મોરબીના પીપળીયા ચાર રસ્તા પાસે ડમ્પર ચાલકે બાઇકને હડફેટે લેતા યુવાનનું મોત મોરબી એસ.ટી. ડેપોના ૧૪૫થી વધુ અધિકારી-કર્મચારીઓનું આરોગ્ય સ્ક્રીનીંગ કરાયું સરકારની વિદેશ અભ્યાસ લોન યોજના થકી મોરબીના હર્ષ બોસીયાનું MBBS કરવાનું સ્વપ્ન થયું સાકાર મોરબી જિલ્લામાં ૬૫મી સુબ્રટો મુખરજી કપ ફૂટબોલ સ્પર્ધા યોજાશે મોરબીમાં સમસ્ત મચ્છુકાંઠા રબારી સમાજ (સમરસ) ટ્રસ્ટ દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો ગુજરાતમાં 30 લાખ ખેડૂતોને ભેગા થતાં વાર નહીં લાગે: માળીયા (મી)માં વીજપોલ-વાયરના વળતર માટે સરપંચ એસો.-ખેડૂત મેદાને મોરબીમાં પોલીસને બાતમી દેતો હોવાની શંકા રાખીને સગા ભત્રીજાનું ઢીમ ઢાળી દેનારા કાકા સહિતના 4 આરોપીના રિમાન્ડ લેવા તજવીજ ખાનગી કંપનીના વિજપોલ અને વાયરના વળતર બાબતે સમગ્ર ગુજરાતના ખેડૂતોને ફાયદો થાય તેવો સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવશે: મંત્રી કાંતિભાઈ અમૃતિયા
Breaking news
Morbi Today

હળવદ તાલુકાના સુખપર ગામના ખેડુતોએ ઉચ્ચારી આત્મ વિલોપનની ચિમકી


SHARE











હળવદ તાલુકાના સુખપર ગામના ખેડુતોએ ઉચ્ચારી આત્મ વિલોપનની ચિમકી

મોરબી જીલ્લાના હળવદ તાલુકાના સુખપર ગામના ખેડુતોએ આત્મહત્યાની ચિમકી ઉચ્ચારી છે અને આજે હળવદ પોલીસ અને મામલતદાર કચેરીમાં ખેડુતોએ આવેદનપત્ર આપ્યુ છે જેમા તેઓએ સરકારી જમીન પર દબાણ કરવા ખોટા પુરાવા મહંત દ્વારા ઉભાં કરીને તેઓને હેરાન કરવામાં આવતા હોવાનો આક્ષેપ કર્યો છે  અને મહંત વારંવાર અરજી કરી ખેડુતોને હેરાન કરતા હોવાનો આક્ષેપ ખેડુતોનો આક્ષેપ કર્યો છે

હળવદના શક્તિનગર ગામે આવેલ નકલંકધામ મંદિરના મહંત દલસુખરામબાપુ વિરુદ્ધમાં સુખપર ગામના ખેડુતો દ્વારા મામલતદાર અને પોલીસને આવેદન પત્ર આપવામાં આવ્યુ છે અને દલસુખરામબાપુએ ખેડૂતની જમીન તેમજ સરકારી જમીન પચાવી પાડી હોવાના આક્ષેપ ખેડુતો દ્વારા આવેદનમાં કરવામાં આવ્યો છે આટલુલજ નહી પરંતુ મહંત દલસુખરામબાપુ ખેડૂતને ધાકધમકી આપતા હોવાનો આક્ષેપ પણ ખેડુતોએ કર્યો છે છેલ્લા ઘણા વર્ષથી દલસુખરામબાપુ અને ખેડૂત વચ્ચે જમીન બાબતે વિવાદ ચાલી રહ્યો છે ત્યારે આજે આવેદનપત્ર આપીને પોલીસ મથક પાસે મહિલાઓએ દલસુખ મહારાજ હાય હાયના નારા લગાવી છાજીયા લીધી હતા અને ખેડુતોએ આત્મ વિલોપન કરવાની ચિમકી ઉચ્ચારી હતી






Latest News