મોરબી જીલ્લામાં પેટ્રોલ-ડીઝલના જથ્થા બાબતે સોશિયલ મીડિયામાં ફેલાતી અફવાઓથી દૂર રહેવા કલેકટરની લોકોને અપીલ માળીયા તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની બેઠક ઉપર કોંગ્રેસમાંથી ચૂંટણી લડવા માટે 52 આગેવાનોએ સેન્સ આપી મોરબી શહેર-જીલ્લામાં વાહન ચાલકોએ પેટ્રોલ-ડીઝલ માટે લાઈનો લગાવી, પેટ્રોલ-ડીઝલની કોઈ અછત નથી-વિનોદભાઇ ડાભી ગુજરાત બાર કાઉન્સીલમાં સતત ચોથી વાર ચૂંટાયેલા દિલીપભાઇ પટેલનું મોરબીમાં વાજતે ગાજતે સ્વાગત કરાયું મોરબી સહિત ગુજરાતમાં વાવાઝોડું-કમોસમી વરસાદથી થયેલ નુકશાન સામે વળતર આપવા આપના આગેવાનની મુખ્યમંત્રીને રજૂઆત મોરબીમાં મહાપાલિકા દ્વારા નવા બનનારા ઓડિટોરીયમને મહારાજા મહેન્દ્રસિંહજી ઓડિટોરીયમ નામ આપવાની માંગ મોરબીમાં નોકરી અપાવવાના બહાને લઈ ગયા બાદ પરણીતા સાથે દુષ્કર્મ, આરોપીની ધરપકડ-જેલ હવાલે મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ કરવાના ગુનામાં એક આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

હળવદ તાલુકાના સુખપર ગામના ખેડુતોએ ઉચ્ચારી આત્મ વિલોપનની ચિમકી


SHARE











હળવદ તાલુકાના સુખપર ગામના ખેડુતોએ ઉચ્ચારી આત્મ વિલોપનની ચિમકી

મોરબી જીલ્લાના હળવદ તાલુકાના સુખપર ગામના ખેડુતોએ આત્મહત્યાની ચિમકી ઉચ્ચારી છે અને આજે હળવદ પોલીસ અને મામલતદાર કચેરીમાં ખેડુતોએ આવેદનપત્ર આપ્યુ છે જેમા તેઓએ સરકારી જમીન પર દબાણ કરવા ખોટા પુરાવા મહંત દ્વારા ઉભાં કરીને તેઓને હેરાન કરવામાં આવતા હોવાનો આક્ષેપ કર્યો છે  અને મહંત વારંવાર અરજી કરી ખેડુતોને હેરાન કરતા હોવાનો આક્ષેપ ખેડુતોનો આક્ષેપ કર્યો છે

હળવદના શક્તિનગર ગામે આવેલ નકલંકધામ મંદિરના મહંત દલસુખરામબાપુ વિરુદ્ધમાં સુખપર ગામના ખેડુતો દ્વારા મામલતદાર અને પોલીસને આવેદન પત્ર આપવામાં આવ્યુ છે અને દલસુખરામબાપુએ ખેડૂતની જમીન તેમજ સરકારી જમીન પચાવી પાડી હોવાના આક્ષેપ ખેડુતો દ્વારા આવેદનમાં કરવામાં આવ્યો છે આટલુલજ નહી પરંતુ મહંત દલસુખરામબાપુ ખેડૂતને ધાકધમકી આપતા હોવાનો આક્ષેપ પણ ખેડુતોએ કર્યો છે છેલ્લા ઘણા વર્ષથી દલસુખરામબાપુ અને ખેડૂત વચ્ચે જમીન બાબતે વિવાદ ચાલી રહ્યો છે ત્યારે આજે આવેદનપત્ર આપીને પોલીસ મથક પાસે મહિલાઓએ દલસુખ મહારાજ હાય હાયના નારા લગાવી છાજીયા લીધી હતા અને ખેડુતોએ આત્મ વિલોપન કરવાની ચિમકી ઉચ્ચારી હતી




Latest News