મોરબીના ખોખરા હરિહરધામે હનુમાન જયંતિ નિમિત્તે મહાઆરતી, રામધુન, સંતવાણી અને મહાપ્રસાદનું આયોજન હળવદ નજીક હોટલ પાસે તલવાર વડે કરાયેલ જીવલેણ હુમલાના ગુનામાં કોર્ટે 4 આરોપીઓને સજા અને દંડ ફટકાર્યો વાંકાનેરના અરણીટીંબા ગામે ત્યજી દેવાયેલ નવજાત બાળકીને શ્વાને બચકાં ભરીને ફાડી ખાધી મોરબી OSEM સ્કુલની વિદ્યાર્થિનીએ મેળવી રાષ્ટ્રીય સ્તરે સિધ્ધી મોરબીમાં ફૈબા દ્વારા ભત્રીજા-ભત્રીજીના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે મેડિકલ કેમ્પ યોજાયો મોરબીમાં ભોજાણી પરિવારના કુળદેવી શ્રી ભવાની માતાજી મંદિરે નવચંડી યજ્ઞ માળીયા (મી)ના મોટા દહીસરા ગામે પ્રેમલગ્ન કરનારા યુવતીના કાકા ઉપર યુવાનના કૌટુંબિક વ્યક્તિએ કર્યો છરી વડે હુમલો હળવદમાં દુકાન પાસે હરાજી કરવાની ના કહેતા વેપારી ઉપર 5 શખ્સોનો પાઇપ વડે હુમલો
Breaking news
Morbi Today

મોરબીમાં સાર્થક વિદ્યામંદિરનું ધો. ૧૦ નું ૯૧ ટકા અને પ્રગતિ કલાસિસનું ૧૦૦ ટકા પરિણામ


SHARE











મોરબીમાં સાર્થક વિદ્યામંદિરનું ધો. ૧૦ નું ૯૧ ટકા અને પ્રગતિ કલાસિસનું ૧૦૦ ટકા પરિણામ

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગ દ્વારા ધો. ૧૦ નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે તેમાં મોરબીના સામાકાંઠે આવેલ સાર્થક વિદ્યામંદિરનું ઝળહળતું પરિણામ આવ્યું છે અને આ વર્ષે શાળાનું ૯૧ ટકા પરિણામ આવ્યું છે અને ૭ વિદ્યાર્થીઓ એ વન ગ્રેડ મેળવેલ છે

મોરબી આવેલ સાર્થક વિદ્યામંદિર શાળાનું ધો. ૧૦ નું પરિણામ ૯૧ ટકા આવ્યું છે અને ૭ વિદ્યાર્થીઓ એ વન ગ્રેડ મેળવેલ છે જેમાં વાડેવડીયા પાર્થ બુટાભાઈ, ભંખોડીયા ઉદય દિલીપભાઈ, ધામેચા તનિષ્કા બળદેવભાઈ, કાથરાણી શ્રુતિ રાહુલભાઈ, ઘરસંડિયા વિશ્વા પરેશભાઈ, કાથરાણી ક્રિષા વિશાલભાઈ અને ચારણ કૌશિક શામળાભાઈનો સમાવેશ થાય છે જેથી બોર્ડની પરિક્ષાને સફળતા પૂર્વક પાર કરનારા તમામ વિદ્યાર્થીઓને સાર્થક શાળાના સંચાલક કિશોરભાઈ શુક્લ અને તમામ સ્ટાફે અભિનંદન પાઠવ્યા હતા

પ્રગતિ કલાસિસ

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગ દ્વારા ધો.૧૦ નુ પરિણામ જાહેર કરવામાં આવ્યું છે જેમાં મોરબીના નગરપ્લોટ વીસી હાઈસ્સ્કુલ પાસે આવેલ પ્રગતિ કલાસિસનું ધો.૧૨ કોમર્સનું ૧૦૦ ટકા પરિણામ આવેલ છે અને તેમાં કલાસિસમાં પ્રથમ ક્રમે ૯૯.૬૯ પીઆર સાથે ગાંધી મૈત્રી, બીજા ક્રમે ૯૯.૪૪ પીઆર સાથે સાપરિયા ઈશા અને ત્રીજા ક્રમે ૯૯.૩૩ પીઆર સાથે હેડાઉ મહેક પાસ થયેલ છે અત્રે ઉલેખનીય છે કે, કલાસિસના ગાંધી મૈત્રી, સાપરિયા ઈશા, હેડાઉ મહેક અને રાજપરા ખુશીએ આંકડાશાસ્ત્રમાં ૧૦૦ માંથી ૧૦૦ ગુણ મેળવેલ છે જયારે ગાંધી મૈત્રીએ એકાઉન્ટમાં ૧૦૦ માંથી ૯૯ માર્ક મેળવેલ છે જેથી સંસ્થાના સંચાલક પ્રમોદસિંહ રાણા સહિતના સ્ટાફે તમામ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવાયા હતા






Latest News