને ઓવરબ્રીજના મંજૂર થયેલા કામોને તાત્કાલિક શરૂ કરવા સીએમને રજુઆત

મોરબી શહેરમાં ટ્રાફિકની સમસ્યાને હલ કરવા માટે સરકારે ઓવરબ્રિજ તેમજ ફોરલેન મંજૂર કરેલ છે જો કે, હજુ સુધી તેના કામ શરૂ કરવામાં આવેલ નથી જેથી કરીને સામાજિક કાર્યકરે આ મુદે સીએમને રજૂઆત કરી છે અને વહેલી તકે કામ ચાલુ કરીને સમયસર પૂરા કરવામાં આવે તેવી માંગ કરેલ છે

મોરબીમાં લોકોની સુખાકારી વધારવા માટે ધડોધડ જુદાજુદા કામ મંજૂર કરી લેવામાં આવેલ છે જો કે કામ ચાલુ કરવામાં આવતા નથી જેથી ટંકારના સામાજિક કાર્યકર હસમુખભાઈ ગઢવીએ સીએમ ભુપેન્દ્રભાઈ પટેલને રજૂઆત કરી છે જેમાં તેને જણાવ્યુ છે કે, મોરબીમાં જીવલેણ અકસ્માતના લીધે અત્યાર સુધીમાં ઘણા લોકોના જીવ ગયા છે અને ટ્રાફિકની માથું ફાડી નાખે તેવી છે જેથી કરીને મોરબીથી હળવદ રોડ ફોરલેન, મોરબીથી જેતપર રોડ ફોરલેન અને મોરબીથી નવલખી ફોરલેનનું કામ મંજૂર કરવામાં આવેલ છે જો કે, હજુ કામ શરૂ પણ કરવામાં આવ્યું નથી આવી જ રીતે મહેન્દ્રનગર અને નટરાજ પાસે ઓવરબ્રીજનું કામ મંજૂર કરેલ છે જો કે, તે કામ પણ શરૂ કરવામાં આવેલ નથી તેમજ મચ્છુ નદીમાં ચાર સ્થળે બેઠા પૂલ જેમાં જુના સ્મશાનથી સામાકાંઠે નવા સ્મશાન સુધી, મહાપ્રભુજીની બેઠકથી કાલીકા ઘાટ શીતળા માતાના મંદિર સુધી, રામ ઘાટથી સામાકાંઠે ન્યુ પેલેસ રોડ સુધી અને ભડીયાદ રોડથી લીલાપર રોડ સુધી મચ્છુ નદી ઉપર બેઠો પુલ બનાવવામાં આવે તેવી પણ માંગ કરી છે 






Latest News