મોરબીની ગીતાંજલી વિધાલયમાં વિદ્યાર્થીઓ-વાલીઓ માટે ફ્રી મેડિકલ કેમ્પ યોજાયો મોરબીમાં ડો. હેડગેવાર સ્મારક સમિતિ દ્વારા ચાલતા સીવણ કેન્દ્રમાં તાલીમ લીધેલ બહેનોને પ્રમાણપત્ર અપાયા મોરબીમાં અકસ્માતમાં મૃત્યુ પામેલ વ્યક્તિના પરિવારને ૧૦ લાખનો વીમો વ્યાજ સહિત ચૂકવવા ગ્રાહક અદાલતનો આદેશ મોરબીની પી.જી.પટેલ કોલેજમાં સંવિધાન હત્યા દિવસ અંતર્ગત વિદ્યાર્થીઓએ ડોક્યુમેન્ટરી ફિલ્મ નિહાળી મોરબી અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી રચના કરવા ધારાસભ્યએ કરેલી રજૂઆત ફળી મોરબી જીલ્લામાં મેલેરીયા વિરોધી માસની ઉજવણી અંતર્ગત સઘન સર્વેલન્સની કામગીરી કરાઈ મોરબી જિલ્લામાં 31 જુલાઇ સુધી હથિયારબંધી: 4 થી વધુ લોકોને ભેગા થવા ઉપર પ્રતિબંધ મોરબી જીલ્લામાં વિવિધ સ્થળોએ સીસીટીવી કેમેરા મૂકવા જાહેરનામું પ્રસિદ્ધ કરાયું
Breaking news
Morbi Today

વાંકાનેરમાં સૂમસામ માર્ગ વચ્ચે માત્ર 15 ભાવિકો સાથે યોજાઈ અષાઢી બીજ શોભાયાત્રા


SHARE















(કેતન ભટ્ટી દ્વારા) વાંકાનેરમાં કોરોના અન્વયે સરકારી ગાઈડ લાઈન મુજબ મર્યાદિત ભાવિકો સાથે સૂમસામ માર્ગ પરથી અષાઢી બીજ શોભાયાત્રા કાઢવામાં આવી હતી.

રાજ્યમાં કોરોનાની સંભવતઃ ત્રીજી લહેર અનુલક્ષીને પ્રશાસન દ્વારા આ સાલ કોરોના ગાઈડ લાઈનની ચુસ્ત  અમલવારી કરાવવામાં આવી હતી, મોરબી જીલ્લા કલેક્ટર દ્વારા શોભાયાત્રા રૂટ પર સવારે 9 થી 4 દરમ્યાન કર્ફ્યુ લાદી દેવામાં આવ્યો હતો, જેને પગલે પોલીસ તંત્ર દ્વારા આગલે દિવસે જ આ રૂટ પરનાં વેપારીઓને દુકાનો બંધ રાખવા સૂચના આપી દેવાઈ હતી, અને આજે સવારથીજ શોભાયાત્રાનાં માર્ગને  બંધ કરી દેવામાં આવ્યો હતો, અને ટ્રાફિક ડાયવર્ટ કરી દેવાયો હતો, મછુ નદી ખાતે આવેલ માતાજીની દેરીથી શોભાયાત્રાનો શાંતિ પૂર્ણ પ્રારંભ કરાયો હતો, માત્ર 15 જેટલાં ભાવિકો દ્વારા ગાઈડ લાઈન મુજબ શોભાયાત્રા યોજાઇ હતી, જોકે ભાવિકોથી વધુ પોલીસ કર્મીઓ શોભાયાત્રામાં દેખાયા હતાં, સૂમસામ માર્ગો વચ્ચે બિલકુલ સુમસામ  આવી પ્રથમ શોભાયાત્રા કાઢવામાં આવી હતી, જે મછૂ માતાજી મંદિર ખાતે સંપન્ન થઈ હતી, dysp રાધિકા ભારાઈ, વાંકાનેર શહેર પી.આઈ. એચ..એન. રાઠોડ સતત હાજર રહી ચુસ્ત બંદોબસ્ત જાળવ્યો હતો.






Latest News