મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે ભૂગર્ભ વાયરનું કામ યોગ્ય રીતે કરવા શહેર કોંગ્રેસ પ્રમુખની રજૂઆત વાંકાનેર પંથકમાં ખનીજ માફિયા ઉપર પોલીસની ધોંસ: 1 કરોડથી વધુનો મુદામાલ જપ્ત મોરબી જિલ્લાની મહિલાઓને ફળ-શાકભાજી પરિરક્ષણ માટે ખાસ તાલીમ અપાશે: અરજીઓ મંગાવાઇ મોરબી જિલ્લામાં બાગાયતદાર ખેડૂતો સહાયલક્ષી યોજનાઓ માટે આઇ-ખેડુત પોર્ટલ પર અરજી કરી શકશે સેવાની જ્યોત: મોરબીમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા વૃધ્ધાશ્રમમાં વડીલોને ભોજન કરાવમાં આવ્યું મોરબીના પ્રથમ ટ્રસ્ટ આધારિત ફિઝિયોથેરાપી ક્લિનિકનો એક વર્ષમાં 3000 દર્દીઓએ લાભ લીધો મોરબી આઇટીઆઇની મંત્રી કાંતિભાઈ અમૃતિયાએ વિશેષ મુલાકાત લીધી મોરબી જિલ્લામાં આગામી રવિ, સોમ અને મંગળવારે રાષ્ટ્રીય પોલિયો ઝુંબેશ અંતર્ગત ૧.૨૧ લાખથી વધુ બાળકો પીવડાવાશે પોલિયોના ટીપાં
Breaking news
Morbi Today

મોરબીમાં હર ઘર તિંરગા અભિયાન અંતર્ગત જનજાગૃતિ અભિયાન હાથ ધરાશે


SHARE











મોરબીમાં હર ઘર તિંરગા અભિયાન અંતર્ગત જનજાગૃતિ અભિયાન હાથ ધરાશે

આઝાદી કા અમૃત મહોત્સવ હેઠળ સમગ્ર દેશમાં હર ઘર તિરંગા અભિયાન હાથ ધરવામાં આવશે. આ અંગે કેન્દ્રીય ગૃહ મંત્રી અમીતભાઇ શાહે હર ઘર તિરંગા કાર્યક્રમની જાહેરાત કરીને સમગ્ર દેશમાં અભિયાનમાં વધુને વધુ લોકો ભાગ લે તે આહ્વાન કરી વધુને વધુ આ કાર્યક્રમમાં જોડાય તે માટે વિવિધ કાર્યક્રમો યોજવા વહિવટી તંત્રને દિશા-નિર્દેશો આપવામાં આવ્યા છે.

આઝાદી કા અમૃત મહોત્સવ હેઠળ કેન્દ્ર તેમજ રાજ્ય સરકાર દ્વારા અનેકવિધ કાર્યક્રમો યોજાઇ રહ્યા છે ત્યારે આપણા દેશની આન, બાન અને શાન એવા તિરંગો ઘર ઘર સુધી પહોંચે તે માટે વિશેષ પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. આ માટે સરકાર દ્વારા આગામી સમયમાં વિવિધ જનજાગૃતિના કાર્યક્રમો જિલ્લા તેમજ તાલુકા સ્તરે હાથ ધરવામાં આવનાર છે. રાષ્ટ્રવાદ જગાડવા માટે સમગ્ર દેશમાં હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત ગુજરાત રાજ્ય સૌથી મહત્વનો ભાગ ભજવશે ત્યારે આપણો મોરબી જિલ્લો પણ હર ઘર તિરંગા અભિયાનમાં મહત્વનું યોગદાન પ્રદાન કરશે. આ અંગે જિલ્લા કલેક્ટર જે.બી. પટેલ તેમજ સમગ્ર વહિવટી તંત્રના સંયુક્ત પ્રયાસો હાથ ધરવામાં આવનાર છે.

તિરંગો ઘર ઘર, ગામે-ગામ, દુકાનો, ફેક્ટરી, શાળાઓ સહિત અનેક સ્થાનો પર ૧૧ થી ૧૭ ઓગસ્ટ સુધી ફરકાવવામાં આવે તે અંગે કાર્યયોજના તૈયાર કરવામાં આવી રહી છે. વધુમાં તિરંગો ફરકાવવા માટે તેનું સન્માન જળવાઇ રહે તે માટે પ્રોટોકોલની પણ સમજ આપવામાં આવશે. આગામી ૧૫મી ઓગસ્ટના દિવસે હર ઘર તિરંગા કાર્યક્રમને લીલીઝંડી આપી ગૃહ મંત્રાલયે લોકોમાં દેશભાવના જાગે અને દેશ પ્રત્યે સંવેદના રહે તે માટે આ કાર્યક્રમ દેશ-વિદેશમાં ઉજવવામાં આવશે. આ કાર્યક્રમ માટે સરકારશ્રીએ હવે માત્ર ખાદીનો જ નહીં પરંતુ પોલીસ્ટર, કોટન સહિતના કાપડમાંથી પણ બનાવવાની છુટ આપી છે. અત્યાર સુધી હાથ વણાટનો અને ખાદીનો તિરંગો રાષ્ટ્રીય તેમજ રાજ્ય સ્તરે ઉપયોગમાં લેવામાં આવતો હતો.






Latest News