મોરબીના ખોખરા હરિહરધામે હનુમાન જયંતિ નિમિત્તે મહાઆરતી, રામધુન, સંતવાણી અને મહાપ્રસાદનું આયોજન હળવદ નજીક હોટલ પાસે તલવાર વડે કરાયેલ જીવલેણ હુમલાના ગુનામાં કોર્ટે 4 આરોપીઓને સજા અને દંડ ફટકાર્યો વાંકાનેરના અરણીટીંબા ગામે ત્યજી દેવાયેલ નવજાત બાળકીને શ્વાને બચકાં ભરીને ફાડી ખાધી મોરબી OSEM સ્કુલની વિદ્યાર્થિનીએ મેળવી રાષ્ટ્રીય સ્તરે સિધ્ધી મોરબીમાં ફૈબા દ્વારા ભત્રીજા-ભત્રીજીના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે મેડિકલ કેમ્પ યોજાયો મોરબીમાં ભોજાણી પરિવારના કુળદેવી શ્રી ભવાની માતાજી મંદિરે નવચંડી યજ્ઞ માળીયા (મી)ના મોટા દહીસરા ગામે પ્રેમલગ્ન કરનારા યુવતીના કાકા ઉપર યુવાનના કૌટુંબિક વ્યક્તિએ કર્યો છરી વડે હુમલો હળવદમાં દુકાન પાસે હરાજી કરવાની ના કહેતા વેપારી ઉપર 5 શખ્સોનો પાઇપ વડે હુમલો
Breaking news
Morbi Today

મોરબીના નાયબ મામલતદાર રાઠોડની વાંકાનેર ખાતે બદલી


SHARE











મોરબીના નાયબ મામલતદાર રાઠોડની વાંકાનેર ખાતે બદલી

મોરબીના સામાકાંઠે આવેલ એનસીસાટી કમ્પાઉન્ડમાં સીટી મામલતદાર ઓફિસ ચાલુ કરવામાં આવી હતી જોકે ત્યાં છેલ્લા ઘણા સમયથી ફરિયાદો ઉઠી રહી હોય તેને ધ્યાનમાં લઇને તપાસ કરી ઉપરી અધિકારી દ્વારા હાલમાં નાયબ મામલતદારોની વાંકાનેર ખાતે બદલી કરવામાં આવી હોવાનું જાણવા મળેલ છે.

મોરબી સીટી મામલતદાર ઓફીસ છેલ્લા ચારેક મહીનાથી મોરબી એનસીસી કંપાઉન્ડ ખાતે પ્રજાની માંગણી ધ્યાને લઇને ચાલુ કરેલ અને ત્યાં નાયબ મામલતદાર પૂરવઠામાં એ.બી.રાઠોડની નિમણૂંક કરવામાં આવેલ પરંતુ થોડા જ સમયમાં ના.મામલતદાર રાઠોડ વિરુધ્ધ અસંખ્ય ફરીયાદો આવેલ જેમાં ખોટા બિન જરૂરી ડોકયુમેન્ટ માંગવા, એનએસના ફોર્મ ન લેવા, અરજદારો સાથે ગેરવર્તન કરવું જેવી ઘણી જ ફરીયાદો અહીંના નાગરીક પુરવઠાના પુર્વ સલાહકાર પી.પી.જોષીને મળેલ તે બાબતે જાત તપાસ કરતા ના.મામલતદાર રાઠોડે તેમની સાથે પણ ગેરવર્તન કરેલ અને પોતાની મનમાની કરવાનું ચાલુ રાખેલ આ બાબતે પી.પી.જોષીએ અહિંના કલેકટરને અને છેક મુખ્યમંત્રીને રજુઆત કરેલ કે આવા અધિકારી સરકારને બદનામ કરે છે. સરકાર કરોડો રૂપિયા ગરીબ પાછળ ખર્ચ કરે છે પણ બેદરકાર અધિકારીઓને કારણે આ લાભ પ્રજા સુધી પહોચતો નથી અને સરકાર બદનામ થાય તેવા પ્રયાસો અધીકારીઓ કરે છે માટે આવા અધિકારીની બદલી કરવી જોઇએ તેવી માંગણી જોષીએ કરેલ જે બાબતે તમામ તપાસ કરીને સત્ય જણાતા તેમની બદલી વાંકાનેર મતદાર યાદી વિભાગમા બદલી કરેલ છે.તેમની જગ્યાએ એ.એસ.જાડેજાને વાંકાનેરથી મોરબી ખાતે પુરવઠા નાયબ મામલતદાર તરીકે મુકવામા આવેલ છે.જેથી આ વિસ્તારની પ્રજામાં રાહતની લાગણી ફેલાય છે તેમ પી.પી.જોષીએ જણાવેલ છે.






Latest News